ETV Bharat / state

શાળા બચત બેંક: એવી શાળા જ્યાં પ્રાથમિક શાળાના બાળકો શીખે છે 'મની મેનેજમેન્ટ'

author img

By

Published : Dec 15, 2019, 4:09 AM IST

ભાવનગર: નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે આર્થિક બચતના પાઠ પણ શીખવવામાં આવી રહ્યા છે. આ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 4થી 8ના વિદ્યાર્થીઓ માટે "શાળા બચત બેંક" કાર્યરત છે. જેમાં વિદ્યાર્થીઓ તેમના ખિસ્સા ખર્ચી સહિતના રૂપિયા બચાવી શાળા બચત બેંકમાં જમા કરાવી રહ્યા છે. બચતના આ રૂપિયાને શાળાની કેન્ટીનમાં રોકાણ કરી તેના નફામાંથી વાર્ષિક 10 ટકા વ્યાજ પણ આપવામાં આવે છે.

Bhavnagar
શાળા બચત બેંક

પ્રાથમિક શિક્ષણના પ્રારંભથી જ ભાવનગરની નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે-સાથે આર્થિક બચતના પાઠ પણ શીખવવામાં આવી રહ્યા છે. જીવનમાં સફળ બનવાના નિશ્ચય સાથે અહીંના વિદ્યાર્થીઓ અભ્યાસ તો કરી જ રહ્યાં છે પરંતુ તેમને આર્થિક બચતનું મહત્વ પણ શરુઆતથી જ સમજાવવામાં આવશે તો જીવન વધુ સરળ બનશે. આ ઉમદા હેતુથી નવાગામ પ્રાથમિક શાળામાં "શાળા બચત બેંક" શરુ કરવામાં આવી હતી.

અહીંના શિક્ષિકા યાસ્મીન બેન માખણીયા દ્વારા વિદ્યાર્થીઓની આ બેંક ચલાવવામાં આવે છે. જેમાં ધોરણ 4થી 8ના બાળકો 10 રુપિયાથી પોતાનું ખાતું ખોલાવી શકે છે. શાળા બચત બેંકનો વહીવટ પણ બીજી બેંકોની જેમ છે. જેમાં પાસબુકથી લઈને વ્યાજ તેમજ રોકાણ સહિતની સીસ્ટમ તૈયાર કરવામાં આવી છે. શાળાના સમય દરમિયાન સવારે 10:30થી 11:30 સુધીમાં વિદ્યાર્થીઓ નાણાં જમા કરાવી શકે છે અને ઉપાડી શકે છે. જો ખાતામાં મોટી રકમ જમા હોય અને કોઈ વિદ્યાર્થી તેમાંથી મોટી રકમ ઉપાડવા ઈચ્છે તો શિક્ષક તેના વાલી સાથે વાત કર્યા બાદ જ મોટી રકમ ઉપાડવાની છૂટ આપે છે. જેથી બાળકો ખોટી રીતે નાણાં ઉપાડતા નથી તેનો ખ્યાલ પણ રાખવામાં આવે છે.

શાળા બચત બેંક

નવાગામ પ્રાથમિક શાળાની આ બચત બેન્કના નાણાંનું રોકાણ શાળામાં જ બનેલી રામહટ અને કેન્ટીનમાં કરવામાં આવે છે. રામહટ કે જેમાં બાળકો માટે પુસ્તક સહિતની અન્ય સ્ટેશનરી રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાત અનુસાર ત્યાંથી ખરીદી કરે છે. જયારે કેન્ટીનમાં નાસ્તા સહિતની વસ્તુઓ રાખવામાં આવે છે. આ બંને વિભાગમાં જે વાર્ષિક નફો થાય છે તે નફામાંથી વાર્ષિક 10 ટકા વ્યાજ વિદ્યાર્થીઓએ રોકેલી મૂડી પર આપવામાં આવે છે. આ બેંક છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે.

પ્રાથમિક શિક્ષણના પ્રારંભથી જ ભાવનગરની નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે-સાથે આર્થિક બચતના પાઠ પણ શીખવવામાં આવી રહ્યા છે. જીવનમાં સફળ બનવાના નિશ્ચય સાથે અહીંના વિદ્યાર્થીઓ અભ્યાસ તો કરી જ રહ્યાં છે પરંતુ તેમને આર્થિક બચતનું મહત્વ પણ શરુઆતથી જ સમજાવવામાં આવશે તો જીવન વધુ સરળ બનશે. આ ઉમદા હેતુથી નવાગામ પ્રાથમિક શાળામાં "શાળા બચત બેંક" શરુ કરવામાં આવી હતી.

