ETV Bharat / state

દ્વારકામાં પતિએ પોતાની જ પત્નીને કરી મૃત જાહેર, જાણો શું છે કારણ...

દ્વારકા: જિલ્લામાં એક પતિ દ્વારા પોતાની જીવિત પત્નીને મૃત ઘોષિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં દ્વારકામાં આવેલા રેતવા પાડા વિસ્તારમાં રહેતા રૂડી ચાનપા નામની મહિલાને તેના પતિ દ્વારા મૃતક જાહેર કરી દેવામાં આવી હતી.

author img

By

Published : May 19, 2019, 9:58 PM IST

દ્વારકામાં પતિએ પોતાની જ પત્નીને કરી મૃત જાહેર

આ સમગ્ર હકીકતની જાણ જ્યારે રૂડીબેન બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયા ત્યારે થઈ હતી. તેઓના પતિ નાયાભાઈ ચાનપાએ બેંકમાં પતિ-પત્નીના જોઈન્ટ એકાઉન્ટમાંથી પોતાની પત્નીનું નામ કમી કરાવવા માટે ખોટુ ડેથ સર્ટીફિકેટ રજૂ કર્યું હતું.

દ્વારકામાં પતિએ પોતાની જ પત્નીને કરી મૃત જાહેર

આ અંગે નાયાભાઈ ચાનપા પાસે ડેથ સર્ટીફિકેટ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, કેવી રીતે આવ્યું તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. આ સર્ટીફિકેટ દ્વારકા નગર પાલિકાની કચેરીમાંથી કાઢવામાં આવતું હોય છે. જેમાં દાખલા સાથે મરણ નોંધ સહિતની કામગીરી પ્રાથમિક તબક્કે કરવામાં આવતી હોય છે. ત્યારે આ મરણના દાખલાને લઈને દ્વારકા નગરપાલિકા પણ હરકતમાં આવીને તપાસ કરી રહી છે. ત્યારે હાલ તો આ મામલાની જાણ રૂડીબેનને થતા તેમણે આ મામલે પોતાના પતિ વિરૂદ્ધ દ્વારકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ પણ આ મામલે બેંક અને નગરપાલિકાના કર્મચારીઓની પૂછપરછ કરીને સત્ય જાણવા પ્રયાસ કરી રહી છે.

આ મામલે પ્રાથમિક તારણમાં નગરપાલિકા દ્વારા જે ડેથ સર્ટીફિકેટ તારીખ રજૂ કરવામાં આવી છે, તે નગરપાલિકાના રેકોર્ડ પર નથી. આ સમગ્ર મામલો પતિ નાયાભાઈ ચાનપા પર આવીને ઊભો રહે છે. તેણે આ સર્ટીફિકેટ ક્યાંથી બનાવ્યું અને કોણે આ મામલે મદદ કરી છે. ત્યારે આ પતિએ ખૂબ બુદ્ધિપૂર્વક મરણનાં દાખલાને આધારે બેંકમાં નામ કમી કરવા તખ્તો ઘડી કાઢ્યો હતો. આ મામલા અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર હકીકતની જાણ જ્યારે રૂડીબેન બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયા ત્યારે થઈ હતી. તેઓના પતિ નાયાભાઈ ચાનપાએ બેંકમાં પતિ-પત્નીના જોઈન્ટ એકાઉન્ટમાંથી પોતાની પત્નીનું નામ કમી કરાવવા માટે ખોટુ ડેથ સર્ટીફિકેટ રજૂ કર્યું હતું.

દ્વારકામાં પતિએ પોતાની જ પત્નીને કરી મૃત જાહેર

આ અંગે નાયાભાઈ ચાનપા પાસે ડેથ સર્ટીફિકેટ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, કેવી રીતે આવ્યું તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. આ સર્ટીફિકેટ દ્વારકા નગર પાલિકાની કચેરીમાંથી કાઢવામાં આવતું હોય છે. જેમાં દાખલા સાથે મરણ નોંધ સહિતની કામગીરી પ્રાથમિક તબક્કે કરવામાં આવતી હોય છે. ત્યારે આ મરણના દાખલાને લઈને દ્વારકા નગરપાલિકા પણ હરકતમાં આવીને તપાસ કરી રહી છે. ત્યારે હાલ તો આ મામલાની જાણ રૂડીબેનને થતા તેમણે આ મામલે પોતાના પતિ વિરૂદ્ધ દ્વારકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ પણ આ મામલે બેંક અને નગરપાલિકાના કર્મચારીઓની પૂછપરછ કરીને સત્ય જાણવા પ્રયાસ કરી રહી છે.

આ મામલે પ્રાથમિક તારણમાં નગરપાલિકા દ્વારા જે ડેથ સર્ટીફિકેટ તારીખ રજૂ કરવામાં આવી છે, તે નગરપાલિકાના રેકોર્ડ પર નથી. આ સમગ્ર મામલો પતિ નાયાભાઈ ચાનપા પર આવીને ઊભો રહે છે. તેણે આ સર્ટીફિકેટ ક્યાંથી બનાવ્યું અને કોણે આ મામલે મદદ કરી છે. ત્યારે આ પતિએ ખૂબ બુદ્ધિપૂર્વક મરણનાં દાખલાને આધારે બેંકમાં નામ કમી કરવા તખ્તો ઘડી કાઢ્યો હતો. આ મામલા અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દ્વારકા 

જીવિત પત્નીને મ્રુત ઘોષિત કરતો પતિ 

એન્કર -શુ કોઈ પતી પોતાની જીવિત પત્નીને મ્રૂત બતાવી શકે ખરું ? તો જવાબ છે હા આ  બનાવ છે તો દ્વારકાનો જયા પતિ એ કરેલ કારનામાંથી પત્ની અને તેનો પરિવાર શોક માં.


