ETV Bharat / state

ભાવનગર કોરોના અપડેટ: પોઝિટિવ કેસનો આંક 2500 નજીક

author img

By

Published : Aug 24, 2020, 11:54 PM IST

ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર કોરોનાના આંકડા છુપાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જાણો શું છે હકીકત?

Bhavnagar corona update
Bhavnagar corona update

ભાવનગર: જિલ્લામાં કોરોનાનો આંકડો 2500 નજીક પહોંચવા આવ્યો છે. મૃત્યુના આંકડામાં ગોલમાલની ગંધ છે, તો સ્વસ્થ થવાની ટકાવારી 2000 આસપાસ પહોંચવા આવી છે.

ભાવનગરમાં સંક્રમણ રોજનું 50 કેસ ઉપરનું હોવાની શક્યતા છે, પણ જાણે આંકડો મેનેજ કરવામાં આવતો હોય તેમ આંકડા તંત્ર બતાવી રહ્યું છે. સ્મશાનમાં આવતા મૃતદેહો છતાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી વિગતમાં મૃત્યુની નોંધ કરવામાં આવતી નથી.

ભાવનગરમાં આંકડો 2500 નજીક પહોંચવામાં આવ્યો છે ત્યારે લોકોમાં પણ ચિંતા છે કે શું આટલા જ કેસ છે કે પછી

ભાવનગર શહેરમાં 2472ની પાર પહોંચ્યો આંકડો છે. ભાવનગરમાં કોરોના કેસો દિવસની એવરેજમાં વધી રહ્યાં છે. ભાવનગરમાં 24 ઓગસ્ટના રોજ 49 કેસો આવ્યા છે. મુખ્યપ્રધાને ભાવનગરમાં તંત્ર સાથે બેઠક યોજી હતી. તેમ છતાં તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહીં કરવાની રણનીતિ બનાવી છે. જો કે, આંકડા ઘટવા પાછળ કારણ શું છે ? અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં અનલોકનો પ્રારંભ થયો હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે.

ભાવનગર જિલ્લાનો આંકડો 2472 પહોંચી ગયો છે. કોરોનાના કેસો દિવસમાં 20 ઓછામાં ઓછા છેલ્લા ઘણા સમયથી આવી રહ્યાં છે. 20થી લઈને 30 સુધી તો ક્યારેક 30ને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટાવી ચુક્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે.

શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યાં છે. આજ 24 ઓગસ્ટના દિવસે 49 કેસ સાંજ સુધીમાં નોંધાઇ ચૂક્યા હતા, તો શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે. નામ જાહેર નહીં કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.

સૌથી અચંબાની વાત એ છે કે, આંકડો સ્થિર થયો છે. કેસ શહેર જિલ્લામાં સીમિત થઈ ગયા છે. કોરોના કેસ અચાનક ઓછા આવવવાથી લોકોમાં ગુસ્સો હતો કે, આંકડા હવે છુપાવાઈ રહ્યાં છે. જો કે, તંત્રએ અચાનક ટ્રાવેલ હિસ્ટ્રી અને નામો જાહેર કરવાનું બંધ કરવા પાછળનું કારણ દર્શાવ્યું નથી.

આંકડો સોમવારે 24 ઓગસ્ટએ 2472 પર ગયો છે. સ્વસ્થ થવાના કેસો વધી રહ્યાં છે. મતલબ સાફ છે કે, અંદર ખાને ચાલતી ક્યાંક ગોલમાલ જરૂર છે. અગાઉ 26 આવેલા કેસોમાં પણ સ્પષ્ટતા તંત્રએ હજૂ સુધી કરી નથી કોઈ હિસાબ આપવામાં આવ્યો નથી.

ગોલમાલ હે ભાઈ ગોલમાલ હે, જેવા શબ્દો લોકોના મૂખે ચર્ચાઈ રહ્યા છે. લોકોની માગ છે, નામ જાહેર કરો તો બીજા જાગૃત રહે આવી સ્થિતિમાં લોકોને મરવા છોડી દીધા હોઈ તેમ લાગી રહ્યું છે. મુખ્યપ્રધાન પણ સ્મશાનની વ્યવસ્થા મામલે મનપાની જવાબદારી ગણાવે છે. તેનો મતલબ શું સમજવો કે મૃત્યુ દર વધારે છે અને આંકડામાં ઓછો ?

ભાવનગર સાથે જિલ્લામાં કેસ આવી રહ્યાં છે. ત્યારે ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નોંધાયેલા છે. કેસો 2472 આજદિન સુધી થઈ ચૂક્યા છે. ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા 3 માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 1408 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો 41 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 476 જેટલા દર્દીઓ હજૂ પણ સારવાર લઈ રહ્યાં છે.

સ્વસ્થ થવાનો આંકડો 1920 પર પહોંચી ગયો છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે. ભાવનગરમાં 20થી 50ની અંદર રહે છે. ત્યારે લોકોમાં ચિંતા વધી રહી છે કે, ગોલમાલમાં ક્યાંક તેઓ લપેટમાં ન આવી જાય પણ સવાલ એ છે કે, આખરે તંત્ર આપતું આંકડા સત્ય છે કે પછી?