અહીંના શિક્ષિકા યાસ્મીન બેન માખણીયા દ્વારા વિદ્યાર્થીઓની આ બેંક ચલાવવામાં આવે છે. જેમાં ધોરણ 4થી 8ના બાળકો 10 રુપિયાથી પોતાનું ખાતું ખોલાવી શકે છે. શાળા બચત બેંકનો વહીવટ પણ બીજી બેંકોની જેમ છે. જેમાં પાસબુકથી લઈને વ્યાજ તેમજ રોકાણ સહિતની સીસ્ટમ તૈયાર કરવામાં આવી છે. શાળાના સમય દરમિયાન સવારે 10:30થી 11:30 સુધીમાં વિદ્યાર્થીઓ નાણાં જમા કરાવી શકે છે અને ઉપાડી શકે છે. જો ખાતામાં મોટી રકમ જમા હોય અને કોઈ વિદ્યાર્થી તેમાંથી મોટી રકમ ઉપાડવા ઈચ્છે તો શિક્ષક તેના વાલી સાથે વાત કર્યા બાદ જ મોટી રકમ ઉપાડવાની છૂટ આપે છે. જેથી બાળકો ખોટી રીતે નાણાં ઉપાડતા નથી તેનો ખ્યાલ પણ રાખવામાં આવે છે.

શાળા બચત બેંક

નવાગામ પ્રાથમિક શાળાની આ બચત બેન્કના નાણાંનું રોકાણ શાળામાં જ બનેલી રામહટ અને કેન્ટીનમાં કરવામાં આવે છે. રામહટ કે જેમાં બાળકો માટે પુસ્તક સહિતની અન્ય સ્ટેશનરી રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાત અનુસાર ત્યાંથી ખરીદી કરે છે. જયારે કેન્ટીનમાં નાસ્તા સહિતની વસ્તુઓ રાખવામાં આવે છે. આ બંને વિભાગમાં જે વાર્ષિક નફો થાય છે તે નફામાંથી વાર્ષિક 10 ટકા વ્યાજ વિદ્યાર્થીઓએ રોકેલી મૂડી પર આપવામાં આવે છે. આ બેંક છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે.

Intro:એપૃવલ : સ્ટોરી આઈડિયા પાસ
ફોર્મેટ : પેકેજ

ભાવનગરના નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસની સાથે આર્થિક બચતના પાઠ પણ શીખવવામાં આવી રહ્યા છે. આ શાળામાં અભ્યાસ કરતા ધો.૪ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ખાસ "શાળા બચત બેંક" કાર્યરત છે. જેમાં વિદ્યાર્થીઓ તેમના ખિસ્સા ખર્ચી સહિતના અન્ય રૂપિયા બચાવી "શાળા બચત બેંક"માં જમા કરાવી રહ્યા છે. બચતના આ રૂ. ને શાળાના રામહાટ તેમજ કેન્ટીન માં રોકાણ કરી તેમના નફા માંથી વાર્ષિક ૧૦% વ્યાજ પણ આપવામાં આવે છે.Body:પ્રાથમિક શિક્ષણના પ્રારંભ થી એટલેકે ધો.૪ થી ભાવનગરના નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે આર્થિક બચતના પાઠ શીખવવામાં આવી રહ્યા છે. જીવનમાં કાઈક બનવા ના નિશ્ચય  સાથે શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ તો કરી રહ્યા છે પરંતુ તેમને જીવનમાં જો આર્થિક બચતનું મહત્વ ખબર હશે તો જીવન વધુ સરળ બનશે. આવા જ ઉમદા હેતુથી નવાગામ પ્રાથમિક શાળામાં "શાળા બચત બેંક" કાર્યરત છે. યાસ્મીન બેન માખણીયા નામની શિક્ષિકા કે જે આ વિદ્યાર્થીઓ ની બેંક ચલાવે છે. જેમાં ધો. ૪ થી ૮ ના બાળકો પોતાનું ખાતું ૧૦ રૂ. ના રોકાણ સાથે ખોલાવી શકે છે. આ બેંક નો વહીવટ પણ બીજી બેંકો ની જેમ જ છે. જેમાં પાસબુક થી લઇ અને વ્યાજ અને રોકાણ સહિતની સીસ્ટમ ને તૈયાર કરવામાં આવી છે. શાળાના સમયમાં ૧૦.૩૦ થી ૧૧.૩૦ સુધીમાં વિદ્યાર્થીઓ તેમના વર્ગના ટાઈમટેબલ અનુસાર નાણા જમા કરાવી શકે છે કે ઉપાડી શકે છે. જો કે ખાતામાં જો મોટી રકમ જમા હોય અને કોઈ વિદ્યાર્થી તેમાંથી મોટી રકમ ઉપાડવા અંગે શિક્ષક ને વાત કરે તો તેમના વાલી સાથે વાતચીત કર્યા બાદ જ નાણા ની લેવડ દેવડ કરવામાં આવે છે જેથી બાળકો ખોટી રીતે નાણા ઉપાડતા નથી તેનો ખ્યાલ પણ રાખવામાં આવે છે.


