ETV Bharat / state

ગુજરાત સ્થાપના દિવસે દાહોદ કલેક્ટરે કોરોના સામેની લડાઇમાં ત્રણ સંકલ્પની પ્રતિજ્ઞા લીધી - કોરોના સામેની લડાઇ

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના સ્થાપના દિને વરોના મહામારી સામે વિજય મેળવવા માટે દરેક ગુજરાતીઓને ત્રણ સંકલ્પ લેવાનું આવ્હાન કરતાં દાહોદના જિલ્લા કલેક્ટરે પણ આ ત્રણ સંકલ્પની પ્રતિજ્ઞા લીધી અને જિલ્લાવાસીઓને પણ લેવા માટે આવ્હાન કર્યું છે.

ગુજરાત રાજયના સ્થાપના દિવસે દાહોદ કલેક્ટરે કોરોના સામેની લડાઇમાં ત્રણ સંકલ્પની પ્રતિજ્ઞા લીધી
ગુજરાત રાજયના સ્થાપના દિવસે દાહોદ કલેક્ટરે કોરોના સામેની લડાઇમાં ત્રણ સંકલ્પની પ્રતિજ્ઞા લીધી
author img

By

Published : May 1, 2020, 8:00 PM IST

દાહોદઃ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ સામે લડત આપવા દરેક ગુજરાતીને ત્રણ સંકલ્પ લેવા આહ્વાન કર્યું છે, ત્યારે જિલ્લા કલેક્ટર વિજય ખરાડી કોરોના સામેની લડાઇમાં સંકલ્પ લઇને પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. તેમજ જિલ્લામાં ફરજ બજાવતા વિવિધ વિભાગના કર્મચારીઓને પણ ત્રણ સંકલ્પ લેવા માટે આહવાન કર્યું હતું.

ગુજરાત રાજયના સ્થાપના દિવસે દાહોદ કલેક્ટરે કોરોના સામેની લડાઇમાં ત્રણ સંકલ્પની પ્રતિજ્ઞા લીધી

જિલ્લા કલેક્ટરે પ્રતિજ્ઞા લીધી હતી કે, હું માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળું, હું સામાજિક અંતરનું પાલન કરીશ અને બે ગજ દૂરીની વાત કરવાનું ભૂલીશ નહી. હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઇશ અને સેનેટાઇઝ કરીશ. કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, જિલ્લાના તમામ નાગરિકોએ આ સંકલ્પ લેવો જોઇએ અને અન્ય લોકોને પ્રેરીત કરવા માટે સોશિયલ મિડિયા પર તેને શેયર કરવા પણ જણાવ્યું છે. જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે વહિવટી વિભાગ, આરોગ્ય વિભાગ, માહિતી વિભાગના કર્મચારીઓએ પણ કોરોના સામેની લડાઇમાં આ ત્રણ સંકલ્પ લીધા હતા.

દાહોદઃ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ સામે લડત આપવા દરેક ગુજરાતીને ત્રણ સંકલ્પ લેવા આહ્વાન કર્યું છે, ત્યારે જિલ્લા કલેક્ટર વિજય ખરાડી કોરોના સામેની લડાઇમાં સંકલ્પ લઇને પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. તેમજ જિલ્લામાં ફરજ બજાવતા વિવિધ વિભાગના કર્મચારીઓને પણ ત્રણ સંકલ્પ લેવા માટે આહવાન કર્યું હતું.

ગુજરાત રાજયના સ્થાપના દિવસે દાહોદ કલેક્ટરે કોરોના સામેની લડાઇમાં ત્રણ સંકલ્પની પ્રતિજ્ઞા લીધી

જિલ્લા કલેક્ટરે પ્રતિજ્ઞા લીધી હતી કે, હું માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળું, હું સામાજિક અંતરનું પાલન કરીશ અને બે ગજ દૂરીની વાત કરવાનું ભૂલીશ નહી. હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઇશ અને સેનેટાઇઝ કરીશ. કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, જિલ્લાના તમામ નાગરિકોએ આ સંકલ્પ લેવો જોઇએ અને અન્ય લોકોને પ્રેરીત કરવા માટે સોશિયલ મિડિયા પર તેને શેયર કરવા પણ જણાવ્યું છે. જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે વહિવટી વિભાગ, આરોગ્ય વિભાગ, માહિતી વિભાગના કર્મચારીઓએ પણ કોરોના સામેની લડાઇમાં આ ત્રણ સંકલ્પ લીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.