ETV Bharat / state

દ્વારકામાં 5 કરોડના ખર્ચે તૈયાર થયેલા અતિથિગૃહનું નાયબ મુખ્યપ્રધઆનન હસ્તે લોકાર્પણ

દ્વારકાઃ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ શનિવારે દ્વારકા આવી પહોંચ્યા હતા. પરિવાર સાથે દ્વારકા આવેલા નીતિન પટેલે અતિથિગૃહનું લોકાર્પણ કર્યું હતુ. તેમજ શનિવારે તેમનો 64મો જન્મદિન હોવાથી તેઓએ યાત્રાધામમાં દર્શન કરી વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.

author img

By

Published : Jun 23, 2019, 3:13 AM IST

hd

પોતાના જન્મદિને નાયબ મુખ્યપ્રધાને દ્વારકાધીશને ધજા ચઢાવી આશીર્વાદ લીધા હતા, ઉપરાંત તેમણે પૂજા-અર્ચના કરી શોભાયાત્રા કાઢી હતી. બાદમાં તેમણે દ્વારકા ખાતે નવનિર્મિત અતિથિગૃહને ખુલ્લું મુક્યુ હતુ. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે દિલ્હીમાં નર્મલા સીતારમનને પીવાના પાણી અને સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા કરી છે. ઉપરાંત ગુજરાતને વધુ ગ્રાન્ટ આપવાની માંગણી કરી હતી. આશાવર્કર માટે માનદ વેતન વધારવા અને પાકા રસ્તાઓને પહોળા કરવા સહિતની ચર્ચા કરી હતી. રાજ્યમાં દારૂબંધીના કારણે ગુજરાતને એક્સાઈઝ તથા વેંટની 10થી 20 હજાર કરોડ જેટલી રકમની ખોટ જતી હોવાથી કલ્યાણકારી રાજ્ય તરીકે ગુજરાતને ગ્રાન્ટ થકી આ ખોટની ભરપાઈ કરી આપવાની માંગ કરી છે. મગફળી કૌભાંડના પ્રશ્નનો જવાબ આપવાનું નાયબ મુખ્યપ્રધાને ટાળ્યું હતુ.

દ્વારકામાં 5 કરોડના ખર્ચે તૈયાર થયેલા અતિથિગૃહનું નાયબ મુખ્યપ્રધઆનન હસ્તે લોકાર્પણ

તેમણે જણાવ્‍યું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના પ્રયાસથી દેવભૂમિ દ્વારકા જિલ્‍લાને ૭૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર સીગ્‍નેચરબ્રિજની સુવિધા પ્રાપ્‍ત થશે. વહેલી તકે આ કામ થાય તેવા પ્રવાસો કરવામાં આવી રહ્યા છે. જેથી લાખો યાત્રાળુઓને આ સુવિધાનો લાભ મળશે. સાંસદ પુનમ માડમની ખંભાળીયા ખાતે પણ દ્વારકા જેવું સર્કિટ હાઉસ બનાવવાની રજુઆત ધ્‍યાને લઇ નાયબ મુખ્‍યપ્રધાને જિલ્‍લા મથક ખંભાળીયા ખાતે પણ ભવ્‍ય આરામગૃહ બનાવવાની ગ્રાન્‍ટનો નવા બજેટમાં સમાવેશ કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું. દેવભૂમિ દ્વારકાના પ્રભારીમંત્રી તથા રાજ્ય પ્રવાસન અને મત્‍યઉદ્યોગ પ્રધાન જવાહરભાઇ ચાવડા, સાંસદ પુનમબેન માડમ તથા પબુભા માણેકે નાયબ મુખ્‍યપ્રધાન નિતિનભાઇ પટેલને તેમના જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી સરકાર તરફથી દ્વારકાને સર્કિટ હાઉસની ભેટ આપવા બદલ આભાર વ્‍યકત કર્યો હતો.

અત્રે ઉલ્‍લેખનિય છે કે ૫.૩૧ કરોડના તૈયાર થયેલ આ આરામગૃહનો વિસ્‍તાર ગ્રાઉન્‍ડ ફલોર, ફસ્‍ટ ફલોર અને સ્‍ટેર કેબિન સહિત ૨૧૬૧.૫૦ ચો.મી. છે. જેમાં વી.વી.આઇ.પી. સ્‍યુટ-૪, વી.આઇ.પી. સ્‍યુટ-૪, વી.આઇ.પી. રૂમ ૧૦, કોન્‍ફરન્‍સ રૂમ, ડાઇનીંગ રૂમ, વેઇટીંગ રૂમ, ફાઇર ફાઇટીંગ સીસ્‍ટમ, લીફટ તથા વિશાળ પાર્કીંગની સુવિધા તેમજ ભુકંપ પ્રતિરોધક આર.સી.સી. ફેમ સ્‍ટ્રકચર બિલ્‍ડીંગ છે.

