ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં કેમિકલયુક્ત પાણીથી ખેતીને નુકસાન, અનેક રજૂઆત છતાં તંત્ર બેધ્યાન - મેસર્સ ટાઈમ ટેક્નોપ્લાસ્ટ લીમીટેડ

સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વેલુગામ ધોડડપાડા વિસ્તારમાં આવેલી એક કંપની દ્વારા ખુલ્લેઆમ કેમીકલયુક્ત પાણી છોડાય છે. જેના કારણે નજીકમાં આવેલા ખેતરના પાકને ભારે નુકસાન થતું હોવાથી ગ્રામજનોએ પ્રસાશનના અધિકારીઓને નુકસાનના વળતરની લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ

સ્પોટ ફોટો
author img

By

Published : Oct 23, 2019, 3:50 AM IST

પ્રશાસનને કરેલી અરજીમાં જણાવ્યા અનુસાર ,વેલુગામ ધોધડપાડા ગામમા ગરીબ બિનશિક્ષિત આદિવાસીઓ રહે છે. જેઓ ખેતીવાડી અને પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં આવેલા મેસર્સ ટાઈમ ટેક્નોપ્લાસ્ટ લીમીટેડ અને અભીશ્રી પેકેજીંગ પ્રાઇવેટ લીમીટેડ કંપની દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કંપની નજીકની માલિકીની ખેતીવાળી જમીનમા પ્લાસ્ટીક તેમજ કેમીકલયુક્ત પાણી અને ઘનકચરો નાખવામાં આવે છે. જેના કારણે માનવ જીવન, પશુપક્ષીઓને નુકસાન થઇ રહ્યું છે. તેમજ ટાઈમ ટેક્નોપ્લાસ્ટ કંપની દ્વારા ગંદો કચરોના કારણે કારણે ખેતીને ભારે નુકસાન થઇ રહ્યું છે.

ખેતરના પાકને નુકસાન
ખેતરના પાકને નુકસાન

કંપની સંચાલકો દ્વારા કંપનીના એરિયામાં લગભગ 1200 ફૂટ ઊંડો બોરવેલ બનાવી એમાં પ્રાણઘાતક કેમીકલ છોડવામાં આવે છે. જેના કારણે આખા ગામના લોકોને તકલીફ થઇ રહી હોવાની ફરિયાદ ગ્રામજનોએ ફરિયાદ કરી છે. ગત વર્ષે કંપનીઓ ખુલ્લામાં કેમીકલ છોડ્યું હતું. જેના કારણે ઝરણાઓ અને ત્યાં બનાવવામાં આવેલા સરકારી તળાવમાં માછલીઓ મરી ગઈ હતી. સાથે ગામના ગાયો અને બળદોનું આ પાણી પીવાને કારણે મોત થયું હતું. જે અંગે ગ્રામજનોએ 11/01/18ના રોજ પંચાયત અને કંપની મેનેજમેન્ટને પણ ફરિયાદ કરી હતી. ત્યારે કંપની સંચાલકોએ જે કોઈના ઢોર મરી ગયા હતા તેમને સામાન્ય વળતર આપી મામલો રફેદફે કર્યો હતો.

કેમિકલવાળા પાણીથી તળાવની માછલીઓના મોત
કેમિકલવાળા પાણીથી તળાવની માછલીઓના મોત

જે તે સમયે કંપનીના મેનેજમેન્ટે લેખિતમાં બીજીવાર પ્રાણઘાતક કેમીકલ ખુલ્લામાં નહિ છોડવાની ખાતરી આપી હતી. તેમ છતાં 5 સપ્ટેમ્બરે મોડી રાત્રે કેમીકલવાળું પાણી માલિકીની જમીનમાં અચાનક છોડવાને કારણે પાકને નુકસાન થયું હતું. હાલ પણ ખેતરો કેમિકલયુક્તપાણીથી ખરડાયેલાં છે. જે સંદર્ભે કંપની સંચાલકો અને મેનેજરને પણ ફરીયાદ કરવામા આવી હતી. ત્યારે કંપની સંચાલકોએ ગ્રામજનોની મદદ કરવાને બદલે તેમને જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. તેમજ અધિકારીઓ અને તંત્ર તેમના ખિસ્સમાં હોવાનું જણાવ્યું હતું.

કેમિકલવાળા પાણી
કેમિકલવાળા પાણી

આ અંગે ગ્રામજનોએ જિલ્લા કલેકટર, આરડીસી, ઉપવન સંરક્ષક અધિકારી, મામલતદાર ખાનવેલ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દાનહ, ડીઆઈજી, એસપી,અને પ્રસાશક સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુઘી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. જેથી ભ્રષ્ટ અધિકારીઓ કંપની પાસેથી પોતાનો આર્થિક લાભ સંતોષી કોઈ કાર્યવાહી ન કરતાં હોવાના આક્ષેપ કરી ગ્રામજનો રહ્યાં છે.

