ETV Bharat / state

આહવા ખાતે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Jun 28, 2019, 10:45 AM IST

Updated : Jun 28, 2019, 11:14 AM IST

ડાંગ: જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મુખ્યપ્રધાનના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને ડાંગ કલેકટર એન.કે.ડામોરના અધ્યક્ષ સ્થાને, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળીની ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.

આહવા ખાતે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરતા કલેકટર એન.કે.ડામોરે જણાવ્યું હતું કે દરેક કામગીરી સંપૂર્ણ પારદર્શક કરવાની રહેશે. જેમાં અરજદારોના પ્રશ્નો અંગે સત્વરે હકારાત્મક ઉકેલ આવે તે મુજબની કામગીરી કરવાની રહેશે. જમીન બાબતોના પ્રશ્નો અંગે અરજદારો જમીન માપણી કરાવી શકે છે. જમીનના વળતર ચૂકવવા અંગે જંત્રી મુજબ આકારણી કરી અરજદારને વહેલી તકે નાણાં મળી રહે તે માટે સબંધિત અધિકારીને સૂચન કર્યું હતું.

જુના પેન્ડીંગ પ્રશ્નો અંગે જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે માળખાગત સુવિધાના 26 ગામોના પ્રશ્નો અંગે વહીવટી મંજૂરી અપાઈ હોય એટલા જ કામો કરી શકાય જેથી વધારાના કામો હાથ ન કરવા જેથી નાણાકીય પ્રશ્નો ઉદ્‍ભવે નહીં.

સુબીર ખાતે વન વિભાગના લાકડા ચોરીના કેસમાં જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળી એ જણાવ્યું હતું કે મુદ્દામાલ સાથે પકડાયેલ લાકડાચોરીના કિસ્સામાં પંચનામુ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. છતા મનદુઃખ રાખી ખોટી ફરિયાદ કરાયેલ હતી.

જિલ્લા ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં કુલ 7 પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં જમીન વળતર, જમીન નામ પર કરવી જેવા પ્રશ્નો રજુ કરાયા હતા. સી.એમ. ડેશબોર્ડ પરના પેન્ડીંગ લોક ફરિયાદના 3 પ્રશ્નો સાપુતારામાં જમીન મેળવવા માટેના હતા. જેમાં અરજદારોએ સીધા પ્રશ્નો જિલ્લામાં ન મોકલતા હીયરીંગ માટે રૂબરૂ બોલાવી જવાબ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી કાજલ ગામીત, ઉત્તર ડાંગ નાયબ વન સંરક્ષક અગ્નૈશ્વર વ્યાસ, મામલતદાર વધઈ, સુબીર સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરતા કલેકટર એન.કે.ડામોરે જણાવ્યું હતું કે દરેક કામગીરી સંપૂર્ણ પારદર્શક કરવાની રહેશે. જેમાં અરજદારોના પ્રશ્નો અંગે સત્વરે હકારાત્મક ઉકેલ આવે તે મુજબની કામગીરી કરવાની રહેશે. જમીન બાબતોના પ્રશ્નો અંગે અરજદારો જમીન માપણી કરાવી શકે છે. જમીનના વળતર ચૂકવવા અંગે જંત્રી મુજબ આકારણી કરી અરજદારને વહેલી તકે નાણાં મળી રહે તે માટે સબંધિત અધિકારીને સૂચન કર્યું હતું.

જુના પેન્ડીંગ પ્રશ્નો અંગે જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે માળખાગત સુવિધાના 26 ગામોના પ્રશ્નો અંગે વહીવટી મંજૂરી અપાઈ હોય એટલા જ કામો કરી શકાય જેથી વધારાના કામો હાથ ન કરવા જેથી નાણાકીય પ્રશ્નો ઉદ્‍ભવે નહીં.

સુબીર ખાતે વન વિભાગના લાકડા ચોરીના કેસમાં જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળી એ જણાવ્યું હતું કે મુદ્દામાલ સાથે પકડાયેલ લાકડાચોરીના કિસ્સામાં પંચનામુ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. છતા મનદુઃખ રાખી ખોટી ફરિયાદ કરાયેલ હતી.

જિલ્લા ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં કુલ 7 પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં જમીન વળતર, જમીન નામ પર કરવી જેવા પ્રશ્નો રજુ કરાયા હતા. સી.એમ. ડેશબોર્ડ પરના પેન્ડીંગ લોક ફરિયાદના 3 પ્રશ્નો સાપુતારામાં જમીન મેળવવા માટેના હતા. જેમાં અરજદારોએ સીધા પ્રશ્નો જિલ્લામાં ન મોકલતા હીયરીંગ માટે રૂબરૂ બોલાવી જવાબ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી કાજલ ગામીત, ઉત્તર ડાંગ નાયબ વન સંરક્ષક અગ્નૈશ્વર વ્યાસ, મામલતદાર વધઈ, સુબીર સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે માનનીય મુખ્ય મંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોરના અધ્યક્ષ સ્થાને,જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયા,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શ્વેતા શ્રીમાળી ની ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.Body:

સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરતા કલેકટરશ્રી એન.કે.ડામોરે જણાવ્યું હતું કે દરેક કામગીરી સંપૂર્ણ પારદર્શક કરવાની રહેશે. અરજદારોના પ્રશ્નો અંગે સત્વરે હકારાત્મક ઉકેલ આવે તે મુજબની કામગીરી કરવાની રહેશે. જો તમે સાચુ કામ કરશો તો ડરવાની કોઇ જરૂર નથી. જમીન બાબતોના પ્રશ્નો અંગે અરજદારો જમીન માપણી કરાવી શકે છે. જમીનના વળતર ચૂકવવા અંગે જંત્રી મુજબ આકારણી કરી અરજદારને વહેલી તકે નાણાં મળી રહે તે માટે સબંધિત અધિકારીને સૂચન કર્યું હતું.
જુના પેન્ડીંગ પ્રશ્નો અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે માળખાગત સુવિધાના ૨૬ ગામોના પ્રશ્નો અંગે વહીવટી મંજૂરી અપાઈ હોય એટલા જ કામો કરી શકાય જેથી વધારાના કામો હાથ ન ધરવા જેથી નાણાંકીય પ્રશ્નો ઉદ્‍ભવે નહીં.
સુબીર ખાતે વન વિભાગના લાકડા ચોરીના કેસમાં જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળી એ જણાવ્યું હતું કે મુઘ્દામાલ સાથે પકડાયેલ લાકડાચોરીના કિસ્સામાં પંચનામુ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. છતા મનદુઃખ રાખી ખોટી ફરિયાદ કરાયેલ હતી.
જિલ્લા ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં કુલ- ૭ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં જમીન વળતર, જમીન નામ પર કરવી જેવા પ્રશ્નો રજુ કરાયા હતા. સી.એમ. ડેશબોર્ડ પરના પેન્ડીંગ લોક ફરિયાદના ૩ પ્રશ્નો સાપુતારામાં જમીન મેળવવા માટેના હતા. જેમાં અરજદારોએ સીધા પ્રશ્નો જિલ્લામાં ન મોકલતા હીઅરીંગ માટે રૂબરૂ બોલાવી જવાબ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
Conclusion: ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોર,પ્રાંત અધિકારીશ્રી કાજલ ગામીત, ઉત્તર ડાંગ નાયબ વન સંરક્ષકશ્રી અગ્નૈશ્વર વ્યાસ,મામલતદારશ્રીઓ વધઈ,સુબીર સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Last Updated : Jun 28, 2019, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.