આ કાર્યક્રમમાં જિલ્‍લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, જિલ્‍લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા, દ્વારાક તા.પં. પ્રમુખ લુણાભા, નગરપાલિકા પ્રમુખ જીતુભા, ઓખા નગરપાલીકા પ્રમુખ ચેનતભા માણેક, ભાજપ અગ્રણી સર્વ મોહનભાઇ બારાઇ, પરેશભાઇ ઝાખરીયા, પાલભાઇ કરમુર, હિતેશભાઇ પીંડારીયા, રમેશભાઇ હેરમા, હરિભાઇ આધુનિક, માર્ગ અને મકાનના સચિવ વસાવા, કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીના, જિલ્‍લા વિકાસ અધિકારી મનીષકુમાર બંસલ, માર્ગ મકાન કાર્યપાલક ઇજનેર ઓજા, એ.એસ.પી. સુંબે, માર્ગ અને મકાન વિભાગના ચાવડા, પટેલ, પટેલીયા સહિત અધિકારીઓ અગ્રણીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

પોતાના જન્મદિને નાયબ મુખ્યપ્રધાને દ્વારકાધીશને ધજા ચઢાવી આશીર્વાદ લીધા હતા, ઉપરાંત તેમણે પૂજા-અર્ચના કરી શોભાયાત્રા કાઢી હતી. બાદમાં તેમણે દ્વારકા ખાતે નવનિર્મિત અતિથિગૃહને ખુલ્લું મુક્યુ હતુ. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે દિલ્હીમાં નર્મલા સીતારમનને પીવાના પાણી અને સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા કરી છે. ઉપરાંત ગુજરાતને વધુ ગ્રાન્ટ આપવાની માંગણી કરી હતી. આશાવર્કર માટે માનદ વેતન વધારવા અને પાકા રસ્તાઓને પહોળા કરવા સહિતની ચર્ચા કરી હતી. રાજ્યમાં દારૂબંધીના કારણે ગુજરાતને એક્સાઈઝ તથા વેંટની 10થી 20 હજાર કરોડ જેટલી રકમની ખોટ જતી હોવાથી કલ્યાણકારી રાજ્ય તરીકે ગુજરાતને ગ્રાન્ટ થકી આ ખોટની ભરપાઈ કરી આપવાની માંગ કરી છે. મગફળી કૌભાંડના પ્રશ્નનો જવાબ આપવાનું નાયબ મુખ્યપ્રધાને ટાળ્યું હતુ.

દ્વારકામાં 5 કરોડના ખર્ચે તૈયાર થયેલા અતિથિગૃહનું નાયબ મુખ્યપ્રધઆનન હસ્તે લોકાર્પણ

તેમણે જણાવ્‍યું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના પ્રયાસથી દેવભૂમિ દ્વારકા જિલ્‍લાને ૭૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર સીગ્‍નેચરબ્રિજની સુવિધા પ્રાપ્‍ત થશે. વહેલી તકે આ કામ થાય તેવા પ્રવાસો કરવામાં આવી રહ્યા છે. જેથી લાખો યાત્રાળુઓને આ સુવિધાનો લાભ મળશે. સાંસદ પુનમ માડમની ખંભાળીયા ખાતે પણ દ્વારકા જેવું સર્કિટ હાઉસ બનાવવાની રજુઆત ધ્‍યાને લઇ નાયબ મુખ્‍યપ્રધાને જિલ્‍લા મથક ખંભાળીયા ખાતે પણ ભવ્‍ય આરામગૃહ બનાવવાની ગ્રાન્‍ટનો નવા બજેટમાં સમાવેશ કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું. દેવભૂમિ દ્વારકાના પ્રભારીમંત્રી તથા રાજ્ય પ્રવાસન અને મત્‍યઉદ્યોગ પ્રધાન જવાહરભાઇ ચાવડા, સાંસદ પુનમબેન માડમ તથા પબુભા માણેકે નાયબ મુખ્‍યપ્રધાન નિતિનભાઇ પટેલને તેમના જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી સરકાર તરફથી દ્વારકાને સર્કિટ હાઉસની ભેટ આપવા બદલ આભાર વ્‍યકત કર્યો હતો.

અત્રે ઉલ્‍લેખનિય છે કે ૫.૩૧ કરોડના તૈયાર થયેલ આ આરામગૃહનો વિસ્‍તાર ગ્રાઉન્‍ડ ફલોર, ફસ્‍ટ ફલોર અને સ્‍ટેર કેબિન સહિત ૨૧૬૧.૫૦ ચો.મી. છે. જેમાં વી.વી.આઇ.પી. સ્‍યુટ-૪, વી.આઇ.પી. સ્‍યુટ-૪, વી.આઇ.પી. રૂમ ૧૦, કોન્‍ફરન્‍સ રૂમ, ડાઇનીંગ રૂમ, વેઇટીંગ રૂમ, ફાઇર ફાઇટીંગ સીસ્‍ટમ, લીફટ તથા વિશાળ પાર્કીંગની સુવિધા તેમજ ભુકંપ પ્રતિરોધક આર.સી.સી. ફેમ સ્‍ટ્રકચર બિલ્‍ડીંગ છે.

