ETV Bharat / state

અંકલેશ્વરમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ કરી હત્યા

author img

By

Published : Dec 23, 2019, 7:54 PM IST

અંકલેશ્વર: રાજપીપળા રોડ પર આવેલ પદ્માવતી નગરના ભાડાના મકાનમાં દંપતિ રહેતા હતા. અહીં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ તેનું ગળુ દબાવી હત્યા કરી દેતા ચકચાર મચી છે. પત્નીની હત્યા કરીને પતિ ફરાર થઇ ગયો હતો. બાદમાં પોલીસે તેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ankleshwar
અંકલેશ્વર

અંકલેશ્વરમાં ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશની અને હાલ રાજપીપળા રોડ પર આવેલ પદ્માવતી નગરના ભાડાના મકાનમાં રહેતી 27 વર્ષીય આશાદેવી દિલદાર સીંગ પોતાના ઘરે હતી, આ દરમિયાન પતિ દિલદારસિંહ મોનુસિંહ સિકરવારે પત્ની પર ચારિત્ર્ય અંગેની શંકા રાખી હતી. બાદમાં તેણી સાથે ઝઘડો કરી આવેશમાં આવી જઈ કોઈક સાધન વડે કપાળના ભાગે મારી દેતા તેણીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ તેણીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી.

અંકલેશ્વરમાં ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી

આ હત્યાની ઘટના અંગે સ્થાનિકોએ અંકલેશ્વર જી.આઈ.ઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતા. તેમજ ઘટનાની તપાસ શરુ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. જેના પગલે પોલીસે ફરાર પતિની શોધખોળ શરુ કરી હતી.

ગણતરીનાં સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પતિના અન્ય કોઈ વ્યક્તિ સાથે આડાસંબંધ હોવાની તેના પતિને શંકા હતી. જે બાબતે બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ જ પત્નીની હત્યા કરી દીધી હતી.

અંકલેશ્વરમાં ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશની અને હાલ રાજપીપળા રોડ પર આવેલ પદ્માવતી નગરના ભાડાના મકાનમાં રહેતી 27 વર્ષીય આશાદેવી દિલદાર સીંગ પોતાના ઘરે હતી, આ દરમિયાન પતિ દિલદારસિંહ મોનુસિંહ સિકરવારે પત્ની પર ચારિત્ર્ય અંગેની શંકા રાખી હતી. બાદમાં તેણી સાથે ઝઘડો કરી આવેશમાં આવી જઈ કોઈક સાધન વડે કપાળના ભાગે મારી દેતા તેણીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ તેણીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી.

અંકલેશ્વરમાં ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી

આ હત્યાની ઘટના અંગે સ્થાનિકોએ અંકલેશ્વર જી.આઈ.ઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતા. તેમજ ઘટનાની તપાસ શરુ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. જેના પગલે પોલીસે ફરાર પતિની શોધખોળ શરુ કરી હતી.

ગણતરીનાં સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પતિના અન્ય કોઈ વ્યક્તિ સાથે આડાસંબંધ હોવાની તેના પતિને શંકા હતી. જે બાબતે બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ જ પત્નીની હત્યા કરી દીધી હતી.

Intro:-અંકલેશ્વરમાં ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે કરી ધરપકડ
-ગળું દબાવી હત્યા કર્યા બાદ પતિ થયો હતો ફરાર
Body:અંકલેશ્વરમાં ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Conclusion:મૂળ મધ્યપ્રદેશની અને હાલ રાજપીપળા રોડ પર આવેલ પદ્માવતી નગરના ભાડાના મકાનમાં રહેતી 27 વર્ષીય આશાદેવી દિલદાર સીંગ પોતાના ઘરે હતી તે દરમિયાન પતિ દિલદારસિંહ મોનુસિંહ સિકરવારે પત્ની પર ચારિત્ર્ય અંગેની શંકા રાખી તેણી સાથે ઝઘડો કરી આવેશમાં આવી જઈ કોઈક સાધન વડે કપાડના ભાગે મારી દેતા તેણીને ગંભીર ઇજાઓ પહોંચાડી તેણીનું ગળ દબાવી હત્યા કરી દીધી હતી હત્યાની ઘટના અંગે સ્થાનિકોએ અંકલેશ્વર જી.આઈ.ઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરુ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો જેના પગલે પોલીસે ફરાર પતિની શોધખોળ શરુ કરી હતી અને ગણતરીનાં સમયમાં જ આરોપીની ધરપકડ કરી હતી .પતિના અન્ય કોઈ વ્યક્તિ સાથે આડાસંબંધ હોવાની તેના પતિને શંકા હતી જે બાબતે બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ જ પત્નીની હત્યા કરી દીધી હતી
બાઈટ
ડી.પી.વાઘેલા-ડી.વાય.એસ.પી.ભરૂચ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.