રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે વીમા કંપની પાસેથી નુકસાનની ભરપાઈ અંગેની તમામ કામગીરી રાજ્ય સરકારે ખાનગી કંપનીને સોંપી હતી અને ખેડૂતોને વહેલી તકે વીમો પૂરો પાડવામાં આવે તે અંગેની પણ સૂચના આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ખેડૂતોને પાક વિમો ન મળતા કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિ ભવન ખાતે વિરોધ કર્યો હતો અને ખેડૂતોને સહાય ક્યારે મળશે તે અંગેની રજૂઆત પણ કરી હતી .
ઉપરાંત જો હવે ખેડૂતોને પાક વીમો નહીં મળે તો આગામી દિવસમાં રાજ્યના તમામ જિલ્લા અને તાલુકામાં કૃષિ રથ કરવામાં આવશે અને ખેડૂતોને પાક વીમો મળે તે અંગેની પણ આયોજન કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.