ETV Bharat / state

કોરોના કાળ કહેર, દાદરા નગર હવેલીના કોંગ્રેસના પ્રભુ ટોકીયાએ 2જી ઓગસ્ટના મુક્તિ દિવસની ઉજવણી કરવાની માગ કરી

author img

By

Published : Jul 26, 2020, 1:45 PM IST

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ એવા બે પ્રદેશનું એકીકરણ પામી એક પ્રદેશ બન્યો છે.ત્યારે આ પ્રદેશના વિલીનીકરણ બાદનું પ્રથમ વર્ષ છે. જેમાં દાદરા નગર હવેલીના મુક્તિ દિવસની ઉજવણી થવી જોઈએ એ માટે હાલની કોરોના મહામારીના સમયમાં જરૂરી આયોજન કરીને પણ પ્રશાસને આ આઝાદી દિવસની ઉજવણી કરવી જોઈએ એવી માગ કોંગ્રેસના પ્રભુ ટોકીયા દ્વારા કરાઈ છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી

સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભુ ટોકીયાએ વહીવટીતંત્ર ને 2જી ઓગસ્ટનો મુક્તિ દિવસ ધામધૂમથી ઉજવવાની માંગ કરતો લેખિત પત્ર પાઠવ્યો છે. જેને લઈને પ્રદેશના નાગરિકોમાં અચરજ વ્યાપ્યું છે. હાલમાં જ્યાં 15મી ઓગસ્ટ દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ અનિશ્ચિતતાના ઘેરામાં છે. ત્યારે આઝાદી બાદ પોર્ટુગીઝના પંજામાંથી આઝાદ થયેલા પ્રદેશના મુક્તિ દિવસની ધામધૂમથી ઉજવણી કરવાની પ્રભુ ટોકીયાની માંગ તો યુવાનેતાની અપરિપક્વતા છે અથવા તો રાજકારણ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954ના દિવસે પોર્ટુગીઝ શાસનની બેડીમાંથી મુક્ત થયો હતો. ત્યારથી દર વર્ષની 2જી ઓગસ્ટનો દિવસ આ પ્રદેશના ગૌરવપૂર્ણ ઇતિહાસને ઉજાગર કરવાનો દિવસ રહ્યો છે. આ દિવસ આદિવાસી સમાજ અને સ્થાનિક સમાજની લાગણીઓ સાથે જોડાયેલ મુક્તિનો દિવસ છે. જેને ધ્યાને રાખી દાદરા નગર હવેલી કોંગ્રેસ સમિતિના યુવા નેતા પ્રભુ ટોકીયાએ દાદરા નગર હવેલી પ્રસાશનને લેખિતમાં પત્ર પાઠવી માગ કરી છે કે, દાદરા નગર હવેલીમાં દર વર્ષની જેમ આ વર્ષની 2જી ઓગસ્ટના પણ મુક્તિ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે.
કોરોના કાળમાં દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રભુ ટોકીયાએ 2જી ઓગસ્ટ મુક્તિ દિવસની ધામધૂમથી ઉજવણી કરવાની માગ કરી
આ માગ સાથે ટોકીયાએ કોરોના મહામારીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, રાજ્ય કોવિડ-19 મહામારીના ભરડામાં છે. વહીવટતંત્ર રાજ્યના લોકોને આ રોગચાળાથી બચાવવા તમામ પ્રયાસ કરી રહ્યું છે. તેમ છતાં, દરરોજ કોવિડ 19 મહામારીના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે,
દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રભુ ટોકીયાએ 2જી ઓગસ્ટ મુક્તિ દિવસની ધામધૂમથી ઉજવણી કરવાની માગ કરી
દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રભુ ટોકીયાએ 2જી ઓગસ્ટ મુક્તિ દિવસની ધામધૂમથી ઉજવણી કરવાની માગ કરી
2 ઓગસ્ટ 1954ના દિવસે પોર્ટુગીઝ શાસનની બેડીમાંથી મુક્ત થયેલો દાદરા નગર હવેલીનો કેન્દ્ર શાસિત પ્રદેશ જ્યાં સુધી અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યો ત્યાં સુધી તેની ઉજવણી કરવામાં આવતી હતી, પરંતુ હવે આ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ એવા બે પ્રદેશનું એકીકરણ પામી એક પ્રદેશ બન્યો છે.
દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954ના દિવસે પોર્ટુગીઝ શાસનની બેડીમાંથી મુક્ત થયો હતો
દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954ના દિવસે પોર્ટુગીઝ શાસનની બેડીમાંથી મુક્ત થયો હતો
આ પ્રદેશના વિલીનીકરણ બાદનું પ્રથમ વર્ષ છે. જેમાં દાદરા નગર હવેલીના મુક્તિ દિવસની ઉજવણી થવી જોઈએ એ માટે હાલની કોરોના મહામારીના સમયમાં જરૂરી આયોજન કરીને પણ પ્રશાસને આ આઝાદી દિવસની ઉજવણી કરવી જોઈએ એવી માંગ આ નેતાએ કરી છે.
દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954ના દિવસે પોર્ટુગીઝ શાસનની બેડીમાંથી મુક્ત થયો હતો
દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954ના દિવસે પોર્ટુગીઝ શાસનની બેડીમાંથી મુક્ત થયો હતો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશની સ્વતંત્રતા માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માનમાં, રાજ્યના ઇતિહાસને જીવંત રાખવા અને આદિજાતિ સમાજ અને સ્થાનિક સમાજની ભાવનાને જાળવી રાખવા માટે, ઓગસ્ટ 2, સ્વતંત્રતા દિવસની ઉજવણી ધૂમધામથી થવી જોઇએ. પ્રભુ ટોકીયાની આ માંગે પ્રદેશની જનતામાં અચરજ જગાડ્યું છે. અને આ માંગને યુવા નેતાની અપરિપક્વતા અથવા તો રાજકારણમાં ખપાવ્યું છે. કેમ કે દાદરા નગર હવેલીના ના જ મુક્તિ દિવસને લઈને નહીં પરંતુ ભારત દેશના સ્વતંત્રતા દિવસ એવા 15મી ઓગસ્ટની ઉજવણી હાલના કોરોના મહામારીને કારણે અનિશ્ચિતતાના ઘેરામાં છે. કોરોના મહામારીથી દિન-પ્રતિદિન લોકો સંક્રમણનો ભોગ બની રહ્યા છે. ત્યારે આવા સમયે દેશ-પ્રદેશને આ મહામારીમાંથી મુક્ત કરવાનો સમય છે, એ માટે સંક્રમણ ફેલાવતા અનેક પર્વ અને ઉજવણીના સમારંભો મુલતવી રખાયા છે. ત્યારે પ્રદેશની મુક્તિ દિવસની ઉજવણી કરતા પણ વધુ મહત્વનું કોરોના મહામારીની ઝપેટમાં મોતના મુખમાં ધકેલાઈ રહેલા લોકોનો જીવ બચાવવાનું છે.

સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભુ ટોકીયાએ વહીવટીતંત્ર ને 2જી ઓગસ્ટનો મુક્તિ દિવસ ધામધૂમથી ઉજવવાની માંગ કરતો લેખિત પત્ર પાઠવ્યો છે. જેને લઈને પ્રદેશના નાગરિકોમાં અચરજ વ્યાપ્યું છે. હાલમાં જ્યાં 15મી ઓગસ્ટ દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ અનિશ્ચિતતાના ઘેરામાં છે. ત્યારે આઝાદી બાદ પોર્ટુગીઝના પંજામાંથી આઝાદ થયેલા પ્રદેશના મુક્તિ દિવસની ધામધૂમથી ઉજવણી કરવાની પ્રભુ ટોકીયાની માંગ તો યુવાનેતાની અપરિપક્વતા છે અથવા તો રાજકારણ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954ના દિવસે પોર્ટુગીઝ શાસનની બેડીમાંથી મુક્ત થયો હતો. ત્યારથી દર વર્ષની 2જી ઓગસ્ટનો દિવસ આ પ્રદેશના ગૌરવપૂર્ણ ઇતિહાસને ઉજાગર કરવાનો દિવસ રહ્યો છે. આ દિવસ આદિવાસી સમાજ અને સ્થાનિક સમાજની લાગણીઓ સાથે જોડાયેલ મુક્તિનો દિવસ છે. જેને ધ્યાને રાખી દાદરા નગર હવેલી કોંગ્રેસ સમિતિના યુવા નેતા પ્રભુ ટોકીયાએ દાદરા નગર હવેલી પ્રસાશનને લેખિતમાં પત્ર પાઠવી માગ કરી છે કે, દાદરા નગર હવેલીમાં દર વર્ષની જેમ આ વર્ષની 2જી ઓગસ્ટના પણ મુક્તિ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે.
કોરોના કાળમાં દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રભુ ટોકીયાએ 2જી ઓગસ્ટ મુક્તિ દિવસની ધામધૂમથી ઉજવણી કરવાની માગ કરી
આ માગ સાથે ટોકીયાએ કોરોના મહામારીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, રાજ્ય કોવિડ-19 મહામારીના ભરડામાં છે. વહીવટતંત્ર રાજ્યના લોકોને આ રોગચાળાથી બચાવવા તમામ પ્રયાસ કરી રહ્યું છે. તેમ છતાં, દરરોજ કોવિડ 19 મહામારીના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે,
દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રભુ ટોકીયાએ 2જી ઓગસ્ટ મુક્તિ દિવસની ધામધૂમથી ઉજવણી કરવાની માગ કરી
દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રભુ ટોકીયાએ 2જી ઓગસ્ટ મુક્તિ દિવસની ધામધૂમથી ઉજવણી કરવાની માગ કરી
2 ઓગસ્ટ 1954ના દિવસે પોર્ટુગીઝ શાસનની બેડીમાંથી મુક્ત થયેલો દાદરા નગર હવેલીનો કેન્દ્ર શાસિત પ્રદેશ જ્યાં સુધી અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યો ત્યાં સુધી તેની ઉજવણી કરવામાં આવતી હતી, પરંતુ હવે આ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ એવા બે પ્રદેશનું એકીકરણ પામી એક પ્રદેશ બન્યો છે.
દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954ના દિવસે પોર્ટુગીઝ શાસનની બેડીમાંથી મુક્ત થયો હતો
દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954ના દિવસે પોર્ટુગીઝ શાસનની બેડીમાંથી મુક્ત થયો હતો
આ પ્રદેશના વિલીનીકરણ બાદનું પ્રથમ વર્ષ છે. જેમાં દાદરા નગર હવેલીના મુક્તિ દિવસની ઉજવણી થવી જોઈએ એ માટે હાલની કોરોના મહામારીના સમયમાં જરૂરી આયોજન કરીને પણ પ્રશાસને આ આઝાદી દિવસની ઉજવણી કરવી જોઈએ એવી માંગ આ નેતાએ કરી છે.
દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954ના દિવસે પોર્ટુગીઝ શાસનની બેડીમાંથી મુક્ત થયો હતો
દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954ના દિવસે પોર્ટુગીઝ શાસનની બેડીમાંથી મુક્ત થયો હતો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશની સ્વતંત્રતા માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માનમાં, રાજ્યના ઇતિહાસને જીવંત રાખવા અને આદિજાતિ સમાજ અને સ્થાનિક સમાજની ભાવનાને જાળવી રાખવા માટે, ઓગસ્ટ 2, સ્વતંત્રતા દિવસની ઉજવણી ધૂમધામથી થવી જોઇએ. પ્રભુ ટોકીયાની આ માંગે પ્રદેશની જનતામાં અચરજ જગાડ્યું છે. અને આ માંગને યુવા નેતાની અપરિપક્વતા અથવા તો રાજકારણમાં ખપાવ્યું છે. કેમ કે દાદરા નગર હવેલીના ના જ મુક્તિ દિવસને લઈને નહીં પરંતુ ભારત દેશના સ્વતંત્રતા દિવસ એવા 15મી ઓગસ્ટની ઉજવણી હાલના કોરોના મહામારીને કારણે અનિશ્ચિતતાના ઘેરામાં છે. કોરોના મહામારીથી દિન-પ્રતિદિન લોકો સંક્રમણનો ભોગ બની રહ્યા છે. ત્યારે આવા સમયે દેશ-પ્રદેશને આ મહામારીમાંથી મુક્ત કરવાનો સમય છે, એ માટે સંક્રમણ ફેલાવતા અનેક પર્વ અને ઉજવણીના સમારંભો મુલતવી રખાયા છે. ત્યારે પ્રદેશની મુક્તિ દિવસની ઉજવણી કરતા પણ વધુ મહત્વનું કોરોના મહામારીની ઝપેટમાં મોતના મુખમાં ધકેલાઈ રહેલા લોકોનો જીવ બચાવવાનું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.