ગઢડાઃ ગઢડા 106 વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપના પ્રધાનો પ્રચારમાં લાગી ગયા છે. રાજ્યના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો સાથે બેઠક કરી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે ગઢડા સહિત સૌરાષ્ટ્રની ત્રણ સીટો ઉપર મને જે જવાબદારી આપવામાં આવી છે તે તમામ બેઠકો પર ભાજપની જીત થશે.

ચાવડાએ જણાવ્યું હતું કે, સોરાષ્ટ્રની ત્રણ સીટોની જવાબદારી તેમની સોંપવામાં આવી છે. તેથી તે પુરો પ્રયાસ કરે કે ત્રણ સીટ પર ભાજપનો જ વિજય થશે. આ સાથે જ તેમણે કોરોના ગાઈડલાઈનનું પાલન કરી, માસ્ક પહેરવા અને સેનિટાઈજરનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.