ETV Bharat / state

આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ગુજરાતના 14 વનબંધુ જિલ્લાના 28 સ્થળોએ ઉજવણી

author img

By

Published : Aug 9, 2020, 5:22 PM IST

ગુજરાતમાં અંબાજીથી ઉમરગામની સમગ્ર આદિજાતિ વનબંધુ પટ્ટીના 14 જિલ્લાના 28 સ્થળોએ આ દિવસની વિકાસ પર્વ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠાના દાતા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, અરવલ્લીના શામળાજી, નર્મદાના ડેડીયાપાડા તથા પંચમહાલના ઘોઘંબા તાલુકામાં 71 કરોડના ખર્ચે મોડેલ સ્કૂલ, કન્યા છાત્રાલય, એકલવ્ય રેસિડેન્સીયલ શાળા સંકુલ અને સ્પોર્ટસ સંકુલના ઈ-લોકાર્પણ કર્યા હતા. આ સુવિધાઓનો અંદાજે 2700 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને લાભ મળવાનો છે. છોટાઉદેપુરના નસવાડી અને બોડેલી તેમજ સાબરકાંઠાના પોશીનામાં કુલ રૂ. 65 કરોડના ખર્ચે નિર્માણ થનારા શાળા નિવાસી શાળા સંકુલના ઈ-ભૂમિપૂજન સંપન્ન કર્યા હતા. 1860 વનબંધુ છાત્રોને આ સંકુલ નિર્માણથી શિક્ષણ સુવિધા ઘર આંગણે પ્રાપ્ત થશે.

celebration of International Tribal Day
celebration of International Tribal Day

ગાંધીનગરઃ પ્રકૃતિની ગોદમાં અને પ્રકૃતિની વચ્ચે વન સાથે રહેનારા આ સમાજે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા જાળવ્યા છે. ઇતિહાસમાં રામાયણકાળમાં ભગવાન રામને મદદ રૂપ થયેલા રાજા નિશાદ, સોમનાથની રક્ષા માટે પ્રાણ આપનારા વેગડા ભીલ અને આઝાદી સંગ્રામના આદિવાસી ક્રાંતિ વીરો બિરસા મુંડા, ગોવિંદ ગુરુનું સ્મરણ કર્યું હતું. અટલ બિહારીજીની તત્કાલીન સરકારે દેશમાં પહેલીવાર અલગ આદિજાતિ વિકાસ મંત્રાલય સ્થાપ્યું હતું. નરેન્દ્ર મોદીએ તેમના મુખ્ય પ્રધાન કાળ દરમિયાન વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરીને આદિવાસીઓના શિક્ષણ, આરોગ્ય, રસ્તા પાણી જેવી માળખાકીય સુવિધાઓમાં વિકાસને આયોજનબદ્ધ આગળ ધપાવ્યો છે.

આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી
આ સરકારે એ જ આદિવાસી વિકાસ પરંપરાને આગળ ધપાવીને રૂપિયા 100956 કરોડ વન બંધુ કલ્યાણ યોજના ખર્ચ કરી વનબંધુ વિકાસની આગવી દિશા કંડારી છે. આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈ-પીવાના પાણીની સગવડ માટેની વિવિધ સિંચાઇ અને ઉદ્વહન સિંચાઇ યોજનાઓ રૂપિયા 5 હજાર કરોડના ખર્ચે આપી છે. એટલું જ નહીં વનબંધુઓના સંતાનો પણ ડૉક્ટર, ઇજનેર જેવા ઉચ્ચ અભ્યાસ કરી સમાજની સેવામાં જોડાય તે માટે વનબંધુ ક્ષેત્રોમા PPP મોડલ પર મેડિકલ કોલેજો કાર્યરત કરી છે. સરકારે આદિજાતિઓના હકોના રક્ષણ અને સાચા લાભાર્થીઓને લાભ મળે તે માટે વિધાનસભામાં ખરડો પસાર કરી કાયદો પણ બનાવ્યો છે. તેમણે પેસા એકટનો રાજ્યમાં ત્વરીત અમલ કરાવીને વનબંધુઓને વન પેદાશો અને ગૌણ ખનીજના હક આપી સ્થાનિક વિકાસ કામોને પણ સરકારે પ્રાધાન્ય આપ્યું છે. આત્મનિર્ભર સહાય પેકેજ અન્વયે વનવાસી-આદિવાસી શ્રમિકોને તેમના વતનમાં પાકું મકાન બાંધવા 35 હજાર રૂપિયાની સહાય સરકારે જાહેર કરી છે, તેની પણ ભૂમિકા આપી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈને સરકાર સુધી વનબંધુ આદિવાસીઓના ઉત્કર્ષ અને કલ્યાણની સર્વગ્રાહી યોજનાઓના અમલથી 'સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના'નો કોલ આપ્યો હતો.

