ETV Bharat / state

પાક વીમા મુદે કોંગ્રેસના 3 MLAએ ધરણાં પર ઉતર્યા

ગાંધીનગરઃ શહેરમાં સેક્ટર 6 સત્યાગ્રહ છાવણીમાં ધારણા કરતાં નાગરિકોને જોયા છે, પરંતુ કોઈ અધિકારીની કચેરીમાં સતત 24 કલાક સુધી ધરણા કરવામાં આવ્યા હોય અને તે પણ 3 ધારાસભ્યો દ્વારા તે કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં પાક વીમા સહાય ખેડૂતોની ચૂકવી દેવામાં આવી છે. પરંતુ કેટલાક ખેડૂતોને કેટલી સહાય ચૂકવવામાં આવી તેની માહિતી મેળવવા માટે કોંગી ધારાસભ્યોએ અધિકારીની કચેરીમાં 24 કલાક ધરણાં કર્યા હતા.

author img

By

Published : Apr 9, 2019, 2:23 PM IST

સ્પોટ ફોટો

ગાંધીનગર પાસે આવેલા કૃષિ ભવનમાં ખેતી નિયામકની કચેરીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય ચિરાગ કાલરીયા, બ્રિજેશ મેરજા અને ઋત્વિક મકવાણા દ્વારા સહીત કિસાન આગેવાન પાલ આંબલીયા કચેરીમાં 24 કલાકથી ધારણા કરી રહ્યા છે. ધારાસભ્યો સહિત ખેડૂત આગેવાનોની માંગ છે કે, સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ખેડૂતોને જે પાક વીમા સહાય ચૂકવવામાં આવી છે, તેના આંકડા જાહેર કરવામાં આવે. આ બાબતે સોમવારે ખેતી નિયામકની સાથે 30 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ અધિકારી પોતાની ચેમ્બર છોડીને મિટિંગમાં જવાનું કહીને ગયા હતા. પરંતુ અધિકારી બીજા દિવસ સુધી પણ જોવા મળ્યા નથી. જ્યારે ધરણા કરી રહેલા આગેવાનોએ કચેરીમાં જ રાતનું ભોજન લીધું હતું અને આરામ પણ ફરમાવ્યો હતો.

કોંગી 3 MLAએ અધિકારીની કચેરીમાં 24 કલાક ધરણાં યોજયા

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કૃષિ નિયામક કચેરીમાં મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, 24 કલાકથી ધારાસભ્યો ખેતી નિયામક BM મોદીની ચેમ્બરમાં ધરણાં ઉપર બેઠા છે, સરકારને ખેડૂતોની પડી નથી. ત્યારે ખેડૂત વિરોધી ભાજપ સરકારને તેનો જવાબ મળશે. આ બાબતે હવે ધારાસભ્ય સહિતના આગેવાનો કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારબાદ તેમની માંગણી નહીં સંતોષાય તો ગુજરાતના રાજ્યપાલને પણ આવેદન આપી તેમની રજૂઆત કરશે.

ગાંધીનગર પાસે આવેલા કૃષિ ભવનમાં ખેતી નિયામકની કચેરીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય ચિરાગ કાલરીયા, બ્રિજેશ મેરજા અને ઋત્વિક મકવાણા દ્વારા સહીત કિસાન આગેવાન પાલ આંબલીયા કચેરીમાં 24 કલાકથી ધારણા કરી રહ્યા છે. ધારાસભ્યો સહિત ખેડૂત આગેવાનોની માંગ છે કે, સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ખેડૂતોને જે પાક વીમા સહાય ચૂકવવામાં આવી છે, તેના આંકડા જાહેર કરવામાં આવે. આ બાબતે સોમવારે ખેતી નિયામકની સાથે 30 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ અધિકારી પોતાની ચેમ્બર છોડીને મિટિંગમાં જવાનું કહીને ગયા હતા. પરંતુ અધિકારી બીજા દિવસ સુધી પણ જોવા મળ્યા નથી. જ્યારે ધરણા કરી રહેલા આગેવાનોએ કચેરીમાં જ રાતનું ભોજન લીધું હતું અને આરામ પણ ફરમાવ્યો હતો.

