ETV Bharat / state

Bhavnagar Onion Farmers : ડુંગળીની સ્મશાનયાત્રા, અંતિમવિધિ અને બેસણું યોજી ડાકલાં પણ બેસાડ્યાં, સરકારને આપી આ ચીમકી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 8:47 PM IST

ભાવનગર જિલ્લામાં નિકાસબંધીથી વિરોધનો વંટોળ, આંદોલન શરૂ થયા છે. ડુંગળીની સ્મશાનયાત્રા,અંતિમ વિધિ અને બેસણું યોજીને ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો છે. ખેડૂતોએ નવતર વિરોધ અને આંદોલન સાથે રસ્તા પર ઉતરવાની ચીમકી સરકારને આપી છે.

Bhavnagar Onion Farmers : ડુંગળીની સ્મશાનયાત્રા, અંતિમવિધિ અને બેસણું યોજી ડાકલાં પણ બેસાડ્યાં, સરકારને આપી આ ચીમકી
Bhavnagar Onion Farmers : ડુંગળીની સ્મશાનયાત્રા, અંતિમવિધિ અને બેસણું યોજી ડાકલાં પણ બેસાડ્યાં, સરકારને આપી આ ચીમકી

રસ્તા પર ઉતરવાની ચીમકી

ભાવનગર : ડુંગળીના ભાવે ખેડૂતોમાં આક્રોશ ઉભો કરી દીધો છે. વિરોધ પક્ષ મેદાનમાં છે ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે ખેડૂતોએ અવનવા વિચાર સાથે પ્રયોગ કર્યો છે. ડુંગળીની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. ખેડૂતોએ યોજેલી સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. સ્મશાન યાત્રા બાદ ભંડારીયા ગામે બેસણું પણ યોજવામાં આવ્યું હતું. ખેડૂતોના નવતર પ્રયોગે સૌને ચોંકાવ્યા હતા.

ખેડૂતોનો નવતર વિરોધ : ભાવનગર જિલ્લામાં ખેડૂતોને ડુંગળી હાલમાં રડાવી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ટાણા,મહુવા બાદ હવે ઘોઘામાં ડુંગળીના ભાવને પગલે ખેડૂતોએ નવતર વિરોધ કર્યો હતો. ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે ઘોઘામાં અમે ડુંગળીની સ્મશાનયાત્રા યોજી છે. ડુંગળીના ભાવ જે રીતે ઉતરી ગયા અને ખેડૂત પાયમાલ બન્યો છે તેને પગલે સ્મશાન યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ખેડૂતોએ હાથમાં રૂમાલ અને સાથે મળીને રડતા રડતા સ્મશાનયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું છે. ડુંગળી મરવરી પડતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. ભંડારીયા ગામે પણ બેસણું યોજવામાં આવ્યું છે જેમાં જિલ્લાના પ્રતિનિધિઓ આવ્યા હતા.

સ્મશાન યાત્રા અને બાદમાં બેસણું પણ યોજવામાં આવ્યું : ભાવનગર જિલ્લાના ખેડૂતો આગેવાન ભરતસિંહ વાળાના જણાવ્યા પ્રમાણે ભાવનગર જિલ્લાના ઘોઘeથી સ્મશાન યાત્રા નીકળીને નેસવડ સુધી પહોંચી હતી. જ્યાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામે ડુંગળીનું બેસણું પણ રાખવામાં આવ્યું હતું. આમ ખેડૂતો દ્વારા ડુંગળીના ભાવને પગલે નવતર કાર્યક્રમ આપવામાં આવ્યા હતાં

8 તારીખથી અમારો વિરોધ છે. ભંડારીયામાં અમારા ખેડૂતોની એક મિટિંગ મળી હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી બે દિવસોમાં સરકારમાં નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમે જે પકવીયે છીએ તે પાક યાર્ડમાં લાવવાનું બંધ કરશું અને પાક લઈને રસ્તા ઉપર આવશું. પછી સરકારે જોયા જેવી થશે... ભરતસિંહ વાળા (પ્રમુખ,ખેડૂત કલ્યાણ સંઘ,ભાવનગર)