ગાંધીનગરઃ પ્રકૃતિની ગોદમાં અને પ્રકૃતિની વચ્ચે વન સાથે રહેનારા આ સમાજે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા જાળવ્યા છે. ઇતિહાસમાં રામાયણકાળમાં ભગવાન રામને મદદ રૂપ થયેલા રાજા નિશાદ, સોમનાથની રક્ષા માટે પ્રાણ આપનારા વેગડા ભીલ અને આઝાદી સંગ્રામના આદિવાસી ક્રાંતિ વીરો બિરસા મુંડા, ગોવિંદ ગુરુનું સ્મરણ કર્યું હતું. અટલ બિહારીજીની તત્કાલીન સરકારે દેશમાં પહેલીવાર અલગ આદિજાતિ વિકાસ મંત્રાલય સ્થાપ્યું હતું. નરેન્દ્ર મોદીએ તેમના મુખ્ય પ્રધાન કાળ દરમિયાન વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરીને આદિવાસીઓના શિક્ષણ, આરોગ્ય, રસ્તા પાણી જેવી માળખાકીય સુવિધાઓમાં વિકાસને આયોજનબદ્ધ આગળ ધપાવ્યો છે.

આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી
આ સરકારે એ જ આદિવાસી વિકાસ પરંપરાને આગળ ધપાવીને રૂપિયા 100956 કરોડ વન બંધુ કલ્યાણ યોજના ખર્ચ કરી વનબંધુ વિકાસની આગવી દિશા કંડારી છે. આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈ-પીવાના પાણીની સગવડ માટેની વિવિધ સિંચાઇ અને ઉદ્વહન સિંચાઇ યોજનાઓ રૂપિયા 5 હજાર કરોડના ખર્ચે આપી છે. એટલું જ નહીં વનબંધુઓના સંતાનો પણ ડૉક્ટર, ઇજનેર જેવા ઉચ્ચ અભ્યાસ કરી સમાજની સેવામાં જોડાય તે માટે વનબંધુ ક્ષેત્રોમા PPP મોડલ પર મેડિકલ કોલેજો કાર્યરત કરી છે. સરકારે આદિજાતિઓના હકોના રક્ષણ અને સાચા લાભાર્થીઓને લાભ મળે તે માટે વિધાનસભામાં ખરડો પસાર કરી કાયદો પણ બનાવ્યો છે. તેમણે પેસા એકટનો રાજ્યમાં ત્વરીત અમલ કરાવીને વનબંધુઓને વન પેદાશો અને ગૌણ ખનીજના હક આપી સ્થાનિક વિકાસ કામોને પણ સરકારે પ્રાધાન્ય આપ્યું છે. આત્મનિર્ભર સહાય પેકેજ અન્વયે વનવાસી-આદિવાસી શ્રમિકોને તેમના વતનમાં પાકું મકાન બાંધવા 35 હજાર રૂપિયાની સહાય સરકારે જાહેર કરી છે, તેની પણ ભૂમિકા આપી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈને સરકાર સુધી વનબંધુ આદિવાસીઓના ઉત્કર્ષ અને કલ્યાણની સર્વગ્રાહી યોજનાઓના અમલથી 'સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના'નો કોલ આપ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.