ETV Bharat / state

અઢી વર્ષમાં 129 ગામોમાંથી ગૌચર ગાયબઃ પરેશ ધનાણી - later to cm

અમદાવાદઃ રાજ્યમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોના પશુઓને હરિયાણા માટે જમીન ફાળવવામાં આવે છે. પરંતુ છેલ્લા અઢી વર્ષમાં રાજ્યના 129 ગામમાંથી ગૌચરની જમીન ગાયબ થઈ હોવાના આક્ષેપ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યા છે. આ બાબતે ધાનાણીએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ પત્ર લખીને આ મુદ્દા ઉપર પગલા ભરવા માગ કરી હતી.

અઢી વર્ષમાં 129 ગામોમાંથી ગૌચર ગાયબઃ પરેશ ધનાણી
author img

By

Published : May 28, 2019, 4:33 PM IST

ગૌસંવર્ધન મૂદ્દે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ ચીંતા વ્યક્ત કરી છે. આ માટે તેમમએ રાજ્ય સરકારને પત્ર લખી રજુઆત કરી છે. પરેશ ધાનાણીએ લખેલા પત્ર મુજબ રાજ્યમાં ગાયના નામે રાજનીતિ કરવામાં આવે છે. પરંતુ ખરા અર્થમાં ગાયની કોઈને કંઈ પડી નથી. કારણ કે, રાજ્યમાં 667 ગૌશાળાઓ કાર્યરત છે જે પૈકી માત્ર ૩૦ ટકાને જ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. ગૌશાળાઓને કોઈ પણ પ્રકારની સબસીડી કે સહાય આપવામાં આવતી નથી. ઉપરાંત રાજ્ય સરકારે ગૌચર ડેવલોપમેન્ટ કરવાની જાહેરાત વર્ષ 2015-16 માં કરી હતી જેમાં વર્ષ 2015-16માં 386, વર્ષ 2016-17માં 24 ગામ જ્યારે વર્ષ 2017-18માં એક પણ ગામને ગૌચર વિકાસ માટે પસંદ કરવામાં આવ્યા નથી. રાજ્યમાં એનિમલ વેલ્ફેર બોર્ડની રચના વર્ષ 2013માં કરવામાં આવી છે પરંતુ એક એક વર્ષ સુધી બોર્ડની મીટીંગ પણ મળતી નથી. તેવા આક્ષેપ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એ કરતા ખળભળાટ થયો છે.

paresh
અઢી વર્ષમાં 129 ગામોમાંથી ગૌચર ગાયબઃ પરેશ ધનાણી

ઉપરાંત છેલ્લા કેટલાક સમયમાં અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં કોર્પોરેશન દ્વારા રસ્તા ઉપર ફરતા પશુઓને પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યો હતું. આ અભિયાન સામે પરેશ ધાનાણીએ રાજ્ય સરકારને ટોણો મારતા જણાવ્યું હતું કે, પશુઓને પકડવા ના બદલે ઘાસચારો અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાની જરુર છે. આ ઉપરાંત છેલ્લા અઢી વર્ષમાં આખા રાજ્યમાંથી 129 ગામોના ગૌચર સરકારી રેકોર્ડ ઉપરથી ગાયબ કરી દેવામાં આવ્યા છે. સરકારની આ બેધારી નીતિ સામે ધાનાણીએ ગંભીર સવાલો ઉભા કરી જવાબ માગ્યો છે.

ગૌસંવર્ધન મૂદ્દે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ ચીંતા વ્યક્ત કરી છે. આ માટે તેમમએ રાજ્ય સરકારને પત્ર લખી રજુઆત કરી છે. પરેશ ધાનાણીએ લખેલા પત્ર મુજબ રાજ્યમાં ગાયના નામે રાજનીતિ કરવામાં આવે છે. પરંતુ ખરા અર્થમાં ગાયની કોઈને કંઈ પડી નથી. કારણ કે, રાજ્યમાં 667 ગૌશાળાઓ કાર્યરત છે જે પૈકી માત્ર ૩૦ ટકાને જ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. ગૌશાળાઓને કોઈ પણ પ્રકારની સબસીડી કે સહાય આપવામાં આવતી નથી. ઉપરાંત રાજ્ય સરકારે ગૌચર ડેવલોપમેન્ટ કરવાની જાહેરાત વર્ષ 2015-16 માં કરી હતી જેમાં વર્ષ 2015-16માં 386, વર્ષ 2016-17માં 24 ગામ જ્યારે વર્ષ 2017-18માં એક પણ ગામને ગૌચર વિકાસ માટે પસંદ કરવામાં આવ્યા નથી. રાજ્યમાં એનિમલ વેલ્ફેર બોર્ડની રચના વર્ષ 2013માં કરવામાં આવી છે પરંતુ એક એક વર્ષ સુધી બોર્ડની મીટીંગ પણ મળતી નથી. તેવા આક્ષેપ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એ કરતા ખળભળાટ થયો છે.

