ETV Bharat / state

દલિત અત્યાચાર મામલો: દલિત આગેવાનો દ્વારા DYSP ફાલ્ગુની પટેલ સામે ફરિયાદ કરવા CMને કરાઇ રજૂઆત - Scheduled Caste

ગાંધીનગર: મોડાસાના ખંભીસર ગામમાં દલિત સમાજના વરઘોડા દરમિયાન DYSP ફાલ્ગુની પટેલ મગજ પરનું કાબૂ ગુમાવતા મન ફાવે તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. જેને લઇને સમગ્ર મામલે દલિત સમાજના આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનથી લઈને ચીફ સેક્રેટરી સુધી D.Y.S.P ફાલ્ગુની પટેલ સામે FIR દાખલ કરવા માટે રજૂઆત કરી હતી. તો આ સાથે જ આ આયોજન પુર્ણ કાવતરૂ ઘડ્યું હોવાની આશંકાએ SRT રચના કરવાની પણ માંગ કરી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : May 16, 2019, 5:26 PM IST

સમગ્ર રાજ્યમાં એક પછી એક દલિત સમાજ પર હુમલાઓ થઈ રહ્યાં છે. ત્ચારે સરકાર દ્વારા આ બાબતે કડીના લહોર ગામમાં થયેલા હુમલામાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ મોડાસાના ખંભીસર ગામમાં દલિત સમાજના વરઘોડા દરમિયાન D.Y.S.P ફાલ્ગુની પટેલ દ્વારા અપશબ્દોમાં બોલવામાં આવ્યા હતા, પોતાનો હોદ્દાનો દુરૂપયોગ કર્યો હોય તેવું વાયરલ વીડિયોમાં જોવા મળતું હતું. પોલીસ વિભાગ પોતાની ફરજ બજાવવામાં ચૂકી રહ્યું હોય તેવું જણાઇ રહ્યું હતું. પરિણામે ગુરૂવારના રોજ દલિત સમાજના આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન, મુખ્ય સચિવ સમક્ષ ફાલ્ગુની પટેલ સામે ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

દલિત આગેવાનોએ મુખ્ય પ્રઘાનને DYSP ફાલ્ગુની પટેલ સામે ફરિયાદ કરવા રજૂઆત કરી

જે સંદર્ભે દલિત આગેવાન કેવલ રાઠોડે કહ્યું કે ખંભીસરમાં D.Y.S.P ફાલ્ગુની પટેલ લાજવાને બાજે બદલે ગાજી રહ્યાં હતા. પરિણામે તેમની સામે તાત્કાલિક અસરથી FIR દાખલ કરવામાં આવે, રાજ્યમાં દલિતોના વરઘોડા રોકવામાં આવેલ આવી રહ્યાં છે, તે એક પૂર્વનિયોજિત કાવતરૂ હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

તો આ અંગે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દલિત સમાજના વરઘોડા મામલે સરકાર કામગીરી કરી રહી છે. પરંતુ ગઈ કાલ મોડી રાત્રે પણ ખેડા જિલ્લામાં દલિત સમાજના વરઘોડા પર હુમલાઓ કરવામાં આવ્યા છે. સામાજિક સમરસતા જાળવી રાખવા કમિટીઓ બનાવવાની વાત કરવામાં આવી છે. તેમ છતાં પણ દલિતો પર હુમલાઓ અટકતા નથી.

સમગ્ર રાજ્યમાં એક પછી એક દલિત સમાજ પર હુમલાઓ થઈ રહ્યાં છે. ત્ચારે સરકાર દ્વારા આ બાબતે કડીના લહોર ગામમાં થયેલા હુમલામાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ મોડાસાના ખંભીસર ગામમાં દલિત સમાજના વરઘોડા દરમિયાન D.Y.S.P ફાલ્ગુની પટેલ દ્વારા અપશબ્દોમાં બોલવામાં આવ્યા હતા, પોતાનો હોદ્દાનો દુરૂપયોગ કર્યો હોય તેવું વાયરલ વીડિયોમાં જોવા મળતું હતું. પોલીસ વિભાગ પોતાની ફરજ બજાવવામાં ચૂકી રહ્યું હોય તેવું જણાઇ રહ્યું હતું. પરિણામે ગુરૂવારના રોજ દલિત સમાજના આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન, મુખ્ય સચિવ સમક્ષ ફાલ્ગુની પટેલ સામે ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

