ETV Bharat / state

જાણો આ ગામના શહીદ થયેલા ફૌજી પરિવારની વ્યથા...

દ્રારકાઃ સમગ્ર દેશ જ્યારે શહીદો અને એમના પરિવાર માટે સન્માનની લાગણી રાખતો હોઈ છે, ત્યારે ગુજરાતનાં દ્વારકા જિલ્લાનાં નંદાણા ગામનાં શહીદ પરિવાર અપમાન સાથે દુખની લાગણી વ્યક્ત કરી રહ્યો છે.

author img

By

Published : May 21, 2019, 2:40 AM IST

જય જવાન જય કિસાન

ભારત દેશ માટે લોહીની બાજી લગાવનારા સૈનિકો અને તેમની દેશ પ્રત્યેની ભાવના જગ જાહેર છે. દેશ માટે બલિદાન આપનારા શહીદો માટે દેશની જનતા અપાર સન્માન આપતી હોય છે. પરંતુ વિકાસની વાતો કરતા ગુજરાતમા ફૌજી પરિવાર સાથે જે થયુ તે સાંભળીને ચોક્કસ તમારી આખોમા આંસુ આવી જશે.

ગુજરાતમાં દ્વારકાના જામકલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના શહીદ મોહનભાઈ મથરભાઈ ડાભીનો પરિવાર રહે છે. શહીદ મોહનભાઈ ડાભી જમ્મુ કશ્મીરના ડોડા ડિસ્ટ્રીક વિસ્તાર 17 આર .આરમાં ગયા જ્યા તેઓ 12-4-2002ના રોજ દેશ માટે શહીદ થયા હતા.

જાણો આ ગામના ફૌજી પરિવારની વ્યથા

2002માં જમ્મુ કાશ્મીરમા શહીદ થયેલા મોહનભાઈ ડાભીના પરિવારને સરકાર દ્વારા 37 વીઘા જમીન નંદાણા ગામે આપવામા આવી હતી. શહીદ પરિવારનાં માટે આપવામા આવેલી જમીન પાસે દ્વારકા જિલ્લાની બોક્સાઇટની દિગ્ગજ કંપનીની લીઝ આવેલી છે. છેલ્લા કેટલાય સમય આ શહીદ પરિવારની જમીન નજીક ખૂબ મોટા પ્રમાણમા ખનીજની હેરફેર થાય છે. ખનીજ માફિયાઓ દ્વારા તેમની જમીન પાસે ગેરકાયદેસર ખનન અને જમીન પણ હડપ કરી લેવાના આશયથી પરિવારને વાંરવાર પરેશાન કરવામાં આવે છે.

આ બાબતે પરિવાર દ્વારા તંત્રને લેખિત ફરિયાદ કરાતા ખનીજ માફિયાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામા આવ્યો હતો. જેના અનુસંધાને જામકલ્યાણપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગયેલા રણમલભાઈ ડાભીને પોલીસ સ્ટેશનનાં કર્મચારીએ ખુબ ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપતા પરિવાર પર આભ ફાટ્યું હતું. પરિવારનાં જણાવ્યા અનુસાર એક પોલીસ કર્મચારીએ એવુ જણાવ્યુ કે, શહીદ તમારા પરિવાર માટે થયો છે અમારા માટે નહી. આવા આઘાતજનક શબ્દો ફૌજી આર્મી પરિવાર માટે કાઢવામાં આવશે તેવી કલ્પના ફૌજી પરિવારનાં લોકોને પણ નહોતી.

આ અંગે સ્થાનિક તંત્રને જાણ હોવા છતાં આંખ આડા કાન કરતુું હતું. તેમજ ઉચ્ચ ક્ક્ષાએ રજૂઆતો કરવા છતા કોઈ પગલા લેવામાં ન આવતા આખરે પરિવારે સમાચાર માધ્યમો દ્વારા ઘટના બહાર પાડતા તંત્રને રેલો આવ્યો હતો.

