ETV Bharat / state

અંકલેશ્વરની GIDCમાં ચોરીની શંકાએ ઢોર માર મારતાં યુવકનું મોત - અંકેશ્વર  GIDCમાં યુવકનું મોત

અંકલેશ્વરઃ તાલુકાની GIDCમાં ચોરીની આશંકાએ યુવકને ઢોર માર મારતાં તેનું મોત થયું હતું. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરની GIDCમાં ચોરી આશંકાએ ઢોર માર મારતાં યુવકનું મોત
author img

By

Published : Oct 3, 2019, 10:42 AM IST

અંકલેશ્વરમાં આવેલી GIDCમાં આવેલી જયશ્રી એરોમેટિક કંપનીમાં બુધવારે અજાણ્યા વ્યક્તિઓ ચોરી કરવા ઘુસ્યા હતા. પરંતુ કંપનીના કર્મચારીઓની સતર્કતાના કારણે ચોર ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન કંપની કર્મચારીઓએ ચોરીની આશંકાએ એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો. ગંભીર ઇજા પહોંચતાં તેને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

અંકલેશ્વરની GIDCમાં ચોરી આશંકાએ ઢોર માર મારતાં યુવકનું મોત

ઘટનાની જાણ થતાં GIDC પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક નેત્રંગ તાલુકાના ઝરણા ગામનો હોવાનું બહાર આવ્યું છે. તેનું નામ નરેશ વસાવા હતું અને તે અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો.

અંકલેશ્વરમાં આવેલી GIDCમાં આવેલી જયશ્રી એરોમેટિક કંપનીમાં બુધવારે અજાણ્યા વ્યક્તિઓ ચોરી કરવા ઘુસ્યા હતા. પરંતુ કંપનીના કર્મચારીઓની સતર્કતાના કારણે ચોર ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન કંપની કર્મચારીઓએ ચોરીની આશંકાએ એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો. ગંભીર ઇજા પહોંચતાં તેને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

અંકલેશ્વરની GIDCમાં ચોરી આશંકાએ ઢોર માર મારતાં યુવકનું મોત

ઘટનાની જાણ થતાં GIDC પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક નેત્રંગ તાલુકાના ઝરણા ગામનો હોવાનું બહાર આવ્યું છે. તેનું નામ નરેશ વસાવા હતું અને તે અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો.

Intro:-અંકલેશ્વર જીઆઈડીસીમાં એક વ્યક્તિને ચોરીની આશંકાએ ઢોર માર મરાતા મોત નીપજ્યું

-જયશ્રી એરોમેટિક કંપનીમાં ચોરીના ઈરાદે ઘુસેલ વ્યક્તિને માર મારી મોતને ઘાટ ઉતારાયો

-જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી
Body:અંકલેશ્વર જીઆઈડીસીમાં એક વ્યક્તિને ચોરીની આશંકાએ ઢોર માર મરાતા તેનું મોત નીપજ્યું હતું. જયશ્રી એરોમેટિક કંપનીમાં ચોરીના ઈરાદે ઘુસેલ વ્યક્તિને માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે Conclusion:અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જયશ્રી એરોમેટિક કંપનીમાં ગત મધ્યરાત્રીના ચાર અજાણ્યા ઇસમો ચોરીના ઈરાદે ઘુશ્યા હતા.કંપનીના કર્મચારીઓએ અજાણ્યા ઇસમોને પડકારતા ત્રણ ઇસમો ફરાર થઇ ગયા હતા જ્યારે એક વ્યક્તિ લોકોના હાથે ચઢી જતા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.ગંભીર રીતે ઘવાયેલ ઇસમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.ચોરીની આશંકાએ એક વ્યક્તિને ઢોર માર માર્યા બાદ તેનું મોત નીપજવાની ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ હતી અને તપાસ શરુ કરી હતી જેમાં મૃતક નેત્રંગ તાલુકાના ઝરણા ગામનો રહેવાસી નરેશ વસાવા હોવાનું બહાર આવ્યું છે અને તે અગાઉ પણ ચોરીના ગુન્હામાં સંડોવાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.બનાવ સંદર્ભે જીઆઈડીસી પોલીસે હત્યા અંગેનો ગુન્હો નોધવાની તજવીજ હાથ ધરી છે


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.