ETV Bharat / state

વાપીમાં રાજસ્થાન-ગોધરાના મજૂરોને વતન જવા માટે 19 બસ મૂકાઇ - વાપીમાં રાજસ્થાન-ગોધરાના મજૂરો

વલસાડ જિલ્લાના વાપી સહિતના તાલુકામાં અને સંઘપ્રદેશ દમણના વિસ્તારોમાંથી વાપીના હાઇવે પર આવી વાહનોની રાહમાં ત્રણ દિવસથી ધામા નાખીને બેસેલા રાજસ્થાન અને ગોધરા વિસ્તારના મજૂરો માટે આખરે તંત્રએ 19 બસની વ્યવસ્થા ઊભી કરી છે. અંદાજીત 1,500 જેટલા આ મજૂર પરિવારોને પોતાના વતન જવા રવાના કર્યા હતાં.

વલસાડના વાપી સહિતના વિસ્તારો
વલસાડના વાપી સહિતના વિસ્તારો
author img

By

Published : Mar 27, 2020, 12:01 PM IST

Updated : Mar 27, 2020, 2:03 PM IST

વાપીઃ દેશમાં કોરોના મહામારી સામે લડવાના ઉપાય તરીકે દેશમાં જાહેર કરેલા લોકડાઉનના કારણે વાપી સહિતના વિસ્તારોમાં પેટિયું રળવા આવેલા રાજસ્થાન-ગોધરા વિસ્તારના મજૂરની હાલત કફોડી બની હતી. કામધંધો બંધ થતાં ખાવાના ફાંફાથી બચવા આ તમામ વિસ્તારના લોકોએ વતન જવાનું વધુ પસંદ કરી હાઇવે પર ધામા નાખ્યા હતાં. જેઓને કોઈ વાહન વ્યવસ્થા નહિ મળતા કેટલાકે પગપાળા તો કેટલાકે સાયકલ પર જ વતનની વાટ પકડી હતી, જ્યારે અન્ય નાના બાળકો વાળા પરિવારો ત્રણ દિવસથી વાપીના બલિઠા સહિત પારડી અને વલસાડ હાઇવે રહેઠાણ બનાવી બેઠા હતા.

વાપીમાં રાજસ્થાન-ગોધરાના મજૂરોને વતન જવા માટે 19 બસ મૂકાઇ
ગુરૂવારે આ અંગે પારડીના ધારાસભ્યએ અને રાજ્યપ્રધાન રમણ પાટકરે સરકારમાં રજૂઆત કરી હતી. જેને લઇ વાપી, વલસાડ, પારડીથી 1,500 જેટલા લોકો માટે 19 બસની ફાળવણી કરવામાં આવી હતી. જે દરમિયાન વાપીના બલિઠા ખાતે પોલીસની અને આરોગ્ય વિભાગની હાજરીમાં તમામના આરોગ્યની ચકાસણી કરી રાત્રે બસમાં બેસાડી રવાના કર્યા હતા.જેમાં લવાછાથી 3, વલસાડથી 4, પારડીથી 3 કપરાડાથી 4 અને વાપીથી 5 બસ મળી કુલ 19 બસોમાં આ તમામ શ્રમિકોને ગોધરા, બાસવાડા અને રાજસ્થાન જવા રવાના કરાયા હતા.

વાપીઃ દેશમાં કોરોના મહામારી સામે લડવાના ઉપાય તરીકે દેશમાં જાહેર કરેલા લોકડાઉનના કારણે વાપી સહિતના વિસ્તારોમાં પેટિયું રળવા આવેલા રાજસ્થાન-ગોધરા વિસ્તારના મજૂરની હાલત કફોડી બની હતી. કામધંધો બંધ થતાં ખાવાના ફાંફાથી બચવા આ તમામ વિસ્તારના લોકોએ વતન જવાનું વધુ પસંદ કરી હાઇવે પર ધામા નાખ્યા હતાં. જેઓને કોઈ વાહન વ્યવસ્થા નહિ મળતા કેટલાકે પગપાળા તો કેટલાકે સાયકલ પર જ વતનની વાટ પકડી હતી, જ્યારે અન્ય નાના બાળકો વાળા પરિવારો ત્રણ દિવસથી વાપીના બલિઠા સહિત પારડી અને વલસાડ હાઇવે રહેઠાણ બનાવી બેઠા હતા.

વાપીમાં રાજસ્થાન-ગોધરાના મજૂરોને વતન જવા માટે 19 બસ મૂકાઇ
ગુરૂવારે આ અંગે પારડીના ધારાસભ્યએ અને રાજ્યપ્રધાન રમણ પાટકરે સરકારમાં રજૂઆત કરી હતી. જેને લઇ વાપી, વલસાડ, પારડીથી 1,500 જેટલા લોકો માટે 19 બસની ફાળવણી કરવામાં આવી હતી. જે દરમિયાન વાપીના બલિઠા ખાતે પોલીસની અને આરોગ્ય વિભાગની હાજરીમાં તમામના આરોગ્યની ચકાસણી કરી રાત્રે બસમાં બેસાડી રવાના કર્યા હતા.જેમાં લવાછાથી 3, વલસાડથી 4, પારડીથી 3 કપરાડાથી 4 અને વાપીથી 5 બસ મળી કુલ 19 બસોમાં આ તમામ શ્રમિકોને ગોધરા, બાસવાડા અને રાજસ્થાન જવા રવાના કરાયા હતા.
Last Updated : Mar 27, 2020, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.