આ અંગે દ્વારકાના માજી સૈનિક રામસિંગભા માણેક જોડે ઈ.ટી.વી. ભારતની ટીમે મુલાકાત કરતા તેમણે જણાવ્યું કે, આ એક અતિ દુઃખ દાયક અને શરમ જનક ઘટના કહેવાય. કારણે કે, એક તો ગુજરાતના યુવાનો ભારતીય ફોજમાં જતા નથી અને જો આવી ઘટના ઘટે તો કોઈ પરિવાર તેના પુત્ર કે પુત્રીને ફોજમાં મોકલશે નહી. તેમજ વધુમાં જણાવ્યું કે, દ્વારકા માજી સૈનિક મંડળ પણ હરકતમાં આવીને આ અંગે તંત્રે ઉચ્ચ કક્ષા રજૂઆતો કરી છે અને ભવિષ્યમાં પણ શહિદ મોહનભાઈના પરિવાર સાથે ઉભો રહી તમામ પ્રકારની મદદ કરશે. આ સમગ્ર ઘટના અંગે કલ્યાણપુર પોલીસને પૂછાતા કોઈ ઉત્તર મળ્યો નહોતો.

ભારત દેશ માટે લોહીની બાજી લગાવનારા સૈનિકો અને તેમની દેશ પ્રત્યેની ભાવના જગ જાહેર છે. દેશ માટે બલિદાન આપનારા શહીદો માટે દેશની જનતા અપાર સન્માન આપતી હોય છે. પરંતુ વિકાસની વાતો કરતા ગુજરાતમા ફૌજી પરિવાર સાથે જે થયુ તે સાંભળીને ચોક્કસ તમારી આખોમા આંસુ આવી જશે.

ગુજરાતમાં દ્વારકાના જામકલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના શહીદ મોહનભાઈ મથરભાઈ ડાભીનો પરિવાર રહે છે. શહીદ મોહનભાઈ ડાભી જમ્મુ કશ્મીરના ડોડા ડિસ્ટ્રીક વિસ્તાર 17 આર .આરમાં ગયા જ્યા તેઓ 12-4-2002ના રોજ દેશ માટે શહીદ થયા હતા.

જાણો આ ગામના ફૌજી પરિવારની વ્યથા

2002માં જમ્મુ કાશ્મીરમા શહીદ થયેલા મોહનભાઈ ડાભીના પરિવારને સરકાર દ્વારા 37 વીઘા જમીન નંદાણા ગામે આપવામા આવી હતી. શહીદ પરિવારનાં માટે આપવામા આવેલી જમીન પાસે દ્વારકા જિલ્લાની બોક્સાઇટની દિગ્ગજ કંપનીની લીઝ આવેલી છે. છેલ્લા કેટલાય સમય આ શહીદ પરિવારની જમીન નજીક ખૂબ મોટા પ્રમાણમા ખનીજની હેરફેર થાય છે. ખનીજ માફિયાઓ દ્વારા તેમની જમીન પાસે ગેરકાયદેસર ખનન અને જમીન પણ હડપ કરી લેવાના આશયથી પરિવારને વાંરવાર પરેશાન કરવામાં આવે છે.

આ બાબતે પરિવાર દ્વારા તંત્રને લેખિત ફરિયાદ કરાતા ખનીજ માફિયાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામા આવ્યો હતો. જેના અનુસંધાને જામકલ્યાણપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગયેલા રણમલભાઈ ડાભીને પોલીસ સ્ટેશનનાં કર્મચારીએ ખુબ ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપતા પરિવાર પર આભ ફાટ્યું હતું. પરિવારનાં જણાવ્યા અનુસાર એક પોલીસ કર્મચારીએ એવુ જણાવ્યુ કે, શહીદ તમારા પરિવાર માટે થયો છે અમારા માટે નહી. આવા આઘાતજનક શબ્દો ફૌજી આર્મી પરિવાર માટે કાઢવામાં આવશે તેવી કલ્પના ફૌજી પરિવારનાં લોકોને પણ નહોતી.

