ETV Bharat / state

સાપુતારામાં યોજાયેલા ત્રિદિવસીય કૃષિ મેળાનું સમાપન, મોટી સંખ્યામાં ખેડૂતોએ લીધો ભાગ

author img

By

Published : Dec 2, 2019, 4:44 AM IST

ડાંગ: ડાંગ જિલ્લામાં ખેતી દ્વારા લોકો પોતાની આવક બમણી કરી શકે અને સેંદ્રિય ખેતી તરફ વળે તે માટે સરકાર દ્વારા સાપુતારા ખાતે ત્રિદિવસીય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્ત્રીઓએ ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોને ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ વિશે જાણકારી આપવા ઉપરાંત ખેડૂતોના પાકને યોગ્ય વળતર મળી રહે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતાં.

સાપુતારા, ડાંગ
સાપુતારામાં યોજાયેલ ત્રિદિવસીય કૃષિ મેળાનું સમાપન, મોટી સંખ્યામાં ખેડૂતોએ લીધો ભાગ

ત્રિદિવસીય કૃષિ મેળામાં જિલ્લા પંચાયત અધિકારી સુનિલભાઈએ ખેડૂતોને i-ખેડૂત પોર્ટલ વિશેની જાણકારી આપી હતી. જેમાં ફોર્મ ભરવા, સબસીડી મેળવવી, ખેતીવાડી શાખાની માહિતી, ઉપરાંત ખેડૂતો જોગ યોજનાઓ વિશેની માહિતી આપી હતી. તો લોટસ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રાવણભાઈએ અને કૃષિ ક્ષેત્રે જોડાયેલા દશરથભાઈએ પોતાની આગવી ભાષામાં ખેડૂતોને જૂની પદ્ધતિ અપનાવવા માટે આગ્રહ કર્યો હતો. નાગલી, અડદ,વરી વગેરે પાકોને પરંપરાગત રીતે ઘરની ઘંટીમાં જ દળવાની સલાહ આપી હતી.

સાપુતારામાં યોજાયેલ ત્રિદિવસીય કૃષિ મેળાનું સમાપન, મોટી સંખ્યામાં ખેડૂતોએ લીધો ભાગ

આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નિરુબહેને જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં મહિલાઓનો ભાગ આગળ પડતો હોય છે. ડાંગ જિલ્લાની મહિલાઓ ખૂબ જ મહેનતું છે અને આપણી મહેનત થકી જ આપણે સમાજમાં આગળ આવવાનું છે. વધુમાં તેમણે ઓર્ગેનિક ખેતી પદ્ધતિ દ્વારા થતાં પાકનું મહત્વ સમજાવ્યું હતું.

ડાંગ જિલ્લા નાયબ ખેતી નિયામક એમ.એમ.પટેલે જણાવ્યું હતું કે, હાલમાં જે વેચાણ પ્રદર્શન રાખવામાં આવ્યું છે તે વધુ સારી રીતે કરી શકાય તે માટે ખેડૂતોના સાથ સહકારની જરૂર છે.

ત્રિદિવસીય કૃષિ મેળામાં જિલ્લા પંચાયત અધિકારી સુનિલભાઈએ ખેડૂતોને i-ખેડૂત પોર્ટલ વિશેની જાણકારી આપી હતી. જેમાં ફોર્મ ભરવા, સબસીડી મેળવવી, ખેતીવાડી શાખાની માહિતી, ઉપરાંત ખેડૂતો જોગ યોજનાઓ વિશેની માહિતી આપી હતી. તો લોટસ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રાવણભાઈએ અને કૃષિ ક્ષેત્રે જોડાયેલા દશરથભાઈએ પોતાની આગવી ભાષામાં ખેડૂતોને જૂની પદ્ધતિ અપનાવવા માટે આગ્રહ કર્યો હતો. નાગલી, અડદ,વરી વગેરે પાકોને પરંપરાગત રીતે ઘરની ઘંટીમાં જ દળવાની સલાહ આપી હતી.

સાપુતારામાં યોજાયેલ ત્રિદિવસીય કૃષિ મેળાનું સમાપન, મોટી સંખ્યામાં ખેડૂતોએ લીધો ભાગ

આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નિરુબહેને જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં મહિલાઓનો ભાગ આગળ પડતો હોય છે. ડાંગ જિલ્લાની મહિલાઓ ખૂબ જ મહેનતું છે અને આપણી મહેનત થકી જ આપણે સમાજમાં આગળ આવવાનું છે. વધુમાં તેમણે ઓર્ગેનિક ખેતી પદ્ધતિ દ્વારા થતાં પાકનું મહત્વ સમજાવ્યું હતું.

