ETV Bharat / state

અંતે બિન સચિવાલય પરીક્ષાનું પેપર મુદ્દે ફરિયાદ દાખલ, ગૌણ સેવા મંડળના સેક્રેટરી બન્યા ફરિયાદી

author img

By

Published : Dec 20, 2019, 11:26 PM IST

ગાંધીનગર : બિનસચિવાલય ભરતી પરીક્ષા રદ કરાયા બાદ હવે આ મુદ્દે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પૂર્વઆયોજિત ષડયંત્રના ભાગરૂપે પેપરલીક થયાનું તથા નાણાં આપવા માટે તૈયાર થયા હોય તેવા ઉમેદવારોને પેપર મોકલાયા હોવાનું સ્વીકાર્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળના સેક્રેટરી હસમુખભાઈ રમણીકલાલ મોદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પરીક્ષા પૂર્ણ થયા બાદ અલગ-અલગ જિલ્લામાં પરીક્ષામાં ગેરરીતિ તથા પ્રશ્નપત્ર લીક થયા અંગેની રજૂઆતો થઈ હતી. વોટ્સએપ પર પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર ફરતું થયાની રજૂઆતો મળતાં સરકારે ગેરરીતિ અંગે તપાસ કરવા સીટની રચના કરી હતી, જેમાં આ બાબત પુરવાર થતાં સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો.

પરીક્ષાનું પેપર લીક કરનાર સામે નોંધાવી ફરિયાદ
પરીક્ષાનું પેપર લીક કરનાર સામે નોંધાવી ફરિયાદ

રાજ્યના 33 જિલ્લાઓમાં કુલ 3173 પરીક્ષા કન્દ્રો નક્કી થયા હતા અને કુલ 57 સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રના સીલબંધ બોક્સ મૂકાયા હતા. પ્રશ્નપત્ર છાપવા માટે ખાનગી એજન્સીને અપાયા હતા અને એજન્સીએ 14થી 16 નવેમ્બર દરમિયાન સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રોના બોક્સ મોકલ્યા હતા, ત્યાંથી ૧૭મી નવેમ્બરે સવારે 10 કલાકે પરીક્ષા કેન્દ્ર પર સીલબંધ કવરમાં પ્રશ્નપત્રો મોકલાયા હતા.

પરીક્ષા પૂર્ણ થયા બાદ મંડળના નિયુક્ત કરેલા અધિકારીઓ મારફતે OMR સીટના સીલબંધ પેકેટ તથા અન્ય સાહિત્ય પોલીસ પહેરા સાથે પરીક્ષા કેન્દ્રો પરથી જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં અને ત્યાંથી ગાંધીનગર ખાતે આવેલી મંડળની કચેરીમાં લવાયા હતા. જો કે આ બધા વચ્ચે જ કોઈએ પેપર ફોડીને અગાઉથી ફરતા કરી દીધા હતા.

પરીક્ષાનું પેપર લીક કરનાર સામે નોંધાવી ફરિયાદ

ફરિયાદ મુજબ પરીક્ષા શરૂ થયા અગાઉના કોઈપણ સમયે કેટલાક અજાણ્યા ઈસમોએ ઉમદેવારોનો અગાઉથી સંપર્ક કર્યો હતો અને નાણાં આપવા તૈયાર થયા હોય તેવા ઉમેદવારને પાસ કરાવવા માટે પૂર્વઆયોજિત કાવતરુ ઘડવામાં આવ્યુ હતું.

17મી નવેમ્બરે 12 કલાકે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ નક્કી કરેલા ઉમેદવારોને મોબાઈલ ફોનથી પરીક્ષાનું પ્રશ્નપત્ર મોકલી અપાયું હતું. આ ષડયંત્રમાં પરીક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ જવાબદાર હોવાની આશંકા સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં આઈપીસીની કલમ 406, 420, 409, 120બી અને આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો છે.

રાજ્યના 33 જિલ્લાઓમાં કુલ 3173 પરીક્ષા કન્દ્રો નક્કી થયા હતા અને કુલ 57 સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રના સીલબંધ બોક્સ મૂકાયા હતા. પ્રશ્નપત્ર છાપવા માટે ખાનગી એજન્સીને અપાયા હતા અને એજન્સીએ 14થી 16 નવેમ્બર દરમિયાન સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રોના બોક્સ મોકલ્યા હતા, ત્યાંથી ૧૭મી નવેમ્બરે સવારે 10 કલાકે પરીક્ષા કેન્દ્ર પર સીલબંધ કવરમાં પ્રશ્નપત્રો મોકલાયા હતા.

પરીક્ષા પૂર્ણ થયા બાદ મંડળના નિયુક્ત કરેલા અધિકારીઓ મારફતે OMR સીટના સીલબંધ પેકેટ તથા અન્ય સાહિત્ય પોલીસ પહેરા સાથે પરીક્ષા કેન્દ્રો પરથી જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં અને ત્યાંથી ગાંધીનગર ખાતે આવેલી મંડળની કચેરીમાં લવાયા હતા. જો કે આ બધા વચ્ચે જ કોઈએ પેપર ફોડીને અગાઉથી ફરતા કરી દીધા હતા.