આ અંગે સ્થાનિક તંત્રને જાણ હોવા છતાં આંખ આડા કાન કરતુું હતું. તેમજ ઉચ્ચ ક્ક્ષાએ રજૂઆતો કરવા છતા કોઈ પગલા લેવામાં ન આવતા આખરે પરિવારે સમાચાર માધ્યમો દ્વારા ઘટના બહાર પાડતા તંત્રને રેલો આવ્યો હતો.

આ અંગે દ્વારકાના માજી સૈનિક રામસિંગભા માણેક જોડે ઈ.ટી.વી. ભારતની ટીમે મુલાકાત કરતા તેમણે જણાવ્યું કે, આ એક અતિ દુઃખ દાયક અને શરમ જનક ઘટના કહેવાય. કારણે કે, એક તો ગુજરાતના યુવાનો ભારતીય ફોજમાં જતા નથી અને જો આવી ઘટના ઘટે તો કોઈ પરિવાર તેના પુત્ર કે પુત્રીને ફોજમાં મોકલશે નહી. તેમજ વધુમાં જણાવ્યું કે, દ્વારકા માજી સૈનિક મંડળ પણ હરકતમાં આવીને આ અંગે તંત્રે ઉચ્ચ કક્ષા રજૂઆતો કરી છે અને ભવિષ્યમાં પણ શહિદ મોહનભાઈના પરિવાર સાથે ઉભો રહી તમામ પ્રકારની મદદ કરશે. આ સમગ્ર ઘટના અંગે કલ્યાણપુર પોલીસને પૂછાતા કોઈ ઉત્તર મળ્યો નહોતો.




   
   
 
  એન્કર -સમગ્ર દેશ જયારે શહીદો માટે અને એમના પરિવાર માતે  માન સન્માનની લાગણી રાખતો હોઈ છે ત્યારે ગુજરાતનાં દ્વારકાના જિલ્લાનાં નંદાણા ગામનાં શહીદ પરિવાર અપમાન સાથે દુખની લાગણી વ્યક્ત કરી રહ્યો છે 

    ભારત દેશ માટે લોહીની બાજી લગાવનારા સૈનિકો અને તેમની દેશ પ્રત્યેની ભાવના જગ જાહેર છે. દેશ માટે બલિદાન આપનારા શહીદો માટે દેશની જનતા અપાર માન સન્માન આપતી હોઈ છે,પરંતુ  વિકાસની વાતો કરતા ગુજરાતમા ફૌજી પરિવાર સાથે જે થયુ તે સાંભડીને ચોક્કસ તમારી આખોમા આંસુ આવી જશે આ ઘટના છે .જરાતનાં છેવાડાના દ્વારકાના જામકલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના  શહીદ મોહનભાઈ મથરભાઈ ડાભીનો  પરિવાર રહે  છે. શહીદ મોહનભાઈ ડાભી જમ્મુ કશ્મીરમા ડોડા ડીસ્ટ્રીક વિસ્તારમા 17 આર .આર ગયા જયા  તેઓ 12-4-2002 ના રોજ  દેશ માટે  શહીદ થયા હતા.