ભાવનગર: જિલ્લામાં કોરોનાનો આંકડો 2500 નજીક પહોંચવા આવ્યો છે. મૃત્યુના આંકડામાં ગોલમાલની ગંધ છે, તો સ્વસ્થ થવાની ટકાવારી 2000 આસપાસ પહોંચવા આવી છે.

ભાવનગરમાં સંક્રમણ રોજનું 50 કેસ ઉપરનું હોવાની શક્યતા છે, પણ જાણે આંકડો મેનેજ કરવામાં આવતો હોય તેમ આંકડા તંત્ર બતાવી રહ્યું છે. સ્મશાનમાં આવતા મૃતદેહો છતાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી વિગતમાં મૃત્યુની નોંધ કરવામાં આવતી નથી.

ભાવનગરમાં આંકડો 2500 નજીક પહોંચવામાં આવ્યો છે ત્યારે લોકોમાં પણ ચિંતા છે કે શું આટલા જ કેસ છે કે પછી

ભાવનગર શહેરમાં 2472ની પાર પહોંચ્યો આંકડો છે. ભાવનગરમાં કોરોના કેસો દિવસની એવરેજમાં વધી રહ્યાં છે. ભાવનગરમાં 24 ઓગસ્ટના રોજ 49 કેસો આવ્યા છે. મુખ્યપ્રધાને ભાવનગરમાં તંત્ર સાથે બેઠક યોજી હતી. તેમ છતાં તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહીં કરવાની રણનીતિ બનાવી છે. જો કે, આંકડા ઘટવા પાછળ કારણ શું છે ? અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં અનલોકનો પ્રારંભ થયો હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે.

ભાવનગર જિલ્લાનો આંકડો 2472 પહોંચી ગયો છે. કોરોનાના કેસો દિવસમાં 20 ઓછામાં ઓછા છેલ્લા ઘણા સમયથી આવી રહ્યાં છે. 20થી લઈને 30 સુધી તો ક્યારેક 30ને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટાવી ચુક્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે.

શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યાં છે. આજ 24 ઓગસ્ટના દિવસે 49 કેસ સાંજ સુધીમાં નોંધાઇ ચૂક્યા હતા, તો શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે. નામ જાહેર નહીં કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.

સૌથી અચંબાની વાત એ છે કે, આંકડો સ્થિર થયો છે. કેસ શહેર જિલ્લામાં સીમિત થઈ ગયા છે. કોરોના કેસ અચાનક ઓછા આવવવાથી લોકોમાં ગુસ્સો હતો કે, આંકડા હવે છુપાવાઈ રહ્યાં છે. જો કે, તંત્રએ અચાનક ટ્રાવેલ હિસ્ટ્રી અને નામો જાહેર કરવાનું બંધ કરવા પાછળનું કારણ દર્શાવ્યું નથી.

આંકડો સોમવારે 24 ઓગસ્ટએ 2472 પર ગયો છે. સ્વસ્થ થવાના કેસો વધી રહ્યાં છે. મતલબ સાફ છે કે, અંદર ખાને ચાલતી ક્યાંક ગોલમાલ જરૂર છે. અગાઉ 26 આવેલા કેસોમાં પણ સ્પષ્ટતા તંત્રએ હજૂ સુધી કરી નથી કોઈ હિસાબ આપવામાં આવ્યો નથી.

ગોલમાલ હે ભાઈ ગોલમાલ હે, જેવા શબ્દો લોકોના મૂખે ચર્ચાઈ રહ્યા છે. લોકોની માગ છે, નામ જાહેર કરો તો બીજા જાગૃત રહે આવી સ્થિતિમાં લોકોને મરવા છોડી દીધા હોઈ તેમ લાગી રહ્યું છે. મુખ્યપ્રધાન પણ સ્મશાનની વ્યવસ્થા મામલે મનપાની જવાબદારી ગણાવે છે. તેનો મતલબ શું સમજવો કે મૃત્યુ દર વધારે છે અને આંકડામાં ઓછો ?

ભાવનગર સાથે જિલ્લામાં કેસ આવી રહ્યાં છે. ત્યારે ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નોંધાયેલા છે. કેસો 2472 આજદિન સુધી થઈ ચૂક્યા છે. ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા 3 માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 1408 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો 41 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 476 જેટલા દર્દીઓ હજૂ પણ સારવાર લઈ રહ્યાં છે.

સ્વસ્થ થવાનો આંકડો 1920 પર પહોંચી ગયો છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે. ભાવનગરમાં 20થી 50ની અંદર રહે છે. ત્યારે લોકોમાં ચિંતા વધી રહી છે કે, ગોલમાલમાં ક્યાંક તેઓ લપેટમાં ન આવી જાય પણ સવાલ એ છે કે, આખરે તંત્ર આપતું આંકડા સત્ય છે કે પછી?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.