ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2019 નક્કી કરવામાં આવી છે.
કૈલાસ માનસરોવર યાત્રા જુદા-જુદા બે રૂટ પરથી કરી શકાય છે. જે નીચે મુજબ છે,
- લીપુલેખ પાસ ઉત્તરાખંડ, જેની પ્રથમ બેચ તારીખ 08/06/2019અને 18મી છેલ્લી બેચ તારીખ 15/08/2019ના રોજ રવાના થશે. જેમાં કુલ ૨૪ દિવસનો પ્રવાસ છે. આ રૂટ પર આશરે રૂપિયા 1,80,000 રૂપિયાનો ખર્ચ થાય છે.
- બીજો રૂટ વાયા નાથુલા પાસ સિક્કીમ થઇને જઇ શકાય છે. જેની પ્રથમ બેચ તારીખ 11/06/2019 અને છેલ્લી 10મી બેચ તારીખ 03/08/2019ના રોજ રવાના થશે.જેમાં કુલ 21 દિવસનો પ્રવાસ છે. આ રૂટ પર આશરે રૂપિયા 2,50,000 રૂપિયાનો ખર્ચ થાય છે.
- આ યાત્રા માટે થનારા ખર્ચની સંપૂર્ણ વિગત અને અન્ય તમામ વિગત ભારત સરકારની વેબ સાઇટ https://kmy.gov.in પર સરળતાથી મેળવી શકાય છે.
- આ અંગે વધુ વિગતો કે માહિતીની જરૂર હોય તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની https://yatradham.gujarat.gov.in/ સાઇટ પર જોઇ શકાશે.