    2002 મા જમ્મુ કાશ્મીરમા શહીદ  થયેલ મોહનભાઈ ડાભીના પરિવારને સરકાર દ્વારા 37 વીઘા જમીન નંદાણા ગામે આપવામા આવેલ હતી. શહીદ પરિવારનાં માટે આપવામા આવેલ જમીન પાસે દ્વારકા જિલ્લાની બોક્સાઇટની દિગ્ગજ કંપનીની લીઝ આવેલ છે. અહી પુષ્કળ  પ્રમાણમા કીમતી બોક્સાઇટ ખનીજ હોઈ, છેલ્લા કેટલાય સમય આ  શહીદ પરિવારની જમીન નજીક  ખૂબ મોટા પ્રમાણમા ખનીજની હેરફેર થાય છે. શહીદ પરિવારને  આપવામા આવેલ જમીનમા તેમજ આસપાસ વ્યાપક પ્રમાણમા ખનીજ હોઈ ખનીજ માફિયાઓ દ્વારા તેમની જમીન પાસે ગેરકાયદેસર ખનન કરવામા આવતુ હોઈ ,અને સહીદ પરિવારની જમીન પણ હડપ કરી લેવાના આશય થી પરિવારને વારવાર પરેશાન કરવામાં આવતો હાય ,આ  બાબતે શહીદ પરિવાર દ્વારા તંત્રને લેખિત ફરિયાદ કરાતા ખનીજ માફિયાઓ દ્વારા આ શહીદ પરિવાર ઉપર જીવલેણ  હુમલો કરવામા આવ્યો હતો .જેના અનુસંધાને આ શહિદ પરિવાર દ્વારા જામકલ્યાણપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગયેલ ,જયા શહિદ મોહનભાઈ ડાભીના ભાઈ રણમલભાઈ ડાભીને પોલીસ સ્ટેશનનાં કર્મચારીએ ખુબ ઉધ્ધતાઈ ભર્યો જવાબ આપતા શહિદ પરિવાર પર આભા ફાટ્યું હતું. શહિદ પરિવારનાં જણાવ્યા અનુસાર એક પોલીસ કર્મચારીએ એવુ જણાવ્યુ કે શહીદ તમારા પરિવાર માટે થયો  છે અમારા માટે નહી ,આવા  આઘાતજનક શબ્દો એક ખાખી પાસે ફૌજી આર્મી પરિવાર માટે કાઢવામાં આવ્યે તેવી કલ્પના ફોજી શહિદ પરિવારનાં લોકોએ પણ નહોતી કરી.આ અંગે સ્થાનિક તંત્રને તમામ હકીકતની જાણ હોવા છતાં,આંખ આડા કાન કરીને ગયું છે.સ્થાનિક ભૂ માંફીયાઓ જોડે તંત્રે સાઠ ગાઠ હોવાની સહીદ પારવાર ઉચ્ચ ક્ક્ષાએ રજૂઆતો કરવા છતા કોઈ પગલા લેવામાં નાવતા આખરે સહીદ પરિવારે સમાચાર માધ્યમો દ્વારા સમગ્ર ઘટના બહાર પાડતા તંત્રને રેલો આવ્યો હતો.

     અંગે આ અંગે દ્વારકાના માજી  સૈનિક રામસિંગભા માણેક જોડે ઈ.ટી.વી. ભારતની ટીમે મુલાકાત કરતા તેમણે જણાવ્યું કે આ એક અતિ દુઃખ લાયક અને શરમ લાયક ઘટન કહેવાયા કારણે કે એક તો ગુજરાતના યુવાનો ભારતીય ફોજ માં જતા નથી અને જો આવી ઘટના ઘટે તો કોઈ પરિવાર તેને પુત્ર કે પુત્રીને ફોજમાં મોકલશે નહી તેમજ વધુમાં જણાવ્યું કે  દ્વારકા માજી સૈનિક મંડળ પણ હરકતમાં આવીને આ અંગે તંત્રે ઉચ્ચ કક્ષા રજૂઆતો કરી છે.અને ભવષ્યમાં આ શહિદ મોહનભાઈ ના પરિવાર સાથે ઉભો રહી તમામ પ્રકારની મદદ કરેશે . 
     આ સમગ્ર ઘટના અંગે કલ્યાણપુર પોલીશને પૂછાતા કોઈ ઉત્તર મળ્યો નહોતો . 

બાઈટ  ૦૧  ;- -રણમલભાઈ ડાભી -શહીદના ભાઈ
બાઈટ  ૦૨  ;-  રામસિંગભા માણેક , એક્ષ - આર્મી મેન ,દ્વારકા  

રજનીકાન્ત જોષી 
ઈ.ટી.વી. ભારત,
દ્વારકા 


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.