ETV Bharat / state

સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડને ઓલ વેધર બર્થિંગ પોર્ટ બનાવવાની પરવાનગી રાજ્ય સરકારે રદ કરી

author img

By

Published : Jul 8, 2019, 10:50 PM IST

ગાંધીનગરઃ નીતિન સાંડેસરા વિવિધ બેંકો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી માતબર રકમના ધિરાણો મેળવી દેશમાંથી ફરાર થઇ ગયો છે. તેમની સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ સામે કડક વલણ અપનાવીને ભરૂચના દહેજ બંદરને ઓલ વેધર બર્થિંગ પોર્ટ બનાવવા માટે આપેલી તમામ પરવાનગીઓ રાજ્ય સરકારે રદ કરી છે. રાજ્ય સરકારે આ નિર્ણય લઇ ગેરરીતિ આચરનારાઓ સામે લાલ આંખ કરી છે. વિજય રૂપાણીએ સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડના બાકી રહેતા નાણાં વસુલવા તાત્કાલિક પગલાં લેવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડને આદેશ કર્યો છે.

stearling

ઉલ્લેખનીય છે કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડે નીતિન સાંડેસરાની કંપની સ્ટર્લિંગ બાયોટેકને ડિસેમ્બર 2008માં દહેજ બંદરને ઓલ વેધર ડાયરેકટ બર્થિંગ પોર્ટ તરીકે વિકસાવવા માટે ચાર વર્ષની સમયમર્યાદા સાથે ઇરાદાપત્ર જાન્યુઆરી 2009માં આદેશ 00આપ્યો હતો. તેની સાથે મેરીટાઇમ બોર્ડે દહેજ ખાતે 84.95 હેકટર સરકારી જમીન ભાડાપટ્ટે જુન 2010માં ફાળવી હતી. આ જમીન સમતલ કરવા અને ફેન્સિંગ કરવા અને પોર્ટના બાંધકામ માટે માર્ચ 2011માં બોર્ડે મંજૂરી આપી હતી.

સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ અને તેના કોન્સોર્ટિયમના સાથી સભ્યો દ્વારા દહેજ બંદરના વિકાસ માટે નવી કંપની સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડની રચના કરવામાં આવી હતી. આ નવી કંપની અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ વચ્ચે જુન 2014માં કન્સેશન એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. એગ્રીમેન્ટ અનુસાર પ્રથમ તબક્કા માટે કંપની આશરે રૂપિયા 2500 કરોડનું રોકાણ કરી દહેજ બંદરનો વિકાસ હાથ ધરશે અને તેના માટે કુલ પ્રોજેકટ કિંમતના દોઢ ટકા લેખે બાંધકામની માટે રૂપિયા 5 કરોડ પરફોર્મન્સ ગેરંટી ગુજરાત મેરીટાઇમ બોર્ડને આપશે તેવો કરાર થયો હતો.

પરંતુ ઇરાદાપત્ર અને ત્યારબાદ કન્સેશન એગ્રીમેન્ટ પછી કંપનીએ બંદરના વિકાસ માટે કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરી ન હતી. મેરીટાઇમ બોર્ડને ભરવાપાત્ર રૂપિયા 37.50 કરોડની બેંક ગેરંટી તેમજ 84.95 હેક્ટર જમીનનું નિયત ભાડું ચૂકવી આપવામાં પણ સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ નિષ્ફળ પુરવાર થઇ હતી.

