ETV Bharat / state

દેવભાષા સંસ્કૃતનો સંભાષણમાં ઉપયોગ કરતો પરિવાર - sanskrit use in routine life

ભાવનગરઃ પાલીતાણાનો એક પરિવાર રોજીંદા જીવનમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી નહીં પરંતુ દેવભાષા સંસ્કૃતનો ઉપયોગ કરે છે. સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરી અનોખી રાહ કંડારવાની સાથે અનેક લોકોને સંસ્કૃત શીખવી પણ રહ્યાં છે.

Sanskrit language history about Sanskrit language Origin of Sanskrit language Sanskrit language and India
author img

By

Published : Nov 25, 2019, 3:36 PM IST

આ પરિવારે ભારતીય સંસ્કૃતિની જાળવણીનું ઉદાહરણ પુરુ પાડ્યુ છે. સંસ્કૃત સંભાષણનો પ્રારંભ 1997થી તેઓ કરી રહ્યા છે અને તેનો પ્રચાર પ્રસાર દેશ અને વિદેશોમાં પણ કરી ફરી ભારતને વિશ્વગુરુના સ્થાને પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે. આવા ભાવનગર જીલ્લાના પાંચ પરિવારો આજે સંપૂર્ણ સંભાષણ સંસ્કૃતમાં કરી રહ્યા છે જે ગોહિલવાડ માટે ગૌરવની વાત છે.

દેવભાષા સંસ્કૃતનો સંભાષણમાં ઉપયોગ કરતો પરિવાર

વિશ્વમાં અનેક પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે. આ તમામ સમસ્યાનું સમાધાન વર્ષો પહેલા આપણા વેદગ્રંથોમાં ઋષીઓ એ આપ્યું હતું. પરંતુ વિદેશી શાસનોમાં ભારતીય સંસ્કૃતિને અસ્ત કરવા આપણી ભાષાનો નાશ કરવામાં આવ્યો અને વેદ્ભાષા સંસ્કૃતથી આપણને દુર કરી દેવાયા. ત્યારે ફરી એક વાર આ પરિવાર સંસ્કૃત ભાષા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહ્યો છે.

આ પરિવારે ભારતીય સંસ્કૃતિની જાળવણીનું ઉદાહરણ પુરુ પાડ્યુ છે. સંસ્કૃત સંભાષણનો પ્રારંભ 1997થી તેઓ કરી રહ્યા છે અને તેનો પ્રચાર પ્રસાર દેશ અને વિદેશોમાં પણ કરી ફરી ભારતને વિશ્વગુરુના સ્થાને પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે. આવા ભાવનગર જીલ્લાના પાંચ પરિવારો આજે સંપૂર્ણ સંભાષણ સંસ્કૃતમાં કરી રહ્યા છે જે ગોહિલવાડ માટે ગૌરવની વાત છે.

દેવભાષા સંસ્કૃતનો સંભાષણમાં ઉપયોગ કરતો પરિવાર

વિશ્વમાં અનેક પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે. આ તમામ સમસ્યાનું સમાધાન વર્ષો પહેલા આપણા વેદગ્રંથોમાં ઋષીઓ એ આપ્યું હતું. પરંતુ વિદેશી શાસનોમાં ભારતીય સંસ્કૃતિને અસ્ત કરવા આપણી ભાષાનો નાશ કરવામાં આવ્યો અને વેદ્ભાષા સંસ્કૃતથી આપણને દુર કરી દેવાયા. ત્યારે ફરી એક વાર આ પરિવાર સંસ્કૃત ભાષા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહ્યો છે.