ભાવનગર અને ઘોઘાનું યાર્ડ સંયુક્ત ભાવનગર યાર્ડ : ભાવનગર જિલ્લો ડુંગળી પકવવામાં પીઠું માનવામાં આવે છે ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ભાવનગર અને ઘોઘા ખેડૂતો માટે સંયુક્ત યાર્ડ છે. ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલમાં 20,000 કરતાં વધારે ગુણીની આવક શરૂ થઈ ગઈ છે. પરંતુ ડુંગળીના ભાવ નીચા 100 જવા પામ્યા છે અને વધુમાં વધુ 340 જેવું ભાવ 20 કિલોનો મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે 350 ઉપર જો ખેડૂતોને કિંમત મળે તો તેનું પોષણક્ષમ માની શકાય. પરંતુ એવું બનતું નથી. નિકાસબંધી લાદી દેવાને કારણે ખેડૂતોને ડુંગળીના ભાવમાં આર્થિક મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે. જેને પગલે ચારે તરફ વિરોધના સૂર ઉઠી રહ્યા છે.

ડુંગળીના ભાવની માંગ શું છે : ભાવનગર જિલ્લામાં મહુવામાં ડુંગળીના ભાવને લઈને વિરોધનો વંટોળ શરૂ થયો હતો. ધીરે ધીરે સમગ્ર જિલ્લામાં ડુંગળીના ભાવના લઈને ખેડૂતો અને તેના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાવનગર જિલ્લાના ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ તો ખેડૂતોને 50 કિલો ડુંગળી સરકાર ખરીદી કરે તેવી માંગ કરી દીધેલી છે. આવેદનપત્ર પણ પાઠવ્યા છે અને ડુંગળીના હાર પહેરીને પોતાનો રોષ પણ ઠાલવ્યો છે દર વર્ષે ડુંગળી મોટી સંખ્યામાં ડિસેમ્બર માસમાં યાર્ડમાં આવે છે. ત્યારે ડુંગળીને આવક શરૂ થતા જ સરકારને નિકાસબંધી ખેડૂતોના પેટ ઉપર પાટુ મારવા સમાન ખેડૂતો માની રહ્યા છે.

  1. 'ડુંગળી અમને નથી રડાવતી સરકાર રડાવે છે', ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાનો હુંકાર
  2. Onion Farmers Protest: ડુંગળીની નિકાસબંધીના વિરોધની પરાકાષ્ટા, ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીમાં સમાધિ લીધી

રસ્તા પર ઉતરવાની ચીમકી

ભાવનગર : ડુંગળીના ભાવે ખેડૂતોમાં આક્રોશ ઉભો કરી દીધો છે. વિરોધ પક્ષ મેદાનમાં છે ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે ખેડૂતોએ અવનવા વિચાર સાથે પ્રયોગ કર્યો છે. ડુંગળીની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. ખેડૂતોએ યોજેલી સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. સ્મશાન યાત્રા બાદ ભંડારીયા ગામે બેસણું પણ યોજવામાં આવ્યું હતું. ખેડૂતોના નવતર પ્રયોગે સૌને ચોંકાવ્યા હતા.

ખેડૂતોનો નવતર વિરોધ : ભાવનગર જિલ્લામાં ખેડૂતોને ડુંગળી હાલમાં રડાવી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ટાણા,મહુવા બાદ હવે ઘોઘામાં ડુંગળીના ભાવને પગલે ખેડૂતોએ નવતર વિરોધ કર્યો હતો. ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે ઘોઘામાં અમે ડુંગળીની સ્મશાનયાત્રા યોજી છે. ડુંગળીના ભાવ જે રીતે ઉતરી ગયા અને ખેડૂત પાયમાલ બન્યો છે તેને પગલે સ્મશાન યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ખેડૂતોએ હાથમાં રૂમાલ અને સાથે મળીને રડતા રડતા સ્મશાનયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું છે. ડુંગળી મરવરી પડતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. ભંડારીયા ગામે પણ બેસણું યોજવામાં આવ્યું છે જેમાં જિલ્લાના પ્રતિનિધિઓ આવ્યા હતા.

