ETV Bharat / state

ભાવનગર-અમદાવાદ રૂટ પર પાણી ભરાતા તંત્ર દ્વારા રોડ તોડાયો

ભાવનગરઃ જિલ્લામાં બોટાદ, પાળીયાદ, રાણપુર સહિતના વિસ્તારોમાં 15 ઈંચ કરતાં વધુ વરસાદ પડતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભાવનગરના ભાલ પંથકમાં વરસાદના પાણી ગામમાં ઘુસી જતા તંત્ર એ ભાવનગર અમદાવાદ હાઇવે પર આવેસ માઢિયા ગામ નજીક માર્ગ તોડી પાણીનો નિકાલ કરવા કામગીરી હાથ ધરી છે. અસરગ્રસ્તોને સ્થળાંતર કરી ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે.

author img

By

Published : Aug 11, 2019, 8:14 PM IST

bhavnagar ahmedabad road

ભાવનગર જિલ્લાના બોટાદ, પાળીયાદ, રાણપુર સહિતના વિસ્તારોમાં 15 ઈંચ કરતાં વધુ વરસાદ પડતાં ભાલ પંથકમાં આવેલા સવાઈનગર, મિઠાપર, સનેસ, માઢીયા, ખેતાખાટલી સહિતના ગામડાઓમાં પાણીની ભારે આવકના કારણે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ હાઈવે પણ બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. રવિવાર સવારથી જ તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવા ટીમ સ્થળ પર પહોંચી હતી. જેમાં મુખ્ય હાઈવે તોડીને પાણી દરિયામાં વહાવી દેવા ભગીરથ કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો. ભાલ પંથકમાં નીતી નિયમો નેવે મુકીને ચોમાસા પૂર્વ ખારાપાટમાં બનાવવામાં આવેલા મીઠાના અગરો-પાળાઓ પાણી નિકાલ માટે મોટી સમસ્યા સર્જી રહ્યા છે. તંત્ર એ રોડ તો તોડ્યો, પરંતુ પાળાઓ અકબંધ હોવાથી પાણી કાઢવાની કામગીરીમાં વિક્ષેપ સર્જાય રહ્યો છે.

ભાવનગર અમદાવાદ રૂટ પર પાણી ભરાતા તંત્ર દ્વારા રોડ તોડાયો

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોનો સર્વે કરી પૂર પિડીતોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તદ્ ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરી બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. છેલ્લા બે દિવસથી ભાવનગર-અમદાવાદ-વડોદરા વચ્ચેનું સંપર્ક કપાઈ જતાં ટ્રાફિક યાતાયાતને માઠી અસર પડી છે. હાલ ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક આવેલ નિરમા ચોકડી પાસે રોડ તોડી પાણી નિકાલ કરવામાં આવી રહ્યું છે. સરકારી તંત્રના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ થાળી પડતાં હજુ સમય લાગશે કારણ કે, ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે કેરી અને વેગડ નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. તેથી આ પરિસ્થિતિના કારણે ભાલમાં વસેલા ગામડાઓની સ્થિતિ વણસી રહી છે. જો કે, તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાંઓ તાત્કાલિક લેવામાં આવી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના બોટાદ, પાળીયાદ, રાણપુર સહિતના વિસ્તારોમાં 15 ઈંચ કરતાં વધુ વરસાદ પડતાં ભાલ પંથકમાં આવેલા સવાઈનગર, મિઠાપર, સનેસ, માઢીયા, ખેતાખાટલી સહિતના ગામડાઓમાં પાણીની ભારે આવકના કારણે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ હાઈવે પણ બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. રવિવાર સવારથી જ તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવા ટીમ સ્થળ પર પહોંચી હતી. જેમાં મુખ્ય હાઈવે તોડીને પાણી દરિયામાં વહાવી દેવા ભગીરથ કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો. ભાલ પંથકમાં નીતી નિયમો નેવે મુકીને ચોમાસા પૂર્વ ખારાપાટમાં બનાવવામાં આવેલા મીઠાના અગરો-પાળાઓ પાણી નિકાલ માટે મોટી સમસ્યા સર્જી રહ્યા છે. તંત્ર એ રોડ તો તોડ્યો, પરંતુ પાળાઓ અકબંધ હોવાથી પાણી કાઢવાની કામગીરીમાં વિક્ષેપ સર્જાય રહ્યો છે.

