ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત્ત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 510 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 31 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 25658 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી ગુરુવારે માત્ર 389 દર્દીઓને રજા આપવામાં આવી છે.

જ્યારે 61 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1592 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ 17,946 કેસ સામે આવ્યા છે.