પરીક્ષાનું પેપર લીક કરનાર સામે નોંધાવી ફરિયાદ

ફરિયાદ મુજબ પરીક્ષા શરૂ થયા અગાઉના કોઈપણ સમયે કેટલાક અજાણ્યા ઈસમોએ ઉમદેવારોનો અગાઉથી સંપર્ક કર્યો હતો અને નાણાં આપવા તૈયાર થયા હોય તેવા ઉમેદવારને પાસ કરાવવા માટે પૂર્વઆયોજિત કાવતરુ ઘડવામાં આવ્યુ હતું.

17મી નવેમ્બરે 12 કલાકે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ નક્કી કરેલા ઉમેદવારોને મોબાઈલ ફોનથી પરીક્ષાનું પ્રશ્નપત્ર મોકલી અપાયું હતું. આ ષડયંત્રમાં પરીક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ જવાબદાર હોવાની આશંકા સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં આઈપીસીની કલમ 406, 420, 409, 120બી અને આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો છે.

Intro:હેડલાઈન) આખરે ગૌણ સેવા મંડળના મંડળના સેક્રેટરીએ બિન સચિવાલય પરીક્ષાનું પેપર લીક કરનાર સામે નોંધાવી ફરિયાદ

ગાંધીનગર,

બિનસચિવાલય ભરતી પરીક્ષા રદ કરાયા બાદ હવે આ મુદ્દે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સેકટર-7 પોલીસ સ્ટેશનાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પૂર્વયોજિત ષડયંત્રના ભાગરૂપે પેપરલીક થયાનું તથા નાણાં આપવા માટે તૈયાર થયા હોય તેવા ઉમેદવારોને પેપર મોકલાયા હોવાનું સ્વીકાર્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળના સેક્રેટરી હસમુખભાઈ રમણીકલાલ મોદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પરીક્ષા પૂર્ણ થયા બાદ અલગ-અલગ જિલ્લામાં પરીક્ષામાં ગેરરીતિ તથા પ્રશ્નપત્ર લીક થયા અંગેની રજૂઆતો થઈ હતી. વોટ્સએપ પર પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર ફરતું થયાની રજૂઆતો મળતાં સરકારે ગેરરીતિ અંગે તપાસ કરવા સીટની રચના કરી હતી, જેમાં આ બાબત પુરવાર થતાં સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. Body:રાજ્યના 33 જિલ્લાઓમાં કુલ 3173 પરીક્ષા કન્દ્રો નક્કી થયા હતા અને કુલ 57 સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રના સીલબંધ બોક્સ મૂકાયા હતા. પ્રશ્નપત્ર છાપવા માટે ખાનગી એજન્સીને અપાયા હતા અને એજન્સીએ 14થી 16 નવેમ્બર દરમિયાન સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રોના બોક્સ મોકલ્યા હતા. ત્યાંથી ૧૭મી નવેમ્બરે સવારે ૧૦ કલાકે પરીક્ષા કેન્દ્ર પર સીલબંધ કવરમાં પ્રશ્નપત્રો મોકલાયા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ મંડળના નિયુક્ત કરેલા અધિકારીઓ મારફતે ઓએમઆર શીટના સીલબંધ પેકેટ તથા અન્ય સાહિત્ય પોલીસ પહેરા સાથે પરીક્ષા કેન્દ્રો પરથી જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં અને ત્યાંથી ગાંધીનગર ખાતે આવેલી મંડળની કચેરીમાં લવાયા હતા. જોકે આ બધા વચ્ચે જ કોઈએ પેપર ફોડીને અગાઉથી ફરતા કરી દીધા હતા.
Conclusion:ફરિયાદ મુજબ પરીક્ષા શરૂ થયા અગાઉના કોઈપણ સમયે કેટલાક અજાણ્યા ઈસમોએ ઉમદેવારોનો અગાઉથી સંપર્ક કર્યો હતો અને નાણાં આપવા તૈયાર થયા હોય તેવા ઉમેદવારને પાસ કરાવવા માટે પૂર્વયોજિત કાવતરુ ઘડવામાં આવ્યુ હતું. 17મી નવેમ્બરે 12 કલાકે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ નક્કી કરેલા ઉમેદવારોને મોબાઈલ ફોનથી પરીક્ષાનું પ્રશ્નપત્ર મકોલી અપાયું હતું. આ ષડયંત્રમાં પરીક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ જવાબદાર હોવાની આશંકા સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ કેસમાં આઈપીસીની કલમ 406, 420, 409, 120બી અને આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો છે.
આ અંગે જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ કહ્યું હતું કે,‘પોલીસ દ્વારા હવે અલગ-અલગ ટીમો બનાવી જે પણ આક્ષેપો થયા અને પુરાવા અપાયા છે તેની તપાસ કરાશે. અમે ગૌણસેવા પસંગી મંડળ તથા એસઆઈટી પાસે રહેલા પુરાવા અને વિગતો મેળવીશું. તપાસ સંપૂર્ણ પારદર્શી રીતે રીતે થશે, સરકાર તરફથી ક્લિયર સૂચના છે કે કોઈ જવાબદારોને છોડવાના નથી. હું પણ લોકોને અપીલ કરું છું કે આ ગુનાને લગતી કોઈપણ વિગત હોય તો ગાંધીનગર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતુ.ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની વિવિધ કચેરીમાં બિન સચિવાલય કારકૂન વર્ગ-3ની ભરતી માટે 17 નવેમ્બરના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી.

બાઈટ મયુર ચાવડા એસપી ગાંધીનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.