ભાવનગર : જિલ્લામાં ભીમ અગિયારસ નિમિતે વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું. સવારથી વાદળો વચ્ચે લોકોનો દિવસ પસાર થયો હતો અને વાદળોના કારણે ગરમીમાંથી રાહત મળી હતી. લોકોએ અગિયારસમાં ગઈકાલે આવેલા વરસાદથી સસ્તી થયેલી કેરી પણ આરોગી હતી.


ભીમ અગિયારસને લઈ ભાવનગરની બજાર કેરીથી ઉભરાઈ ગઈ છે. ભીમ અગિયારસ પૂર્વે કેરીની ખરીદી માટે બજારમાં લોકોની અવન-જવન વધી ગઈ હતી. ભીમ અગિયારસનું પર્વ આમ તો કેરી ખાવા અને વાવણી તેમજ ઉપવાસ-વ્રત કરી ઉજવણી થાય છે.