ડાંગ જિલ્લા નાયબ ખેતી નિયામક એમ.એમ.પટેલે જણાવ્યું હતું કે, હાલમાં જે વેચાણ પ્રદર્શન રાખવામાં આવ્યું છે તે વધુ સારી રીતે કરી શકાય તે માટે ખેડૂતોના સાથ સહકારની જરૂર છે.

Intro:ગુજરાત રાજ્યમાં એકમાત્ર ડાંગ જિલ્લાને સેદ્રિય ખેતી ધરાવતાં જિલ્લાનું બિરુદ મળેલ છે. ડાંગ જિલ્લામાં જંગલ વિસ્તાર ન હોવાના કારણે અન્ય ખેતી સિવાય અન્ય કોઈ રોજગારી નથી ત્યારે ખેતી દ્વારા લોકો પોતાની આવક બમણી કરી શકે અને સેદ્રિય ખેતી તરફ વળે તે માટે સરકાર દ્વારા સાપુતારા ખાતે ત્રી દિવસીય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.


Body:રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે તા.29 નવેમ્બર થી 1 ડિસેમ્બર સુધી કૃષિ મેળાનું આયોજન થયું હતું. આ કૃષિ મેળામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્ત્રીઓએ ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતો ને ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ વિશે જાણકારી આપવા ઉપરાંત ખેડૂતો ના પાકને યોગ્ય વળતર મળી રહે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યાં હતાં.

જિલ્લા પંચાયત અધિકારી શ્રી સુનિલભાઈએ ખેડૂતોને i-ખેડૂત પોર્ટલ વિશેની જાણકારી આપી હતી. ખેડૂતોએ ફોર્મ કઈ રીતના ભરવું, સબસીડી મેળવવાની રીત, ખેતીવાડી શાખાની માહિતી, ઉપરાંત ખેડૂતો જોગ યોજનાઓ વિશેની માહિતી આપી હતી જેમ કે ખેડૂત મૃત્યુ અકસ્માત વીમાં યોજના, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના વગેરે. ખેડૂતોને વધુ ને વધુ યોજનાઓનો લાભ લેવા માટે જણાવ્યું હતું.

લોટસ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રાવણભાઈએ અને કૃષિ ક્ષેત્રે જોડાયેલા દશરથભાઈએ પોતાની આગવી ભાષામાં ખેડૂતોને જૂની પદ્ધતિ અપનાવવા માટે આહવાન કર્યું હતું. નાગલી, અડદ,વરી વગેરે પાકોની જૂની પરંપરાગત રીતના ઘરની ઘટીમાં જ દળવાની સલાહ આપી હતી

આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નિરુબહેને ડાંગ ની મહિલાઓને પગભર થવાનું આહવાન કર્યું હતું. સશક્ત બની સમાજમાં કંઈક કરી બતાવવું. તેમણે જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં મહિલાઓનો ભાગ આગળ પડતો હોય છે. ડાંગ જિલ્લાની મહિલાઓ ખૂબ જ મહેનતું છે અને આપણી મહેનત થકી જ આપણે સમાજમાં આગળ આવવાનું છે. વધુમાં તેમણે સેદ્રિય ખેતી પદ્ધતિ દ્વારા થતાં પાકનું મહત્વ સમજાવ્યું હતું. સેદ્રિય ખેતી વાળો ખોરોક ખાવાથી અન્ય બીમારીઓથી બચી શકાય છે.

ડાંગ જિલ્લા એમ એમ પટેલે જણાવ્યું હતું કે હાલમાં જે વેચાણ પ્રદર્શન રાખવામાં આવ્યું છે તે વધુ સારી રીતના કરી શકાય તે માટે ખેડુતોના સાથ સહકાર ની જરૂર છે. જૂની પધ્ધતિ દ્વારા અનાજને દાણા માંથી છુટા કરવામાં આવે તો તેનો કિલો દીઠ સેદ્રિય પાકનો ભાવ વરાઈ: 90 , નાગલી:55, અડદ : 80, તુવેર:80, મગફળી:62, સોયાબીન:55, ખરસણી:85 રૂપિયા રાખવામાં આવ્યા છે.


Conclusion:આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ, ખેડૂત તાલીમ કેન્દ્ર, ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત તથા બાગાયતી ખાતું ડાંગ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો યોજાયો હતો જેમાં નાયબ ખેતી નિયામક એમ એમ પટેલ, ખેતી વાડી અધિકારી ચૌધરી સાહેબ, ખેડૂત મંડળીઓના પ્રમુખ શ્રીઓની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ : ( એમ. એમ. પટેલ ) નાયબ ખેતી નિયામક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.