બોરવેલ બનાવી પ્રાણઘાતક કેમીકલ છોડવામા આવ્યું
બોરવેલ બનાવી પ્રાણઘાતક કેમીકલ છોડવામા આવ્યું

આમ, અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં રોષે ભરાયેલાં ગ્રામજનોએ વહેલામાં વહેલી તકે કંપની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. જો આ માંગણી નહીં સંતોષાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

પ્રશાસનને કરેલી અરજીમાં જણાવ્યા અનુસાર ,વેલુગામ ધોધડપાડા ગામમા ગરીબ બિનશિક્ષિત આદિવાસીઓ રહે છે. જેઓ ખેતીવાડી અને પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં આવેલા મેસર્સ ટાઈમ ટેક્નોપ્લાસ્ટ લીમીટેડ અને અભીશ્રી પેકેજીંગ પ્રાઇવેટ લીમીટેડ કંપની દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કંપની નજીકની માલિકીની ખેતીવાળી જમીનમા પ્લાસ્ટીક તેમજ કેમીકલયુક્ત પાણી અને ઘનકચરો નાખવામાં આવે છે. જેના કારણે માનવ જીવન, પશુપક્ષીઓને નુકસાન થઇ રહ્યું છે. તેમજ ટાઈમ ટેક્નોપ્લાસ્ટ કંપની દ્વારા ગંદો કચરોના કારણે કારણે ખેતીને ભારે નુકસાન થઇ રહ્યું છે.

ખેતરના પાકને નુકસાન
ખેતરના પાકને નુકસાન

કંપની સંચાલકો દ્વારા કંપનીના એરિયામાં લગભગ 1200 ફૂટ ઊંડો બોરવેલ બનાવી એમાં પ્રાણઘાતક કેમીકલ છોડવામાં આવે છે. જેના કારણે આખા ગામના લોકોને તકલીફ થઇ રહી હોવાની ફરિયાદ ગ્રામજનોએ ફરિયાદ કરી છે. ગત વર્ષે કંપનીઓ ખુલ્લામાં કેમીકલ છોડ્યું હતું. જેના કારણે ઝરણાઓ અને ત્યાં બનાવવામાં આવેલા સરકારી તળાવમાં માછલીઓ મરી ગઈ હતી. સાથે ગામના ગાયો અને બળદોનું આ પાણી પીવાને કારણે મોત થયું હતું. જે અંગે ગ્રામજનોએ 11/01/18ના રોજ પંચાયત અને કંપની મેનેજમેન્ટને પણ ફરિયાદ કરી હતી. ત્યારે કંપની સંચાલકોએ જે કોઈના ઢોર મરી ગયા હતા તેમને સામાન્ય વળતર આપી મામલો રફેદફે કર્યો હતો.

કેમિકલવાળા પાણીથી તળાવની માછલીઓના મોત
કેમિકલવાળા પાણીથી તળાવની માછલીઓના મોત

જે તે સમયે કંપનીના મેનેજમેન્ટે લેખિતમાં બીજીવાર પ્રાણઘાતક કેમીકલ ખુલ્લામાં નહિ છોડવાની ખાતરી આપી હતી. તેમ છતાં 5 સપ્ટેમ્બરે મોડી રાત્રે કેમીકલવાળું પાણી માલિકીની જમીનમાં અચાનક છોડવાને કારણે પાકને નુકસાન થયું હતું. હાલ પણ ખેતરો કેમિકલયુક્તપાણીથી ખરડાયેલાં છે. જે સંદર્ભે કંપની સંચાલકો અને મેનેજરને પણ ફરીયાદ કરવામા આવી હતી. ત્યારે કંપની સંચાલકોએ ગ્રામજનોની મદદ કરવાને બદલે તેમને જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. તેમજ અધિકારીઓ અને તંત્ર તેમના ખિસ્સમાં હોવાનું જણાવ્યું હતું.

કેમિકલવાળા પાણી
કેમિકલવાળા પાણી

આ અંગે ગ્રામજનોએ જિલ્લા કલેકટર, આરડીસી, ઉપવન સંરક્ષક અધિકારી, મામલતદાર ખાનવેલ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દાનહ, ડીઆઈજી, એસપી,અને પ્રસાશક સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુઘી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. જેથી ભ્રષ્ટ અધિકારીઓ કંપની પાસેથી પોતાનો આર્થિક લાભ સંતોષી કોઈ કાર્યવાહી ન કરતાં હોવાના આક્ષેપ કરી ગ્રામજનો રહ્યાં છે.