દલિત આગેવાનોએ મુખ્ય પ્રઘાનને DYSP ફાલ્ગુની પટેલ સામે ફરિયાદ કરવા રજૂઆત કરી

જે સંદર્ભે દલિત આગેવાન કેવલ રાઠોડે કહ્યું કે ખંભીસરમાં D.Y.S.P ફાલ્ગુની પટેલ લાજવાને બાજે બદલે ગાજી રહ્યાં હતા. પરિણામે તેમની સામે તાત્કાલિક અસરથી FIR દાખલ કરવામાં આવે, રાજ્યમાં દલિતોના વરઘોડા રોકવામાં આવેલ આવી રહ્યાં છે, તે એક પૂર્વનિયોજિત કાવતરૂ હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

તો આ અંગે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દલિત સમાજના વરઘોડા મામલે સરકાર કામગીરી કરી રહી છે. પરંતુ ગઈ કાલ મોડી રાત્રે પણ ખેડા જિલ્લામાં દલિત સમાજના વરઘોડા પર હુમલાઓ કરવામાં આવ્યા છે. સામાજિક સમરસતા જાળવી રાખવા કમિટીઓ બનાવવાની વાત કરવામાં આવી છે. તેમ છતાં પણ દલિતો પર હુમલાઓ અટકતા નથી.

Intro:હેડિંગ) ખંભીસરમા દલિત સમાજ ઉપર પોતાના હોદ્દાનો રુવાબ છાટનાર DySp ફાલ્ગુની પટેલ સામે ફરિયાદ કરો

ગાંધીનગર,

ગુજરાતમાં દલિત સમાજના વરઘોડા ઉપર હુમલાની ઘટનાઓ અંકુશમાં આવતી નથી. ગતરાત્રે પણ ખેડા જિલ્લાના એક ગામમાં વર ઘોડા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે મોડાસાના ખંભીસર ગામમાં દલિત સમાજના વરઘોડા દરમિયાન ડીવાયએસપી ફાલ્ગુની પટેલ દ્વારા મગજ ઉપરનો કંટ્રોલ ગુમાવવામાં આવ્યો હતો. મન ફાવે તેવા શબ્દો બોલ્યા હતા, ત્યારે આ બાબતે દલિત સમાજના આગેવાનો દ્વારા મુખ્ય પ્રધાનથી લઈને ચીફ સેક્રેટરી સુધી ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે એફઆઇઆર દાખલ કરવા માટે રજૂઆત કરી હતી. જ્યારે આ પૂર્વ યોજીત કાવતરૂ હોવાનું લઈને એસ આર ટી રચવાની પણ માંગ કરી હતી.


Body:રાજ્યમાં એક પછી એક દલિત સમાજ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે. સરકાર દ્વારા આ બાબતે કડીના લહોર ગામમાં થયેલા હુમલામા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ મોડાસાના ખંભીસર ગામમાં દલિત સમાજના વરઘોડા દરમિયાન ડીવાયએસપી ફાલ્ગુની પટેલ દ્વારા અભદ્ર ભાષા માં ઉચ્ચાર કરવામાં આવ્યો હતો. પોતાનો હોદ્દાનો દુરુપયોગ કર્યો હોય તેવું વાયરલ વીડિયોમાં જોવા મળતું હતું. તેવા સમયે પોલીસે પોતાની ફરજ બજાવવાની જગ્યાએ ઊલટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ જોવા મળી હતી. પરિણામે આજે દલિત સમાજના આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહ પ્રધાન, મુખ્ય સચિવને ફાલ્ગુની પટેલ સામે આ ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરવામાં આવી હતી.


Conclusion:આગેવાન કેવલ રાઠોડે કહ્યું કે ખંભીસરમા ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલ લાજવાને બાજે બદલે ગાજી રહ્યા હતા. પરિણામે તેમની સામે તાત્કાલિક અસરથી એફઆઇઆર દાખલ કરવામાં આવે, રાજ્યમાં દલિતોના વરઘોડા રોકવામાં આવેલ આવી રહ્યા છે, તે એક પૂર્વનિયોજિત કાવતરૂ હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી આ બાબતની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. દલિત સમાજના વરઘોડા ઉપર સરકાર કામગીરી કરી રહી છે તેઓ ગુરુપ્રધાન જણાવી રહ્યા છે પરંતુ ગઈ કાલ મોડી રાત્રે પણ ખેડા જિલ્લામાં દલિત સમાજના વરઘોડા ઉપર હુમલાઓ કરવામાં આવ્યા છે. સામાજિક સમરસતા જાળવી રાખવા કમિટીઓ બનાવવાની વાત કરવામાં આવી છે. તેમ છતાં પણ હુમલાઓ અટકતા નથી, ત્યારે આ બાબત પણ એક શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.