paresh
અઢી વર્ષમાં 129 ગામોમાંથી ગૌચર ગાયબઃ પરેશ ધનાણી

ઉપરાંત છેલ્લા કેટલાક સમયમાં અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં કોર્પોરેશન દ્વારા રસ્તા ઉપર ફરતા પશુઓને પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યો હતું. આ અભિયાન સામે પરેશ ધાનાણીએ રાજ્ય સરકારને ટોણો મારતા જણાવ્યું હતું કે, પશુઓને પકડવા ના બદલે ઘાસચારો અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાની જરુર છે. આ ઉપરાંત છેલ્લા અઢી વર્ષમાં આખા રાજ્યમાંથી 129 ગામોના ગૌચર સરકારી રેકોર્ડ ઉપરથી ગાયબ કરી દેવામાં આવ્યા છે. સરકારની આ બેધારી નીતિ સામે ધાનાણીએ ગંભીર સવાલો ઉભા કરી જવાબ માગ્યો છે.



R_GJ_AHD_09_28MAY_2019_GAUCHAR_LAND_PARESH_DHANANI_PHOTO_STORY_PARTH_JANI_Ahmedabad


હેડિંગ :  અઢી વર્ષમાં 129 ગામોમાંથી ગૌચર ગાયબ : પરેશ ધનાણી..


રાજ્યમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોના પશુઓને હરિયાણા માટે જમીન ફાળવવામાં આવે છે પરંતુ છેલ્લા અઢી વર્ષમાં રાજ્યના 129 ગામમાંથી ગૌચરની જમીન ગાયબ થઈ હોવાના આક્ષેપ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એ કર્યા હતા આ બાબતે ધાણાની એ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ને પણ પત્ર લખીને આ મુદ્દા ઉપર તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી માંગ કરતા એક પત્ર પણ લખ્યો હતો...

પરેશ ધાનાણીએ લખેલા પત્ર મુજબ રાજ્યમાં ગાયના નામે રાજનીતિ કરવામાં આવે છે કારણ કે રાજ્યમાં 667 ગૌશાળાઓ કાર્યરત હતી જે પૈકી માત્ર ૩૦ ટકાને જ સહાય આપવામાં આવે છે જ્યારે ગૌશાળાઓને ખાસ સારા માટે સબસીડી કે અન્ય કોઈ પ્રકારની સહાય આપવામાં આવતી નથી ઉપરાંત રાજ્ય સરકારે ગૌચર ડેવલોપમેન્ટ કરવાની જાહેરાત વર્ષ 2015 16 માં કરી હતી જેમાં વર્ષ 2015-16માં 386, વર્ષ 2016-17માં 24 ગામ જ્યારે વર્ષ 2017-18માં એક પણ ગામને ગૌચર વિકાસ માટે પસંદ કરવામાં આવ્યા નથી.. સાથે જ રાજ્યમાં એનિમલ વેલ્ફેર બોર્ડની રચના વર્ષ 2013માં કરવામાં આવી છે પરંતુ એક એક વર્ષ સુધી બોર્ડની મીટીંગ પણ મળતી ના હોવાનો આક્ષેપ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એ કર્યા હતા...

ઉપરાંત છેલ્લા કેટલાક સમયમાં અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં કોર્પોરેશન દ્વારા રસ્તા ઉપર ફરતા પશુઓને પકડવા ની અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો તેને લઈને પરેશ ધાનાણીએ રાજ્ય સરકારને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે પશુઓને પકડવા ના બદલે ઘાસચારો અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાની માંગણી કરી હતી..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.