બોરવેલ બનાવી પ્રાણઘાતક કેમીકલ છોડવામા આવ્યું
બોરવેલ બનાવી પ્રાણઘાતક કેમીકલ છોડવામા આવ્યું

આમ, અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં રોષે ભરાયેલાં ગ્રામજનોએ વહેલામાં વહેલી તકે કંપની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. જો આ માંગણી નહીં સંતોષાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Intro:સેલવાસ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વેલુગામ ધોડડપાડા વિસ્તારમા આવેલ એક કંપની દ્વારા ખુલ્લેઆમ કેમીકલવાળુ પાણી છોડતા નજીકમા આવેલ ખતરના પાકને ભારે નુકસાન થતા ગ્રામજનોએ પ્રસાશનના અધિકારીઓ પાસે નુકસાનના વળતરની લેખિત ફરિયાદ કરી છે. Body:પ્રશાસનને કરેલી અરજીમા જણાવ્યા અનુસાર વેલુગામ ધોધડપાડા ગામમા ગરીબ અનપઢ આદિવાસીઓ લોકો રહે છે. જેઓ ખેતીવાડી અને પશુપાલન કરી પરિવારનુ ગુજરાન કરે છે. આ વિસ્તારમાં આવેલ મેસર્સ ટાઈમ ટેક્નોપ્લાસ્ટ લીમીટેડ અને અભીશ્રી પેકેજીંગ પ્રાઇવેટ લીમીટેડ કંપની દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કંપની નજીકની માલિકીની ખેતીવાળી જમીનમા પ્લાસ્ટીક તેમજ કેમીકલયુક્ત પાણી અને ઘનકચરો નાખવામા આવે છે. 


જેના કારણે માનવ જીવન, પશુપક્ષીઓને નુકસાન થઇ રહ્યું છે. શુદ્ધ હવા અને પાણીને નુકસાન થાય એવા ખતરનાક ઝેરી કેમીકલ ખેતરોમા ખુલ્લેઆમ છોડાઈ રહ્યું છે. ટાઈમ ટેક્નોપ્લાસ્ટ કંપની દ્વારા ગંદો કચરો, કેમીકલ છોડવાને કારણે ખેતી બરબાદ થઇ રહી છે. કંપની સંચાલકો દ્વારા કંપની એરિયામાં જ લગભગ 1200ફુટ ઊંડો બોરવેલ બનાવી એમા પ્રાણઘાતક કેમીકલ છોડવામા આવે છે. જેના કારણે આખા ગામના લોકોને તકલીફ થઇ રહી હોવાના આક્ષેપ પણ ગ્રામજનોએ ફરિયાદમાં કર્યા છે.

  


ગત વર્ષે કંપનીઓ દ્વારા ખુલ્લામા કેમીકલ છોડવાને કારણે ઝરણાઓ અને ત્યા બનાવવામા આવેલ સરકારી તળાવમા માછલીઓ મરી ગયી હતી. સાથે ગામના ગાયો અને બળદો પણ આ પાણી પીવાને કારણે મરી ગયા હતા. જે અંગે ગ્રામજનોએ 11/01/18ના રોજ પંચાયત અને કંપની મેનેજમેન્ટને પણ ફરિયાદ કરી હતી. તે સમયે કંપની સંચાલકો દ્વારા જે કોઈના ઢોર મરી ગયા હતા તેઓને સામાન્ય વળતર આપી મામલાને રફેદફે કરી નાખ્યો હતો. જે તે વખતે લેખિતમા મેનેજમેન્ટે બીજીવાર પ્રાણઘાતક કેમીકલ ખુલ્લામા નહિ છોડવાની ખાતરી આપી હતી. તેમ છતાં ગત 5સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે કેમીકલવાળુ પાણી માલિકીની જમીનમા અચાનક છોડવાને કારણે ખેતરમા જે પાક રોપવામા આવ્યો હતો તે મરી ગયો હતો અને હાલમા પણ આખા ખેતરોમા કેમિકલવાળુ પાણી ભરેલુ જોવા મળે છે. 


આ સંદર્ભે કંપની સંચાલકોને અને મેનેજરને પણ ફરિયાદ કરવામા આવી હતી. પણ ફરિયાદ પર જરા પણ ધ્યાન આપવામા આવ્યુ નથી. અને ધમકી આપતા જણાવ્યુ હતું કે જો અમારા વિરુદ્ધ તમારે જે કંઈપણ કરવુ હોય તે કરો. પંચાયતના સભ્યો અને પ્રશાસનિક અધિકારીઓ અમારી સાથે છે. વધારે બોલશો તો ખોટા કેસમા ફસાવી જેલમા મોકલી દઇશુ. આવા આક્ષેપો સાથે ગામલોકોએ પ્રશાસનમાં અરજી કરી વેલુગામના આદિવાસી ગરીબ લોકોને યોગ્ય ન્યાય અપાવવા અજીજી કરી છે.

Conclusion:ગ્રામજનોએ આ મામલે લેખિતમા કલેકટર, આરડીસી, ઉપવન સંરક્ષક અધિકારી, મામલતદાર ખાનવેલ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દાનહ, ડીઆઈજી, એસપી,અને પ્રસાશકના સલાહકારને રજુઆત કરવામા આવી છે. અને  આ સમસ્યા અંગે યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.