આ કલયુગમાં હવે લોકો ગમે તે હદ સુધી જતા હોઈ છે પણ શુ કોઈ અંગત સબંધોમાં પણ કોઈ છેલ્લી હદ સુધી જઈ શકે ખરું ? આ બનાવ છે દ્વારકા જિલ્લાનો છે જયા દ્વારકા રેતવા પાડા વિસ્તારમાં  રહેતા રૂડીબેન નાયાભાઈ ચાનપા નામના મહિલાની પગ નીચે ત્યારે જમીન સરકી ગઈ જયારે તેના પતિએ તેણે મ્રૂતક જાહેર કરી દિધી જી હા આ કડવું પણ વાસ્તવિક સત્ય હતુ જે રૂડીને પણ સ્વીકારવું પડયુ જયારે તેઓ બેન્કમાં પૈસા ઉપાડવા ગયા ત્યારે તેમને સમગ્ર હકીકત સામેં આવી કે તેઓના પતી નાયાભાઈ સનાભાઈ ચાનપા એ ખોટુ ડેથ મરણ સર્ટી રજૂ કરી બેન્કમાં એસ.બી.આઈ બેંક માં પતિ-પત્નીના જોઇન્ટ એકાઉન્ટમાં પોતાની પત્નીનુ નામ કમી કરવા ખોટુ મરણ સર્ટી રજૂ કર્યુ હતુ.આ સમગ્ર મામલો બહાર ત્યારે આવ્યો જયારે રુડીબેન પૈસાની જરૂરિયાત હોઈ બેંકમાં  પૈસા ઉપાડવા ગયા.

આ સમગ્ર મામલો સબંધોને દાગ લગાડનાર છે આ સમગ્ર કિસ્સાએ સભ્ય સમાજમાં ભારી ચર્ચાઓ જગાવી છે દ્વારકા જેવી પવિત્ર ભુમિ પર પતિના  આવા  પાપી ક્રૂત્યથી ચારે તરફ નિંદા થઈ રહી છે તો આ સમગ્ર બનાવ પણ અનેક સવાલો ઉભા કરે છે.એસ.બી .આઈ બેંકમાં જોઇન્ટ  એન્કાઉન્ટ ધરાવનાર આ બન્ને પતિ-પત્નીનાં નામે  વહીવટ થતો હોઈ ત્યારે પોતાની પત્નીનુ નામ કઢાવી નાખવા પતી નાયાભાઈ ચાનપા પાસે મરણનુ સર્ટી ક્યાંથી આવ્યુ કેમ આવ્યુ કેવી રીતે  આવ્યુ ? આ સર્ટી દ્વારકા નગર પાલીકાની કચેરીએ થી કાઢવામાં આવતુ હોઈ છે જેમા  દાખલા માતે મરણ નોંધ સહિતની કામગીરી પ્રાથમિક તબ્બકે કરવી પડતી હોઈ છે પોતાના પતિએ રજૂ કરેલા મરણનાં દાખલા ક્યાંથી  આવ્યા.આ મરણ નાં  દાખલા  સામેં દ્વારકા નગર પાલીકા પણ હરકતમાં  આવી અને તપાસી રહી છે આ દાખલો અહીથી નીકડયો છે કે કોઈ અન્યો લોકોની સંડોવણી છે આમા ત્યારે હાલતો આ મામલાની જાણ રુડીબેન ને  થતા  તેમણે આ મામલે પોતાના પતી વિરૂધ્ધ દ્વારકાના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસ પણ આ મામલે બેંક અને નગર પાલીકાનાં  કર્મચારીઓની પૂછ પરછ  સાચુ સત્ય જાણવા પ્રયાસ કરી છે ત્યારે આ  મામલે  દ્વારકાના નગર પાલીકા ચિફ ઓફિસર પણ આ બાબતે યોગ્ય તપાસ થશે અને અહી કોઈ એવુ પ્રાથમીક તારણમા નગર પાલીકા દ્વારા જે  મરણ સર્ટી તારીખ રજૂ કરવામા આવ્યુ તે નગર પાલીકાનાં  રેકર્ડ પર નાં હોઈ આમા પણ હજૂ તપાસ જરૂરી છે ત્યારે આ સમગ્ર મામલો ભેજાબાજ પતિ નાયાભાઈ ચાનપા  પર આવીને ઊભો રહે છે તેણે આ સર્ટી ક્યાંથી બનાવ્યુ અને કોણે આ મામલે મદદ કરી.ત્યારે ભેજાબાજ આ પતિએ ખૂબ બુધ્ધિપૂર્વક મરણનાં  દાખલાને આધારે બેંકમા નામ કમી કરવા તખ્તો ઘડી કાઢ્યો  પણ પાપનો  ઘડો  આખરે  ફુટતા પોતના  પતિની  આવી હરકતથી અચંબિત પત્નીએ પણ પોતાનાં  પતિ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી તેને પણ  સબક શિખવાડવા નુ  નક્કી  કર્યુ  છે ત્યારે  પવિત્ર નગરી દ્વારકામા સમગ્ર પ્રકરણ ભારે ચર્ચાઓ જગાવી  છે

બાઈટ   ૦૧ ;- રૂડીબેન ચાનપા , ભોગ બનનાર મહિલા, દ્વારકા .
બાઈટ  ૦૨ ;-  દેકાવડિયા , પી.આઈ. દ્વારકા પોલીસ સ્ટેશન.
બાઈટ  ૦૩ ;- સી.બી.ડુડિયા , ચીફ ઓફીસર , દ્વારકા નગરપાલિકા.

રજનીકાંત જોષી 
ઈ.ટી.વી. ભારત,દ્વારકા 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.