ETV Bharat / state

કોરોનાના પગલે આજથી રાજ્યની ટીવી ચેનલ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે - ટીવી ચેનલ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. કોરોના વાઈરસે ભારત દેશમાં પણ પ્રવેશ લઈ લીધો છે ત્યારે ગુજરાતમાં કોઈ અસર ન થાય તે માટે રાજ્ય સરકારે આગમચેતીના ભાગરૂપે તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરી છે. વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેના માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં સમાચાર ચેનલના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓને શિક્ષણ પુરૂ પાડવામાં આવશે.

a
19 માર્ચથી રાજ્યની ટીવી ચેનલ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે : મુખ્યપ્રધાન
author img

By

Published : Mar 18, 2020, 11:52 PM IST

તારીખ 19 માર્ચથી 28 માર્ચ દરમિયાન દરરોજ 1-1 કલાક પ્રાદેશિક ચેનલ્સ પરથી પ્રસારણ થશે આમ, સીએમ રૂપાણીએ રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના અભ્યાસ હિતનો દેશભરમાં પ્રથમ નવતર પહેલરૂપ વિદ્યાર્થીલક્ષી નિર્ણય કર્યો છે.

ગાંધીનગરઃ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઈરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યની શાળા-કોલેજોનાં વિદ્યાર્થીઓને આ વાઈરસથી સંક્રમિત થતા બચાવવા તકેદારી રૂપે રાજ્યની શાળા-કોલેજો બંધ રખાઈ છે. જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે વિજયભાઇ રૂપાણીએ એક પ્રયોગ દ્વારા દેશમાં શાળા-શિક્ષણ પ્રાદેશિક ચેનલ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા પુરૂં પાડવાનો અભિગમ અપનાવ્યો છે. જેથી ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારની પહેલ કરનારૂં પ્રથમ રાજ્ય બન્યું છે.

કોરોનાના પગલે આજથી રાજ્યની ટીવી ચેનલ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે
સીએમના આ નિર્ણય અનુસાર રાજ્યની શાળાઓના ધોરણ 7 થી 9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી પ્રાદેશિક ટી.વી ચેનલ્સ દ્વારા કરાવાશે.

વિદ્યાર્થીઓ પ્રવર્તમાન પરિસ્થિતીમાં ઘેર બેઠા સુરક્ષિત રહી ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન – અભ્યાસ કરી શકશે. ગુરૂવાર તા. 19 માર્ચથી 28 માર્ચ સુધી દરરોજ આ પ્રકારે 1-1 કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે.

તદ્દઅનુસાર ધોરણ 7 થી 9માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે તેમજ ધોરણ-11માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાંત શિક્ષકો કરાવશે.

ધોરણ-7 ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન બપોરે 12 થી 1, બપોરે 3 થી 4 અને બપોરે 11:30 થી 12:30એ કરાવાશે.
ધોરણ-8ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન શિક્ષણ બપોરે 2 થી 3, ઝી-24 કલાક પરથી બપોરે 11થી 12 અને સાંજે 5 થી 6માં કરાવાશે.

ધોરણ-9ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન – શિક્ષણ બપોરે 2 થી 3, સાંજે 4 થી 5 અને સાંજે 5 થી 6 દરમિયાન અપાશે.

ધોરણ-11માં ક્રમશ: કેમેસ્ટ્રી, ફિઝીકસ અને બાયોલોજીના વિષયોનું રિવીઝન-શિક્ષણ બપોરે 12:30 થી 1 અને 3:30 થી 4 સુધી, બપોરે 3 થી 4, બપોરે 4 થી 5 અને બપોરે 3 થી 4 દરમિયાન અપાશે.
જે પ્રાદેશિક ચેનલો ધોરણ-11ના વિષયોનું રિવીઝન-શિક્ષણ આપવાની છે તે ચેનલ તા. 27 માર્ચના રોજ ધોરણ-11ના મેથ્સના વિષયનું રિવીઝન-શિક્ષણ અને તા. 28માર્ચે એકાઉન્ટન્સીનું રિવીઝન-શિક્ષણ અપાશે.

તારીખ 19 માર્ચથી 28 માર્ચ દરમિયાન દરરોજ 1-1 કલાક પ્રાદેશિક ચેનલ્સ પરથી પ્રસારણ થશે આમ, સીએમ રૂપાણીએ રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના અભ્યાસ હિતનો દેશભરમાં પ્રથમ નવતર પહેલરૂપ વિદ્યાર્થીલક્ષી નિર્ણય કર્યો છે.

ગાંધીનગરઃ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઈરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યની શાળા-કોલેજોનાં વિદ્યાર્થીઓને આ વાઈરસથી સંક્રમિત થતા બચાવવા તકેદારી રૂપે રાજ્યની શાળા-કોલેજો બંધ રખાઈ છે. જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે વિજયભાઇ રૂપાણીએ એક પ્રયોગ દ્વારા દેશમાં શાળા-શિક્ષણ પ્રાદેશિક ચેનલ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા પુરૂં પાડવાનો અભિગમ અપનાવ્યો છે. જેથી ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારની પહેલ કરનારૂં પ્રથમ રાજ્ય બન્યું છે.

કોરોનાના પગલે આજથી રાજ્યની ટીવી ચેનલ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે
સીએમના આ નિર્ણય અનુસાર રાજ્યની શાળાઓના ધોરણ 7 થી 9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી પ્રાદેશિક ટી.વી ચેનલ્સ દ્વારા કરાવાશે.

વિદ્યાર્થીઓ પ્રવર્તમાન પરિસ્થિતીમાં ઘેર બેઠા સુરક્ષિત રહી ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન – અભ્યાસ કરી શકશે. ગુરૂવાર તા. 19 માર્ચથી 28 માર્ચ સુધી દરરોજ આ પ્રકારે 1-1 કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે.

તદ્દઅનુસાર ધોરણ 7 થી 9માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે તેમજ ધોરણ-11માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાંત શિક્ષકો કરાવશે.

ધોરણ-7 ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન બપોરે 12 થી 1, બપોરે 3 થી 4 અને બપોરે 11:30 થી 12:30એ કરાવાશે.
ધોરણ-8ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન શિક્ષણ બપોરે 2 થી 3, ઝી-24 કલાક પરથી બપોરે 11થી 12 અને સાંજે 5 થી 6માં કરાવાશે.

ધોરણ-9ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવીઝન – શિક્ષણ બપોરે 2 થી 3, સાંજે 4 થી 5 અને સાંજે 5 થી 6 દરમિયાન અપાશે.

ધોરણ-11માં ક્રમશ: કેમેસ્ટ્રી, ફિઝીકસ અને બાયોલોજીના વિષયોનું રિવીઝન-શિક્ષણ બપોરે 12:30 થી 1 અને 3:30 થી 4 સુધી, બપોરે 3 થી 4, બપોરે 4 થી 5 અને બપોરે 3 થી 4 દરમિયાન અપાશે.
જે પ્રાદેશિક ચેનલો ધોરણ-11ના વિષયોનું રિવીઝન-શિક્ષણ આપવાની છે તે ચેનલ તા. 27 માર્ચના રોજ ધોરણ-11ના મેથ્સના વિષયનું રિવીઝન-શિક્ષણ અને તા. 28માર્ચે એકાઉન્ટન્સીનું રિવીઝન-શિક્ષણ અપાશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.