ETV Bharat / state

ઓખા નગરપાલિકાનો વેરો ન ભરતા વેપારીઓની મિલકતને કરાશે સીલ

દ્વારકા: તાલુકાની ઓખા નગરપાલિકાના સમુદ્ર કાંઠે આવેલા 800થી 1000 જેટલા માછીમારના નાના-મોટા વેપારીઓ વર્ષોથી પોતાનો ધંધો રોજગાર ચલાવે છે. ત્યારે આ વેપારીઓ વર્ષે લાખો રૂપિયા સરકારને હુંડીયામણ કમાઈને આપે છે. પરંતુ વાત એમ છે કે, આ માછીમારો જે સ્થળ પર પોતાના વેપાર ધંધા કરે છે, તે જ જમીન ઓખા નગરપાલિકા હદ વિસ્તારની છે.

author img

By

Published : May 19, 2019, 8:31 PM IST

ઓખા નગરપાલિકાનો વેરો ન ભરતા વેપારીઓની મિલકતને કરાશે સીલ

ઓખા નગરપાલિકા દ્વારા આ વેપારીઓને વારંવાર લેખિત અને મૌખિક નોટીસો આપવા છતાં પણ આજ દિન સુધી મોટા ભાગના વેપારીઓ વેરો ભરતા નથી. આ અંગે લોકસભા ચૂંટણી પહેલા ઓખા નગરપાલિકા દ્વારા વેપારીઓને લેખિતમાં નોટીસ ફટકારવામાં આવી હતી.

ઓખા નગરપાલિકાનો વેરો ન ભરતા વેપારીઓની મિલકતને કરાશે સીલ

વેપારીઓ દ્વારા બાકી વેરોના ભરાતા ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા પોલીસ બંદોબસ્ત કરીને કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં વેપારીના સ્થળો પર જઈને તેના જમીનના ક્ષેત્રફળના હિસાબે હાજર દંડની વસુલી કરવામાં આવી હતી. જો કોઈ વેપારી આ દંડ ફરશે નહીં, તો તેની મિલકતને ટાંચમાં લઈને સીલ તેમજ જપ્ત કરવાની કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

આ અંગે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર સી. બી. ડુડિયાએ જણાવ્યું કે, ઓખા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અચાનક કડક કાર્યવાહી કરતા માછીમાર વેપારીઓ હરકતમાં આવી ગયા હતા. તેમજ તાત્કાલિક વેરા ભરવાની વ્યવસ્થા કરવા દોડી ગયા હતા. જ્યારે અમુક વેપારીઓ વેરા ના ભરતા નગરપાલિકા દ્વારા તેની મિલકતને સીલ મારી ટાંચમાં પણ લેવામાં હતી.

ઓખા નગરપાલિકા દ્વારા આ વેપારીઓને વારંવાર લેખિત અને મૌખિક નોટીસો આપવા છતાં પણ આજ દિન સુધી મોટા ભાગના વેપારીઓ વેરો ભરતા નથી. આ અંગે લોકસભા ચૂંટણી પહેલા ઓખા નગરપાલિકા દ્વારા વેપારીઓને લેખિતમાં નોટીસ ફટકારવામાં આવી હતી.

ઓખા નગરપાલિકાનો વેરો ન ભરતા વેપારીઓની મિલકતને કરાશે સીલ

વેપારીઓ દ્વારા બાકી વેરોના ભરાતા ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા પોલીસ બંદોબસ્ત કરીને કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં વેપારીના સ્થળો પર જઈને તેના જમીનના ક્ષેત્રફળના હિસાબે હાજર દંડની વસુલી કરવામાં આવી હતી. જો કોઈ વેપારી આ દંડ ફરશે નહીં, તો તેની મિલકતને ટાંચમાં લઈને સીલ તેમજ જપ્ત કરવાની કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

આ અંગે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર સી. બી. ડુડિયાએ જણાવ્યું કે, ઓખા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અચાનક કડક કાર્યવાહી કરતા માછીમાર વેપારીઓ હરકતમાં આવી ગયા હતા. તેમજ તાત્કાલિક વેરા ભરવાની વ્યવસ્થા કરવા દોડી ગયા હતા. જ્યારે અમુક વેપારીઓ વેરા ના ભરતા નગરપાલિકા દ્વારા તેની મિલકતને સીલ મારી ટાંચમાં પણ લેવામાં હતી.

એન્કર ;-  ઓખા નગર પાલિકા વિસ્તારના માછીમારીના વેપારીઓ જમીન વેરો ના ભરતા નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી 

    દ્વારકા તાલુકાની ઓખા નગરપાલિકાના સમુદ્ર કાઠે આવેલા અંદાજે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા માછીમારના નાના મોટા વેપારીઓ વર્ષોથી પોતાના ધંધા રોજગાર ચલાવે છે.અને આ વેપારીઓ  વર્ષે લાખો રૂ સરકારને હુંડીયામણ કમાઈને આપી છે.પરંતુ આ માછીમારો જે સ્થળ ઉપર પોતાના વેપાર ધંધા કરે છે.તે  જમીન ઓખા નગરપાલિકા હદ વિસ્તારની છે.આથી ઓખા નગરપાલિકા દ્વારા આ વેપારીઓને વારંવાર લેખિત અને મોખિક નોટીસો આપવા છતા,પણ આજ દિન સુધી મોટા ભાગના વેપારીઓ વેરો ભરતા નહિ ,લોકસભા ચુંટણી પહેલા પણ ઓખા નગરપાલિકા દ્વારા વેપારીઓને લેખિત માં નોટીસ આપવામાં આવી હતી ,તેમ છતા વેપારીઓ દ્વારા બાકી વેરો ના ભરતા આજે ઓખા નગરપાલિકાના ચીફ ઓફસર અને ઓખા નગરપાલિકાના પ્રમુખ દ્વારા પોલીસ બંદોબસ્ત રાખી કડક કાર્યવાહી કરી હતી અને એક એક વેપારીના સ્થળો ઉપર જઈને તેના જમીનના ક્ષેતેફળ ના હિસાબે હાજર દંડની વસુલી કરી હતી,તેમ છતાં જો કીઇ વેપારી આ દંડ ના ભરે તો તેની મિલકતને ટાંચ માં લઈને સીલ જપ્ત કરવાની પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
   ઓખા નગરપાલિકના સતાધીસો દ્વારા અચાનક કડક કાર્યવાહી કરતા માછીમાર વેપારીઓ હરકતમાં આવી ગયા હતા અને તાત્કાલિક વેરા ભરવાની વ્યાવસ્થા કરવા દોડી ગયા હતા.જયારે અમુક વેપારીઓ વેરા ના ભરતા નગરપાલિકા દ્વારા તેની મિલકતને સીલ મારી ટાંચમાં પણ લેવામાં હતી. આજના એક દિવસના જ વેરા વસૂલીમાં રૂ  ૧૫ લાખા જેટલી માતબર રકમનો વેરો જમા થયો હતો અને આ કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે તેનું ઓખા નગરપાલિકના ચીફ ઓફિસર સી.બી. ડુડિયાએ જણાવ્યું હતું .

બાઈટ  ૦૧ ;- સી.બી. ડુડિયા , ઇન.ચાર્જ.  ચીફ ઓફિસર , ઓખા નગરપાલિકા .

રજનીકાંત જોષી 
ઈ.ટી.વી. ભારત ,
દ્વારકા 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.