Intro:એપૃવલ : કલ્પેશ સર
ફોર્મેટ :પેકેજ

ભાવનગર જીલ્લાના પાલીતાણા ખાતે રહેતો એક પરિવાર કે જે પોતાના રોજીંદા જીવનમાં ગુજરાતી, હિન્દી  કે અંગેજી નહિ પરંતુ દેવભાષા સંસ્કૃતનો ઉપયોગ કરી રહ્યો છે. આ પરિવારના તમામ સભ્યો અને સાથે અન્ય બીજા પરિવાર કે જેઓ આજના સમયમાં ભારતીય સંસ્કૃતિની દુનિયામાં ઓળખ છે એવી સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરી અનોખી રાહ કંડારી રહ્યા છે. આ પરિવારના સભ્યો દ્વારા અન્ય  ૮૦ થી ૯૦ લોકોને પણ સ્પોકન સંસ્કૃત શીખવવામાં આવી રહ્યું છે.
Body:આજના સમયમાં સંસ્કૃત ભાષામાં પારસ્પરિક વાતચીત નું કૌશલ્ય એ પણ લોકો માટે એક ઉદાહરણ રૂપ બાબત કહી શકાય. આપણે સૌ આજના સમયમાં આપણી માતૃભાષા ગુજરાતી  કે પછી હિન્દી–અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘરમાં સામાન્ય વાતચીત થી લઇ કોઈપણ આયોજન અંગે ની ચર્ચા  સંસ્કૃત માં કરવામાં આવે તો એક અચરજ સમાન કહી શકાય અને આ અચરજ ને હકીકતમાં સાર્થક કરી રહ્યો છે પાલીતાણા નો ત્રિવેદી પરિવાર. પાલીતાણા ની પી.એન.આર શાહ મહિલા કોલેજના કાર્યકારી આચાર્ય પ્રા.ડો. પંકજભાઈ ત્રિવેદી  તેમના પત્ની કવિતા બેન તથા બંને બાળકો ઘરમાં સંવાદ સંસ્કૃતમાં કરી રહ્યા છે.  તેમજ તેમને ત્યાં મહેમાન બની આવેલા તેમનાજ સાથી પ્રણવભાઈ અને તેમનો પરિવાર જયારે મળ્યા તો મીઠો આવકાર પણ વેદ્ભાષા સંસ્કૃતમાં જ આપવામાં આવ્યો. તેમના બાળકો પણ ગીતાના શ્લોક કંઠસ્થ બોલી રહ્યા છે . સંસ્કૃત સંભાષણ નો પ્રારંભ ૧૯૯૭ થી આ પરિવારના લોકો કરી રહ્યા છે. અને તેનો પ્રચાર પ્રસાર દેશ અને વિદેશોમાં પણ કરી ફરી ભારતને વિશ્વગુરુ ના સ્થાને પહોચાડવા પ્રયાસ કરી રહ્યા છે.આવા ભાવનગર જીલ્લાના પાંચ પરિવારો આજે સંપૂર્ણ સંભાષણ સંસ્કૃતમાં કરી રહ્યા છે જે ગોહિલવાડ માટે ગૌરવની વાત છે.Conclusion:પાલીતાણા પી.એન.આર શાહ મહિલા કોલેજમાં  સંસ્કૃત નો વ્યાપ વધારવા માટેમાં તમામ કર્યો કરવામાં આવી રહ્યા છે .આ મહિલા કોલેજમાં ૭૦ થી ૮૦ બાળકો સંસ્કૃત શીખી રહ્યા છે અને સંભાષણ કરી રહ્યા છે. સંસ્કૃત એ ભારત ની વેદ્ભાષા છે અને જેના દ્વારા ઝીરો થી લઇ અને વિમાન શાસ્ત્ર સુધીની શોધ કરવામાં આવી છે. આજના સમયમાં વિજ્ઞાન નું મહત્વ ખુબ છે પરંતુ વિજ્ઞાન વાળાને સંસ્કૃત નથી આવડતું અને સંસ્કૃત વાળાને વિજ્ઞાન નથી આવડતું ત્યારે આ બંને વચ્ચે ના ખાડા ને પૂર્ણ કરવા આ શિક્ષકો કડી બની સંસ્કૃત નો વ્યાપ વધારી રહ્યા છે.

તમામ વિશ્વમાં અનેક પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે.આ તમામ સમસ્યાનું સમાધાન વર્ષો પહેલા આપના વેદગ્રંથોમાં ઋષીઓ એ આપ્યું હતું. પરંતુ વિદેશી હુકુમતો ભારતીય સંસ્કૃતિન અને સંસ્કાર ને નશ્તોનાબુદ કરવા આપણી ભાષાનો નાશ કરવામાં આવ્યો અને વેદ્ભાષા સંસ્કૃત થી આપણને દુર કરી દેવામાં આવ્યા. ત્યારે ફરી સંસ્કૃત ભાષાને અમલી બનાવવા ના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને જેમાં સરકાર પણ સહભાગી બની રહી છે અને ૧૦ વર્ષમાં સંસ્કૃત નો વ્યાપ કેટલો વધી શકે તે દિશામાં કાર્ય કરી રહી છે,.

બાઈટ 1 : પંકજ ત્રિવેદી- પી.એન.આર શાહ મહિલા કોલેજ-આચાર્ય-પાલીતાણા.

બાઈટ 2 : ઊર્મિ જાની- સંસ્કૃત પ્રચારક

બાઈટ 3 : પ્રણવભાઈ રાજ્યગુરુ -પરિવારજન

બાઈટ 4 : અમરસિંઘ-શિક્ષક-સંસ્કૃત-પાલીતાણા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.