આ કાર્યક્રમમાં જિલ્‍લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, જિલ્‍લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા, દ્વારાક તા.પં. પ્રમુખ લુણાભા, નગરપાલિકા પ્રમુખ જીતુભા, ઓખા નગરપાલીકા પ્રમુખ ચેનતભા માણેક, ભાજપ અગ્રણી સર્વ મોહનભાઇ બારાઇ, પરેશભાઇ ઝાખરીયા, પાલભાઇ કરમુર, હિતેશભાઇ પીંડારીયા, રમેશભાઇ હેરમા, હરિભાઇ આધુનિક, માર્ગ અને મકાનના સચિવ વસાવા, કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીના, જિલ્‍લા વિકાસ અધિકારી મનીષકુમાર બંસલ, માર્ગ મકાન કાર્યપાલક ઇજનેર ઓજા, એ.એસ.પી. સુંબે, માર્ગ અને મકાન વિભાગના ચાવડા, પટેલ, પટેલીયા સહિત અધિકારીઓ અગ્રણીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

  એન્કર  ;- દ્વારકા ખાતે આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે દ્વારકામા 5 કરોડના ખર્ચે બનેલ અતિથિગૃહનું લોકાર્પણ પોતાના જન્મદિવસે કર્યું હતું 
      દ્વારકા ખાતે આજે ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારકા આવી પહોંચ્યા હતા પોતાના પરિવાર સાથે આવેલા નીતિન પટેલે દ્વારકાધીશને પોતાના જન્મદિવસે ધ્વજા ચડાવી પૂજા અતી.દ્વારકા ખાતે આજે અતિથિ ગૃહના લોકાર્પણ પ્રસંગે દ્વારકા આવ્યા હોય તેઓ પરિવાર સાથે દ્વારકા આવ્યા હતા જ્યા તેમને પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશને ધ્વજા ચડાવી હતી પોતાના પરિવાર સાથે આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દ્વારકાધીશ ની પાદુકા પૂજન સહિત પૂજા અર્ચના કરી ધ્વજા ચડાવી શોભાયાત્રા કાઢી હતી આ તકે તેમણે જણાવ્યું હતું કે ગઈ દિલ્હીમા નિર્મલા સીતારામન ને પીવાના પાણી અને સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા કરી હતી અને ગુજરાત ને વધુ ગ્રાન્ટ સરકાર આપે તેવી માંગ કરી હતી આશાવર્કર માટે માનદ વેતન વધારવા તેમજ પાકા રસ્તાઓ ને પહોળા કરવા સહિત ની ચર્ચા કરી હતી તેમજ દારૂબંધીને કારણે ગુજરાતને એકસાઇઝ તથા  વેંટ તરીકેની 10 હજાર કરોડ થી માંડી 20 હજાર કરોડ સુધીની આવક જે થવી જોઈએ તે થતી નથી બંધારણના કલ્યાણકારી રાજ્યો છે તેમાં દારૂબંધીના કારણે ગુજરાત જે આવક ગુમાવે છે તેની ગ્રાન્ટ આપી ભરપાઈ કરે તેવી માંગ કરવાંમા આવી છે તેમજ ગ્રાન્ટેબલ શાળાઓ મા કેન્દ્ર સરકાર યોગ્ય મદદ કરે તેવી માંગ કરી છે તેમજ ગાંધીધામ મગફળી કાંડ બાબતે પોતે અજાણ હોઈ આ બાબતે કૃષિમંત્રીને વધારે જાણકારી હશે તેવો જવાબ આપ્યો હતો તેમજ મહિલા સુરક્ષા બાબતે ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને તાત્કાલિક મહિલાઓની ફરિયાદોનું નિવારણ તાત્કાલિક અસરથી થઈ રહ્યું છે તેવું જણાવ્યું હતું  