સ્મશાન યાત્રા અને બાદમાં બેસણું પણ યોજવામાં આવ્યું : ભાવનગર જિલ્લાના ખેડૂતો આગેવાન ભરતસિંહ વાળાના જણાવ્યા પ્રમાણે ભાવનગર જિલ્લાના ઘોઘeથી સ્મશાન યાત્રા નીકળીને નેસવડ સુધી પહોંચી હતી. જ્યાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામે ડુંગળીનું બેસણું પણ રાખવામાં આવ્યું હતું. આમ ખેડૂતો દ્વારા ડુંગળીના ભાવને પગલે નવતર કાર્યક્રમ આપવામાં આવ્યા હતાં

8 તારીખથી અમારો વિરોધ છે. ભંડારીયામાં અમારા ખેડૂતોની એક મિટિંગ મળી હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી બે દિવસોમાં સરકારમાં નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમે જે પકવીયે છીએ તે પાક યાર્ડમાં લાવવાનું બંધ કરશું અને પાક લઈને રસ્તા ઉપર આવશું. પછી સરકારે જોયા જેવી થશે... ભરતસિંહ વાળા (પ્રમુખ,ખેડૂત કલ્યાણ સંઘ,ભાવનગર)

ભાવનગર અને ઘોઘાનું યાર્ડ સંયુક્ત ભાવનગર યાર્ડ : ભાવનગર જિલ્લો ડુંગળી પકવવામાં પીઠું માનવામાં આવે છે ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ભાવનગર અને ઘોઘા ખેડૂતો માટે સંયુક્ત યાર્ડ છે. ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલમાં 20,000 કરતાં વધારે ગુણીની આવક શરૂ થઈ ગઈ છે. પરંતુ ડુંગળીના ભાવ નીચા 100 જવા પામ્યા છે અને વધુમાં વધુ 340 જેવું ભાવ 20 કિલોનો મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે 350 ઉપર જો ખેડૂતોને કિંમત મળે તો તેનું પોષણક્ષમ માની શકાય. પરંતુ એવું બનતું નથી. નિકાસબંધી લાદી દેવાને કારણે ખેડૂતોને ડુંગળીના ભાવમાં આર્થિક મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે. જેને પગલે ચારે તરફ વિરોધના સૂર ઉઠી રહ્યા છે.

ડુંગળીના ભાવની માંગ શું છે : ભાવનગર જિલ્લામાં મહુવામાં ડુંગળીના ભાવને લઈને વિરોધનો વંટોળ શરૂ થયો હતો. ધીરે ધીરે સમગ્ર જિલ્લામાં ડુંગળીના ભાવના લઈને ખેડૂતો અને તેના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાવનગર જિલ્લાના ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ તો ખેડૂતોને 50 કિલો ડુંગળી સરકાર ખરીદી કરે તેવી માંગ કરી દીધેલી છે. આવેદનપત્ર પણ પાઠવ્યા છે અને ડુંગળીના હાર પહેરીને પોતાનો રોષ પણ ઠાલવ્યો છે દર વર્ષે ડુંગળી મોટી સંખ્યામાં ડિસેમ્બર માસમાં યાર્ડમાં આવે છે. ત્યારે ડુંગળીને આવક શરૂ થતા જ સરકારને નિકાસબંધી ખેડૂતોના પેટ ઉપર પાટુ મારવા સમાન ખેડૂતો માની રહ્યા છે.

  1. 'ડુંગળી અમને નથી રડાવતી સરકાર રડાવે છે', ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાનો હુંકાર
  2. Onion Farmers Protest: ડુંગળીની નિકાસબંધીના વિરોધની પરાકાષ્ટા, ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીમાં સમાધિ લીધી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.