કોંગી 3 MLAએ અધિકારીની કચેરીમાં 24 કલાક ધરણાં યોજયા

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કૃષિ નિયામક કચેરીમાં મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, 24 કલાકથી ધારાસભ્યો ખેતી નિયામક BM મોદીની ચેમ્બરમાં ધરણાં ઉપર બેઠા છે, સરકારને ખેડૂતોની પડી નથી. ત્યારે ખેડૂત વિરોધી ભાજપ સરકારને તેનો જવાબ મળશે. આ બાબતે હવે ધારાસભ્ય સહિતના આગેવાનો કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારબાદ તેમની માંગણી નહીં સંતોષાય તો ગુજરાતના રાજ્યપાલને પણ આવેદન આપી તેમની રજૂઆત કરશે.

Intro:હેડિંગ) રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત અધિકારીની કચેરીમાં 24 કલાક ધરણાં યોજયા

ગાંધીનગર,

સમગ્ર રાજ્યમા પ્રથમ વખત અજીબો-ગરીબ કિસ્સો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર શહેરમાં સેક્ટર 6 સત્યાગ્રહ છાવણીમાં ધારણા કરતાં નાગરિકોને જોયા છે. પરંતુ કોઈ અધિકારીની કચેરીમાં સતત 24 કલાક સુધી ધરણા કરવામાં આવ્યા હોય અને તે પણ ત્રણ ત્રણ ધારાસભ્યો દ્વારા તે કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળી રહ્યું છે સમગ્ર રાજ્યમાં પાક વીમા સહાય ખેડૂતોની ચૂકવી દેવામાં આવી છે. પરંતુ કેટલાક ખેડૂતોને કેટલી સહાય ચૂકવવામાં આવી તેની માહિતી મેળવવા માટે ગુજરાતના ધારાસભ્યોને ધરણા કરવા પડી રહ્યા છે, તે પણ એક મોટી બાબત છે. સોમવારે બાર વાગ્યે ધારણાની શરૂઆત કરી હતી. તે મંગળવારે 12 વાગ્યા સુધી પણ સંતોષાતા નહીં ધારાસભ્યો આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે.


Body:ગાંધીનગર પાસે આવેલા કૃષિ ભવનમાં ખેતી નિયામકની કચેરીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય ચિરાગ કાલરીયા, બ્રિજેશ મેરજા અને ઋત્વિક મકવાણા દ્વારા સહીત કિસાન આગેવાન પાલ આંબલીયા કચેરીમાં ચોવીસ કલાકથી ધારણા કરી રહ્યા છે. ધારાસભ્યો સહિત ખેડૂત આગેવાનોની માંગ છે કે, સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ખેડૂતોને જે પાક વીમા સહાય ચૂકવવામાં આવી છે, તેના આંકડા જાહેર કરવામાં આવે. ગઈકાલ સોમવારે ખેતી નિયામકની સાથે 30 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ અધિકારી પોતાની ચેમ્બર છોડીને મિટિંગમાં જવાનું કહીને ગયા હતા. પરંતુ અધિકારી બીજા દિવસ સુધી પણ જોવા મળ્યા નથી. જ્યારે ધારણા કરી રહેલા આગેવાનોએ કચેરીમાં જ રાતનું ભોજન લીધું હતું અને આરામ પણ ફરમાવ્યો હતો.


Conclusion:પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કૃષિ નિયામક કચેરીમાં મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, 24 કલાકથી ધોરણ ધારાસભ્યો ખેતી નિયામક બી એમ મોદીની ચેમ્બરમાં ધરણાં ઉપર બેઠા છે, સરકારને ખેડૂતોની પડી નથી. ત્યારે ખેડૂત વિરોધી ભાજપ સરકારને તેનો જવાબ મળશે. આ બાબતે હવે ધારાસભ્ય સહિતના આગેવાનો કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારબાદ તેમની માંગણી નહીં સંતોષાય તો ગુજરાતના રાજ્યપાલને પણ આવેદન આપી તેમની રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને કદાચ દેશના પહેલો બનાવશે કે ધારાસભ્યો સહિતનું ડેલિગેશને એક ચેમ્બરમાં ધારણા કર્યા હોય ભોજન લીધું હોય અને આરામ ફરમાવ્યો હોય.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.