મુખ્યપ્રધાન રૂપાણીએ વિકાસકાર કંપની સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ તેમજ નાણાં રોકનાર સંસ્થાઓને છ માસનો સમય આપવા છતાં વહીવટી તંત્ર નિષ્ફળ નીવડ્યું હતું. જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની તાકીદે બોલાવાયેલી બોર્ડની બેઠકમાં રચાયેલી સમિતિએ આંધ્ર બેંકને પરવાના ધારક તરીકે નિયુકત કરવાની તથા સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ અને ગુજરાત સરકાર તથા મેરીટાઇમ બોર્ડ વચ્ચે થયેલા કન્સેશન એગ્રીમેન્ટ રદ કરવા તેમજ તમામ ગેરંટીની રકમો જપ્ત કરવા કરેલી ભલામણોને રાજ્ય સરકારે સ્વીકારી છે. રાજ્ય સરકારે સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડને આપેલી 84.95 હેકટર જમીનનો કબજો પરત લેવા આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડે નીતિન સાંડેસરાની કંપની સ્ટર્લિંગ બાયોટેકને ડિસેમ્બર 2008માં દહેજ બંદરને ઓલ વેધર ડાયરેકટ બર્થિંગ પોર્ટ તરીકે વિકસાવવા માટે ચાર વર્ષની સમયમર્યાદા સાથે ઇરાદાપત્ર જાન્યુઆરી 2009માં આદેશ 00આપ્યો હતો. તેની સાથે મેરીટાઇમ બોર્ડે દહેજ ખાતે 84.95 હેકટર સરકારી જમીન ભાડાપટ્ટે જુન 2010માં ફાળવી હતી. આ જમીન સમતલ કરવા અને ફેન્સિંગ કરવા અને પોર્ટના બાંધકામ માટે માર્ચ 2011માં બોર્ડે મંજૂરી આપી હતી.

સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ અને તેના કોન્સોર્ટિયમના સાથી સભ્યો દ્વારા દહેજ બંદરના વિકાસ માટે નવી કંપની સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડની રચના કરવામાં આવી હતી. આ નવી કંપની અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ વચ્ચે જુન 2014માં કન્સેશન એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. એગ્રીમેન્ટ અનુસાર પ્રથમ તબક્કા માટે કંપની આશરે રૂપિયા 2500 કરોડનું રોકાણ કરી દહેજ બંદરનો વિકાસ હાથ ધરશે અને તેના માટે કુલ પ્રોજેકટ કિંમતના દોઢ ટકા લેખે બાંધકામની માટે રૂપિયા 5 કરોડ પરફોર્મન્સ ગેરંટી ગુજરાત મેરીટાઇમ બોર્ડને આપશે તેવો કરાર થયો હતો.

પરંતુ ઇરાદાપત્ર અને ત્યારબાદ કન્સેશન એગ્રીમેન્ટ પછી કંપનીએ બંદરના વિકાસ માટે કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરી ન હતી. મેરીટાઇમ બોર્ડને ભરવાપાત્ર રૂપિયા 37.50 કરોડની બેંક ગેરંટી તેમજ 84.95 હેક્ટર જમીનનું નિયત ભાડું ચૂકવી આપવામાં પણ સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ નિષ્ફળ પુરવાર થઇ હતી.

મુખ્યપ્રધાન રૂપાણીએ વિકાસકાર કંપની સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ તેમજ નાણાં રોકનાર સંસ્થાઓને છ માસનો સમય આપવા છતાં વહીવટી તંત્ર નિષ્ફળ નીવડ્યું હતું. જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની તાકીદે બોલાવાયેલી બોર્ડની બેઠકમાં રચાયેલી સમિતિએ આંધ્ર બેંકને પરવાના ધારક તરીકે નિયુકત કરવાની તથા સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ અને ગુજરાત સરકાર તથા મેરીટાઇમ બોર્ડ વચ્ચે થયેલા કન્સેશન એગ્રીમેન્ટ રદ કરવા તેમજ તમામ ગેરંટીની રકમો જપ્ત કરવા કરેલી ભલામણોને રાજ્ય સરકારે સ્વીકારી છે. રાજ્ય સરકારે સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડને આપેલી 84.95 હેકટર જમીનનો કબજો પરત લેવા આદેશ આપ્યો છે.

Intro:નોંધ : સ્ટર્લિંગ પોર્ટ લિ. અને સીએમ વિજય રૂપાણીના ફાઈલ ફોટો ઉપયોગ કરવા...


સ્ટર્લિંગ પોર્ટ લિ. ને દહેજ પોર્ટના વિકાસની પરવાનગી રાજ્ય સરકારે રદ કરી...

         રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મોડું કામકાજ કરનાર, ભ્રષ્ટાચાર કરનાર ને સજા ફટકારવામાં આવે છે ત્યારે આજે રાજ્ય સરકારે આ નીતિને સાબિત કરવા એક દાખલો બેસાડ્યો છે. નીતિન સાંડેસરા જે વિવિધ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી માતબર રકમના ધિરાણો મેળવી દેશમાંથી ફરાર થઇ ગયા છે તેમની સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ સામે કડક વલણ અપનાવીને ભરૂચના દહેજ બંદરને ઓલ વેધર બર્થિંગ પોર્ટ બનાવવા માટે આપેલી તમામ પરવાનગીઓ રાજ્ય સરકારે રદ કરી છે. Body:રાજ્ય સરકારે આ નિર્ણય લઇને ગેરરીતિ આચરનારાઓ સામે લાલ આંખ કરી પગલાં ભરવાનો દાખલો બેસાડ્યો છે. રૂપાણીએ સ્ટર્લિંગ પોર્ટ લી. ના બાકી રહેતા નાણાં વસુલવા તાત્કાલિક પગલાં લેવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડને આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત મેરીટાઇમ બોર્ડે નીતિન સાંડેસરાની કંપની સ્ટર્લિંગ બાયોટેકને ડિસેમ્બર-ર૦૦૮માં દહેજ બંદરને ઓલ વેધર ડાયરેકટ બર્થિંગ પોર્ટ તરીકે વિકસાવવા માટે ચાર વર્ષની સમયમર્યાદા સાથે ઇરાદાપત્ર જાન્યુઆરી-ર૦૦૯માં આપ્યો હતો. તેની સાથે મેરીટાઇમ બોર્ડે દહેજ ખાતે ૮૪.૯પ હેકટર સરકારી જમીન ભાડાપટ્ટે જુન-ર૦૧૦માં ફાળવી આ જમીન સમતલ કરવા અને ફેન્સિંગ કરવા મંજુરી આપી હતી અને પોર્ટના બાંધકામ માટે માર્ચ-ર૦૧૧માં બોર્ડે મંજુરી આપી હતી.
         સ્ટર્લિંગ બાયોટેક લિ. અને તેના કોન્સોર્ટિયમના સાથી સભ્યો દ્વારા દહેજ બંદરના વિકાસ માટે નવી કંપની સ્ટર્લિંગ પોર્ટ લિ.ની રચના કરવામાં આવી હતી. આ નવી કંપની અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ વચ્ચે જુન-ર૦૧૪માં કન્સેશન એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. એગ્રીમેન્ટ અનુસાર પ્રથમ તબક્કા માટે કંપની આશરે રૂા. રપ૦૦ કરોડનું રોકાણ કરી દહેજ બંદરનો વિકાસ હાથ ધરશે અને તે માટે કુલ પ્રોજેકટ કિંમતના દોઢ ટકા લેખે બાંધકામની અને રૂા. પ.૦૦ કરોડ પરફોર્મન્સ ગેરંટી ગુજરાત મેરીટાઇમ બોર્ડને આપશે તેવો કરાર થયો હતો.

         પરંતુ ઇરાદાપત્ર અને ત્યારબાદ કન્સેશન એગ્રીમેન્ટ પછી કંપનીએ બંદરના વિકાસ માટે કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરી ન હતી અને મેરીટાઇમ બોર્ડને ભરવાપાત્ર રૂ. ૩૭.પ૦ કરોડની બેંક ગેરંટી તેમજ ૮૪.૯પ હેકટર જમીનનું નિયત ભાડું ચૂકવી આપવામાં પણ સ્ટર્લિંગ પોર્ટ લિ. નિષ્ફળ પુરવાર થઇ હતી. Conclusion:મુખ્યપ્રધાન રૂપાણીએ સરવાળે વિકાસકાર કંપની સ્ટર્લિંગ પોર્ટ લિ. તેમજ નાણાં રોકનાર સંસ્થાઓને છ માસનો સમય આપવા છતાં વહીવટી તંત્ર નિષ્ફળ નીવડ્યું હતું. જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની તાકીદે બોલાવાયેલી બોર્ડની બેઠકમાં રચાયેલી સમિતિએ આંધ્ર બેંકને પરવાનાધારક તરીકે નિયુકત કરવાની તથા સ્ટર્લિંગ પોર્ટ લિ. અને ગુજરાત સરકાર તથા મેરીટાઇમ બોર્ડ વચ્ચે થયેલા કન્સેશન એગ્રીમેન્ટ રદ કરવા તેમજ તમામ ગેરંટીની રકમો જપ્ત કરવા કરેલી ભલામણોને રાજ્ય સરકારે સ્વીકારી છે. રાજ્ય સરકારે સ્ટર્લિંગ પોર્ટ લિ.ને આપેલી ૮૪.૯પ હેકટર જમીનનો કબજો પરત લેવા આદેશ આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.