ETV Bharat / state

રાજ્યમાં 24 કલાકમાં 580 કોરોના કેસ નોંધાયા, સુરતમાં 176 કેસ આવતા હાહાકાર

રાજ્યમાં સતત્ત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે એક દિવસમાં કોરોનાના 580 કેસ નોંધાયા હતા. ત્યારે સુરતની વાત કરવામાં આવે તો ત્યાં એક દિવસમાં 176 કોરોના કેસ નોંધાયા હતા.

author img

By

Published : Jun 21, 2020, 7:56 PM IST

રાજ્યમાં 24 કલાકમાં 580 કોરોના કેસ નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં 580 કોરોના કેસ નોંધાયા


ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 580 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 25 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 27317 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી રવિવારે 655 દર્દીઓ સ્વસ્થ્ય થતા તેમને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમાં 580 કોરોના કેસ નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં 580 કોરોના કેસ નોંધાયા
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે છે. જ્યારે રાજ્ય 30 હજાર આંકડા તરફ આગળ વધી રહ્યુ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 273, સુરત 176, વડોદરામાં 41, ગાંધીનગર 15, ભરૂચ 10, ભાવનગર, જામનગર 8-8, વલસાડ 5, રાજકોટ, આણંદ, પંચમહાલ, પાટણ, અમરેલી 4-4, બનાસકાંઠા, સાબરકાંઠા 3-3, મહેસાણા, જુનાગઢ 2-2, ખેડા, બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકામા 1-1 કેસ નોંધાયો છે. જ્યારે 59 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1664 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 18837 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. તેવા સમયે છેલ્લા 24 કલાકમાં સુરતમાં બોમ્બ ફૂટયો છે. સુરતના અલગ-અલગ વિસ્તારમાં 176 કેસ એક સાથે સામે આવ્યા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો સુરત માટે છે. રાજ્યમાં લોકડાઉન પૂરું કરી દેવામાં આવી છે, પરંતુ આંકડામાં સતત્ત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યનો આંકડો પણ 600 ની નજીક પહોંચી ગયો છે. અત્યાર સુધી માત્ર 500ની આસપાસ આંકડો સરકાર દ્વારા જાહેર કરવામાં આવતો હતો ત્યારે રવિવારે 580 કેસ એક સાથે સામે આવ્યા છે, જે ચિંતાજનક બાબત છે.


ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 580 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 25 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 27317 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી રવિવારે 655 દર્દીઓ સ્વસ્થ્ય થતા તેમને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમાં 580 કોરોના કેસ નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં 580 કોરોના કેસ નોંધાયા
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે છે. જ્યારે રાજ્ય 30 હજાર આંકડા તરફ આગળ વધી રહ્યુ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 273, સુરત 176, વડોદરામાં 41, ગાંધીનગર 15, ભરૂચ 10, ભાવનગર, જામનગર 8-8, વલસાડ 5, રાજકોટ, આણંદ, પંચમહાલ, પાટણ, અમરેલી 4-4, બનાસકાંઠા, સાબરકાંઠા 3-3, મહેસાણા, જુનાગઢ 2-2, ખેડા, બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકામા 1-1 કેસ નોંધાયો છે. જ્યારે 59 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1664 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 18837 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. તેવા સમયે છેલ્લા 24 કલાકમાં સુરતમાં બોમ્બ ફૂટયો છે. સુરતના અલગ-અલગ વિસ્તારમાં 176 કેસ એક સાથે સામે આવ્યા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો સુરત માટે છે. રાજ્યમાં લોકડાઉન પૂરું કરી દેવામાં આવી છે, પરંતુ આંકડામાં સતત્ત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યનો આંકડો પણ 600 ની નજીક પહોંચી ગયો છે. અત્યાર સુધી માત્ર 500ની આસપાસ આંકડો સરકાર દ્વારા જાહેર કરવામાં આવતો હતો ત્યારે રવિવારે 580 કેસ એક સાથે સામે આવ્યા છે, જે ચિંતાજનક બાબત છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.