ETV Bharat / state

ડીસ્કવર ઇન્ડીયા : મોગલ કાળના બાદશાહ ઔરંગઝેબની સ્મૃતિ સ્વરૂપ ઐતિહાસિક વારસો દાહોદનો ગઢી કિલ્લો

author img

By

Published : Mar 9, 2020, 5:37 AM IST

Updated : Mar 9, 2020, 7:38 AM IST

બાદશાહ જહાંગીર પડાવ સાથે વર્ષ 1618માં દાહોદમાંથી પસાર થયા હતા, ત્યારે શારજહાની બેગમ મુમતાજના કૂખે ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો. આ જન્મ સ્થળની યાદમાં મોગલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા 1678માં ધર્મશાળા બનાવવામાં આવી હતી. આ ધર્મશાળાને મરાઠાઓએ કબ્જે કરી કિલ્લો બનાવ્યો હતો. જે નાનો હોવાથી ગઢના બદલે ગઢી કહેવાયો હતો અને બ્રિટિશ કાળ દરમિયાન ત્યાં મામલતદાર કચેરી શરૂ કરવામાં આવી હતી.

મોગલ કાળના બાદશાહ ઔરંગઝેબની સ્મૃતિ સ્વરૂપ ઐતિહાસિક વારસો દાહોદનો ગઢી કિલ્લો
મોગલ કાળના બાદશાહ ઔરંગઝેબની સ્મૃતિ સ્વરૂપ ઐતિહાસિક વારસો દાહોદનો ગઢી કિલ્લો

દાહોદ : મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો દાહોદનો પ્રાચીન મોગલ અને બ્રિટિશ કાળ સુધીનો ગજબનો વારસો ઇતિહાસમાં કંડારાયેલો છે. જિલ્લાની જો વાત કરીએ તો મોગલ યુગ દરમિયાન વર્ષ 1618માં મોગલ સમ્રાટ જહાંગીર સૈન્ય સાથે ગુજરાતથી મધ્યપ્રદેશના માલવા વિસ્તારમાં જઈ રહ્યો હતો, ત્યારે દાહોદ વિસ્તારમાં વાતાવરણ સારું હોવાના કારણે અહીં એક મહિના જેટલું રોકાણ કર્યું હતું. દાહોદમાં રોકાણ દરમિયાન જહાંગીરના પુત્ર શાહજહાંની ચોથી પત્ની મુમતાજે ૨૪ ઓકટોબરના રોજ દાહોદની દુધીમતી નદી કિનારે એક દીકરાને જન્મ આપ્યો હતો. દાહોદમાં જન્મેલા શાહજહાનો પુત્ર પાછળથી ઔરંગઝેબ તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ થયો હતો. વર્ષ ૧૮૧૯ મોગલ રાજા શાહજહાં દાહોદમાં મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. જે આજે આલમગીરી મસ્જિદ તરીકે વિધમાન છે.

મોગલ કાળના બાદશાહ ઔરંગઝેબની સ્મૃતિ સ્વરૂપ ઐતિહાસિક વારસો દાહોદનો ગઢી કિલ્લો
ઔરંગઝેબ બાદશાહ બન્યા બાદ પોતાના જન્મ સ્થળને સ્મૃતિને કાયમ કરવા માટે સુબેદાર મહંમદ આમિર ખાનને ટીમ સાથે દાહોદ મુકામે મોકલ્યો હતો. મહંમદ આમિર ખાને દાહોદમાં સરાઈ ધર્મશાળાનો બાંધકામ શરૂ કરાવ્યું હતું. જે ધર્મશાળા પાછળથી ગઢ કિલ્લા તરીકે ઓળખવાનું શરૃ થયું હતું. આ ગઢી કિલ્લાને ચારે દિશામાં 450 ફુટ લાંબી અને 16.5 ફૂટની ઉંચાઈ ધરાવતી દીવાલની રચના કરવામાં આવેલી છે. ચારે ખૂણે ચાર બુરજ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ભવ્ય દરવાજા બનાવવામાં આવ્યા હતા. આ સ્થળ "સરાઇ" ધર્મશાળા હોવાના કારણે ફકીરોને રહેવા માટે અંદર ઓરડામાં બનાવવામાં આવેલા હતા.