      દેવભૂમિ દ્વારકા તા.૨૨, ચાર ધામ પૈકીના પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે રૂા.૫.૩૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ આરામગૃહનું આજે રાજયના નાયબ મુખ્‍યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલે લોકાર્પણ કરી જણાવ્‍યું હતું કે આજે મારા જન્‍મ દિવસે ભગવાન દ્વારકાધિશની ધ્‍વજા ચડાવવાનું તથા આરામગૃહનું લોકાર્પણ કરવાનું સદભાગ્‍ય પ્રાપ્‍ત થયું છે. પવિત્ર યાત્રાધામ દ્વારકા વિશ્વપ્રસિધ્‍ધ ધામ અને કૃષ્‍ણના જીવન સાથે જોડાયેલ છે.  આ ધામમાં લાખો યાત્રાળુઓ, રાષ્‍ટ્રપતિ, વડાપ્રધાન, રાજયપાલશ્રીઓ, મુખ્‍યમંત્રીશ્રીઓ ભગવાનના આશિર્વાદ લેવા આવતા હોય છે. ત્‍યારે દ્વારકાનું ગૌરવ તેમજ સગવડતામાં વધારો થાય એવું આ આરામગૃહનું આજે લોકાર્પણ થયું છે. નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ સીગ્‍નેચરબ્રીજની પણ મુલાકાત લીધી હતી. 
તેમણે જણાવ્‍યું કે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના પ્રયાસથી દેવભૂમિ દ્વારકા જિલ્‍લાને ૭૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર સીગ્‍નેચરબ્રિજની સુવિધા પ્રાપ્‍ત થશે. વહેલી તકે આ કામ  તૈયાર થાય તેવા પ્રવાસો કરવામાં આવી રહયા છે. જેથી લાખો યાત્રાળુઓને આ સુવિધાનો લાભ મળશે. સાંસદશ્રી પુનમબેન માડમની ખંભાળીયા ખાતે પણ દ્વારકા જેવું સર્કિટ હાઉસ બનાવવાની રજુઆત ધ્‍યાને લઇ નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ જિલ્‍લા મથક ખંભાળીયા ખાતે પણ ભવ્‍ય આરામગૃહ બનાવવાની ગ્રાન્‍ટનો નવા બજેટમાં સમાવેશ કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.   દેવભૂમિ દ્વારકાના પ્રભારી મંત્રી તથા રાજયના પ્રવાસન અને મત્‍યઉદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, સાંસદશ્રી પુનમબેન માડમ તથા શ્રી પબુભા માણેકે નાયબ મુખ્‍યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલને તેમના જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી સરકાર તરફથી દ્વારકાને સર્કિટ હાઉસની ભેટ આપવા બદલ આભાર વ્‍યકત કર્યો હતો. 
      અત્રે ઉલ્‍લેખનિય છે કે ૫.૩૧ કરોડના તૈયાર થયેલ આ આરામગૃહનો વિસ્‍તાર ગ્રાઉન્‍ડ ફલોર, ફસ્‍ટ ફલોર અને સ્‍ટેર કેબિન સહિત ૨૧૬૧.૫૦ ચો.મી. છે. જેમાં વી.વી.આઇ.પી. સ્‍યુટ-૪, વી.આઇ.પી. સ્‍યુટ-૪, વી.આઇ.પી. રૂમ ૧૦, કોન્‍ફરન્‍સ રૂમ, ડાઇનીંગ રૂમ, વેઇટીંગ રૂમ, ફાઇર ફાઇટીંગ સીસ્‍ટમ, લીફટ તથા વિશાળ પાર્કીંગની સુવિધા તેમજ ભુકંપ પ્રતિરોધક આર.સી.સી. ફેમ સ્‍ટ્રકચર બિલ્‍ડીંગ છે. 
    આ કાર્યક્રમમાં જિલ્‍લા ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઇ ચાવડા, જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી પી.એસ. જાડેજા, દ્વારાક તા.પં. પ્રમુખ શ્રી લુણાભા, નગરપાલિકા પ્રમુખ શ્રી જીતુભા, ઓખા નગરપાલીકા પ્રમુખ શ્રી ચેનતભા માણેક, ભાજપ અગ્રણી સર્વશ્રી મોહનભાઇ બારાઇ, પરેશભાઇ ઝાખરીયા, પાલભાઇ કરમુર, હિતેશભાઇ પીંડારીયા, રમેશભાઇ હેરમા, હરિભાઇ આધુનિક, માર્ગ અને મકાનના સચિવશ્રી વસાવા, કલેકટરશ્રી ડો. નરેન્‍દ્રકુમાર મીના, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી મનીષકુમાર બંસલ, માર્ગ મકાન કાર્યપાલક ઇજનેરશ્રી ઓજા, એ.એસ.પી. શ્રી સુંબે, માર્ગ અને મકાન વિભાગના શ્રી ચાવડા, શ્રી પટેલ, શ્રી પટેલીયા સહિત અધિકારીશ્રીઓ અગ્રણીઓ વગેરે ઉપસ્‍થિત રહયા હતા. 

બાઈટ ;- નીતિન પટેલ , નાયબ મુખ્ય મંત્રી ,ગુજરાત રાજ્ય 

રજનીકાંત જોષી 
ઈ.ટી.વી. ભારત ,દ્વારકા 


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.