ભાવનગર અમદાવાદ રૂટ પર પાણી ભરાતા તંત્ર દ્વારા રોડ તોડાયો

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોનો સર્વે કરી પૂર પિડીતોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તદ્ ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરી બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. છેલ્લા બે દિવસથી ભાવનગર-અમદાવાદ-વડોદરા વચ્ચેનું સંપર્ક કપાઈ જતાં ટ્રાફિક યાતાયાતને માઠી અસર પડી છે. હાલ ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક આવેલ નિરમા ચોકડી પાસે રોડ તોડી પાણી નિકાલ કરવામાં આવી રહ્યું છે. સરકારી તંત્રના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ થાળી પડતાં હજુ સમય લાગશે કારણ કે, ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે કેરી અને વેગડ નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. તેથી આ પરિસ્થિતિના કારણે ભાલમાં વસેલા ગામડાઓની સ્થિતિ વણસી રહી છે. જો કે, તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાંઓ તાત્કાલિક લેવામાં આવી રહ્યા છે.

Intro:નોંધ : સ્ટોરી એપરુવલ : કલ્પેશ સર

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વરસાદ ના પાણી ગામમાં ઘુસ્યા તંત્ર એ ભાવનગર અમદાવાદ હાઇવે માઢિયા ગામ નજીક માગૅ તોડી પાણી નો નિકાલ કરવા કામગીરી હાથ ધરી અસરગ્રસ્તોને સ્થળાંતર કરી ફૂડ પેકેટ નું કર્યું વિતરણBody:ભાવનગર જિલ્લાના બોટાદ, પાળીયાદ, રાણપુર સહિતના વિસ્તારોમાં 15 ઈંચ કરતાં વધુ વરસાદ પડતાં ચોમેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ભાવનગર ના ભાલ પંથકમાં આવેલા સવાઈનગર,મિઠાપર,સનેસ,માઢીયા, ખેતાખાટલી સહિતના ગામડાઓમાં ધસમસતા પાણી ઘુસી ગયાં છે પાણી ની ભારે આવક ના કારણે ભાવનગર-અમદાવાદ શોટૅ રૂટ હાઈવે પણ બંધ કરવાની તંત્ર ને ફરજ પડી છે આજે સવારથી જ તંત્ર દ્વારા વરસાદી પાણી નો નિકાલ કરવા ટીમ બનાવી સ્થળ પર પહોંચ્યી હતી જેમાં મુખ્ય હાઈવે તોડીને પાણી દરિયામાં વહાવી દેવા ભગીરથ કાર્ય આરંભ્યું હતું ભાલ પંથકમાં નિતી નિયમો નેવે મુકીને ચોમાસા પૂર્વ ખારાપાટ માં બનાવવામાં આવેલા મીઠા ના અગરો-પાળાઓ પાણી નિકાલ માટે મોટી સમસ્યા સર્જી રહ્યા છે તંત્ર એ રોડ તો તોડયો પરંતુ પાળાઓ અકબંધ હોય જેને પગલે પાણી કાઢવાની કામગીરી માં વિક્ષેપ સર્જાય રહ્યો છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોનો સર્વે કરી પુર પિડીતોને ફૂડ પેકેટ નું વિતરણ કર્યું હતું આ ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરી બચાવ કામગીરી શરૂ કરી હતી છેલ્લા બે દિવસ થી ભાવનગર થી અમદાવાદ વડોદરા વચ્ચે નું સંપર્ક કપાઈ જવા પામ્યો છે ટ્રાફિક યાતાયાત ને ભારે મોટી માઠી અસર પડી છે હાલ ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક આવેલ નિરમા ચોકડી પાસે રોડ તોડી પાણી નિકાલ કરવામાં આવી રહ્યું છે સરકારી તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર પરિસ્થિતિ થાળી પડતાં હજુ સમય લાગશે કારણકે ઉપરવાસ માં થયેલ ભારે વરસાદ ના કારણે ભાલ પંથકમાં થઈ ને ભાવનગર ની ખાડી ને મળતી કેરી અને વેગડ નદીમાં પાણી નો પ્રવાહ વધી રહ્યો છે આવી પરિસ્થિતિ ના કારણે ભાલ માં વસેલા ગિમડાઓની સ્થિતિ વણસી રહી છે જોકે તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં ઓ તત્કાલ લેવામાં આવી રહ્યા છે જેથી જાનમાલની ખુવારી અટકાવી શકાયConclusion:બાઈટ : રાજુભાઇ ( માઢિયા ગામ , ગ્રામજન )
બાઈટ :ચુડાસમા ધર્મનેદ્રસિંહ ( હાઇવે મુસાફર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.