આ ગઢી કિલ્લાના નિર્માણમાં 76300નો ખર્ચ થયો હતો. ૧૮મી સદીમાં મરાઠાઓના સુબેદારોનું ગઢી કિલ્લો નિવાસ સ્થાન બન્યું હતું, ત્યારે જિલ્લામાં 24-24 ફૂટના ત્રણ ગોળ મિનારા ઉમેરાયા હતા. આ ગઢી કિલ્લામાં બ્રિટિશકાળ દરમિયાન અંગ્રેજોએ કબ્જો જમાવ્યો હતો અને ત્યારથી આ કિલ્લામાં મામલતદાર કચેરી શરૂ કરવામાં આવી હતી. ગઢી કિલ્લાની જાળવણીના અભાવે કિલ્લાના કેટલાક ભાગના કાંગરા ખરી રહ્યા છે.

દાહોદ : મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો દાહોદનો પ્રાચીન મોગલ અને બ્રિટિશ કાળ સુધીનો ગજબનો વારસો ઇતિહાસમાં કંડારાયેલો છે. જિલ્લાની જો વાત કરીએ તો મોગલ યુગ દરમિયાન વર્ષ 1618માં મોગલ સમ્રાટ જહાંગીર સૈન્ય સાથે ગુજરાતથી મધ્યપ્રદેશના માલવા વિસ્તારમાં જઈ રહ્યો હતો, ત્યારે દાહોદ વિસ્તારમાં વાતાવરણ સારું હોવાના કારણે અહીં એક મહિના જેટલું રોકાણ કર્યું હતું. દાહોદમાં રોકાણ દરમિયાન જહાંગીરના પુત્ર શાહજહાંની ચોથી પત્ની મુમતાજે ૨૪ ઓકટોબરના રોજ દાહોદની દુધીમતી નદી કિનારે એક દીકરાને જન્મ આપ્યો હતો. દાહોદમાં જન્મેલા શાહજહાનો પુત્ર પાછળથી ઔરંગઝેબ તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ થયો હતો. વર્ષ ૧૮૧૯ મોગલ રાજા શાહજહાં દાહોદમાં મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. જે આજે આલમગીરી મસ્જિદ તરીકે વિધમાન છે.

મોગલ કાળના બાદશાહ ઔરંગઝેબની સ્મૃતિ સ્વરૂપ ઐતિહાસિક વારસો દાહોદનો ગઢી કિલ્લો
ઔરંગઝેબ બાદશાહ બન્યા બાદ પોતાના જન્મ સ્થળને સ્મૃતિને કાયમ કરવા માટે સુબેદાર મહંમદ આમિર ખાનને ટીમ સાથે દાહોદ મુકામે મોકલ્યો હતો. મહંમદ આમિર ખાને દાહોદમાં સરાઈ ધર્મશાળાનો બાંધકામ શરૂ કરાવ્યું હતું. જે ધર્મશાળા પાછળથી ગઢ કિલ્લા તરીકે ઓળખવાનું શરૃ થયું હતું. આ ગઢી કિલ્લાને ચારે દિશામાં 450 ફુટ લાંબી અને 16.5 ફૂટની ઉંચાઈ ધરાવતી દીવાલની રચના કરવામાં આવેલી છે. ચારે ખૂણે ચાર બુરજ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ભવ્ય દરવાજા બનાવવામાં આવ્યા હતા. આ સ્થળ "સરાઇ" ધર્મશાળા હોવાના કારણે ફકીરોને રહેવા માટે અંદર ઓરડામાં બનાવવામાં આવેલા હતા.

આ ગઢી કિલ્લાના નિર્માણમાં 76300નો ખર્ચ થયો હતો. ૧૮મી સદીમાં મરાઠાઓના સુબેદારોનું ગઢી કિલ્લો નિવાસ સ્થાન બન્યું હતું, ત્યારે જિલ્લામાં 24-24 ફૂટના ત્રણ ગોળ મિનારા ઉમેરાયા હતા. આ ગઢી કિલ્લામાં બ્રિટિશકાળ દરમિયાન અંગ્રેજોએ કબ્જો જમાવ્યો હતો અને ત્યારથી આ કિલ્લામાં મામલતદાર કચેરી શરૂ કરવામાં આવી હતી. ગઢી કિલ્લાની જાળવણીના અભાવે કિલ્લાના કેટલાક ભાગના કાંગરા ખરી રહ્યા છે.

Last Updated : Mar 9, 2020, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.