નવાગામ પ્રાથમિક શાળામાં આવેલ આ બચત બેન્કના નાણા ને શાળામાંજ બનેલી રામહટ અને કેન્ટીન માં રોકાણ કરવામાં આવે છે. રામહટ કે જેમાં બાળકોને બુક્સ થી લઇ કંપાસ-પેન-પેન્સિલ-ચેક રબ્બર સહિતની તમામ જરૂરી વસ્તુઓ રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ તેમની જરૂરિયાત અનુસાર ત્યાંથી ખરીદ કરે છે. જયારે કેન્ટીન કે જેમાં વિદ્યાર્થીઓ માટે ચોકલેટ-બિસ્કીટ સહીત નો કોરો નાસ્તો કહી શકાય તેવી વસ્તુઓ પણ રાખવામાં આવે છે.  સામાન્ય નફા સાથે બાળકોને  રામહટ અને  કેન્ટીન માંથી વસ્તુઓ આપવામાં આવે છે અને આ બંને વિભાગોમાં વાર્ષિક જે નફો થાય છે તે નફા માંથી વાર્ષિક ૧૦% વ્યાજ વિદ્યાર્થીઓએ રોકેલી મૂડી પર આપવામાં આવે છે. હાલ આ શાળા બચત બેંકમાં ૯૭,૦૦૦ જેટલી માતબર રકમ વિદ્યાર્થીઓ દ્વારા બચત રૂપે જમા થઈ છે.Conclusion:આ બેંક છેલ્લા પાંચ વર્ષથી ખુબજ સરળતા પૂર્વક કાર્યરત છે. આ બેંકમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ૫૦,૦૦૦ કરતા વધુ રકમ ની બચત કરી ચુક્યા છે જયારે અમુક વિદ્યાર્થીઓએ ૧૫ થી ૨૦ હજાર જેટલી માતબર રકમ ૩ થી ૪ વર્ષ દરમ્યાન એકઠી કરી છે. તો કોઈ વિદ્યાર્થીએ બચતના રૂપિયા જરૂર પડતા તેમાંથી ઉપાડી પરિવારને મદદરૂપ પણ બની રહ્યા છે.

જીવનના પ્રારંભિક તબક્કામાંથી જ જો આર્થિક બચત કેમ કરવી તેનો ખ્યાલ આવી જાય તો વિદ્યાર્થી પોતેજ તેના ભણતરના ખર્ચનો ભાર હળવો કરી શકે છે તેમજ પોતાના પરિવારને પણ મદદરૂપ બની શકે છે જેથી આ અંગેનું અનુકરણ અન્ય શાળાઓમાં પણ કરવામાં આવે તે જરૂરી છે.

બાઈટ: દર્શન રાઠોડ-વિદ્યાર્થી-નવાગામ પ્રાથમિક શાળા.

બાઈટ: વૈશાલી બાંભણીયા-વિદ્યાર્થીની-નવાગામ પ્રાથમિક શાળા

બાઈટ: યાસ્મીન માખણીયા-શિક્ષિકા-નવાગામ પ્રા.શાળા.

બાઈટ: હરદેવ ગઢવી-શિક્ષક-નવાગામ પ્રા.શાળા.

બાઈટ: રાજુભાઇ જાની-આચાર્ય-નવાગામ-પ્રા. શાળા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.