કૃષિ સહાય પેકેજ મેળવવા માટે ખાતેદાર ખેડૂતે તારીખ 31 ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની હતી. આ સમય મર્યાદામાં વધારો કરી તા.14/01/2020 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે. જે ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી કરેલી હશે, તેવા ખેડૂતોને જ કૃષિ સહાય પેકેજનો લાભ મળશે.
કૃષિ વિભાગની યાદીમાં જણાવ્યાનુસાર, અરજી સાથે ખેડૂતોએ આધારકાર્ડ, તલાટીનો પાક વાવેતરનો દાખલો અથવા 7-12, 8-એ નો ઉતારો, બેન્ક એકાઉન્ટ નંબર માટે બેન્કની પાસબૂકના પ્રથમ પાનાની IFSC કોડ સાથેની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહી વાળા પત્રકમાં કંઇ પણ વાંધો ન હોય તે અંગેનું સંમતિ પત્રક અથવા સંયુક્ત ખાતેદારોની અનુપસ્થિતિમાં ખેડૂતનું કબૂલાતનામું જોડવાનું રહેશે. એક ખાતાદીઠ એક જ અરજી કરવાની છે. વધુ માહિતી માટે તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા તાલુકા અમલીકરણ અધિકારી (ખેતી) પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.