ETV Bharat / state

મધ્યપ્રદેશના 1400 શ્રમિકો વાપીથી સ્પેશિયલ ટ્રેન મારફતે વતન રવાના

author img

By

Published : May 13, 2020, 9:04 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સંઘપ્રદેશ દમણમાં રહેતા 1400 જેટલા શ્રમિકોને બસમાં બેસાડીને વાપી રેલવે સ્ટેશન સુધી અને વાપીથી મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓ સુુધી પહોંચાડવા બસ દ્વારા રવાના કરવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશના 1400 શ્રમિકો વાપીથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં વતન રવાના થયા
મધ્યપ્રદેશના 1400 શ્રમિકો વાપીથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં વતન રવાના થયા

દમણ : તંત્ર દ્વારા દમણમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરવા આવેલા મધ્યપ્રદેશના રિવા, કટની, સતના સહિતના જિલ્લાના શ્રમિકોને ખાસ શ્રમિક એક્સપ્રેસ ટ્રેન મારફતે તેમના માદરે વતન મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં બુધવારે 1400 શ્રમિકોને સાંજે પાંચ વાગ્યે વાપીથી મધ્યપ્રદેશ રવાના કરવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશના 1400 શ્રમિકો વાપીથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં વતન રવાના થયા
આ માટે પ્રશાસન દ્વારા સવારે જ વરકુંડમાં આવેલી ડેલ્ટીન હોટલની સામેના મેદાન પર શ્રમિકોની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ મુજબ મેડિકલ ચેકઅપ કરીને શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. અહીં આવતા શ્રમિકોને કોઈ મુશ્કેલી ન નડે એ માટે તંત્ર દ્વારા પાણીની બોટલ અને ફૂડપેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.



રજીસ્ટ્રેશન અને મેડિકલ થયા બાદ તેમને બસમાં બેસાડીને વિદાય આપવામાં આવી હતી. લોકડાઉનમાં વતન જવા ઇચ્છતાં શ્રમિકો માટે વાપીથી મધ્યપ્રદેશની સ્પેશ્યલ ટ્રેન મારફત પોતાના વતન જવાની વ્યવસ્થા કરવામાં આવતા શ્રમિકો ખુશખુશાલ જોવા મળ્યાં હતા.

દમણ : તંત્ર દ્વારા દમણમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરવા આવેલા મધ્યપ્રદેશના રિવા, કટની, સતના સહિતના જિલ્લાના શ્રમિકોને ખાસ શ્રમિક એક્સપ્રેસ ટ્રેન મારફતે તેમના માદરે વતન મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં બુધવારે 1400 શ્રમિકોને સાંજે પાંચ વાગ્યે વાપીથી મધ્યપ્રદેશ રવાના કરવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશના 1400 શ્રમિકો વાપીથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં વતન રવાના થયા
આ માટે પ્રશાસન દ્વારા સવારે જ વરકુંડમાં આવેલી ડેલ્ટીન હોટલની સામેના મેદાન પર શ્રમિકોની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ મુજબ મેડિકલ ચેકઅપ કરીને શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. અહીં આવતા શ્રમિકોને કોઈ મુશ્કેલી ન નડે એ માટે તંત્ર દ્વારા પાણીની બોટલ અને ફૂડપેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.



રજીસ્ટ્રેશન અને મેડિકલ થયા બાદ તેમને બસમાં બેસાડીને વિદાય આપવામાં આવી હતી. લોકડાઉનમાં વતન જવા ઇચ્છતાં શ્રમિકો માટે વાપીથી મધ્યપ્રદેશની સ્પેશ્યલ ટ્રેન મારફત પોતાના વતન જવાની વ્યવસ્થા કરવામાં આવતા શ્રમિકો ખુશખુશાલ જોવા મળ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.