મળતી વિગતો અનુસાર, ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી બારે મેઘ ખાંગા થયા છે. ત્રણ તાલુકામાંથી 1400 લોકોને રેસ્ક્યુ ઓપરેશન કરીને સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતરીત કરવામાં આવ્યા છે. હાંસોટ તાલુકામાં નેશનલ ડીઝાસ્ટર રેસ્ક્યુ ફોરની ટીમ પણ મદદે બોલાવવામાં આવી છે. 2 દિવસથી સતત વરસાદને કારણે પુર જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. ચારે તરફ માર્ગો બંધ થયા છે તો ગામો પણ બેટમાં ફેરવાઇ ગયા છે.
સૌથી વધુ અસર હાંસોટા તાલુકામાં થઇ છે. 8 ઇંચ વરસાદ પડતા નેશનલ ડિઝાસ્ટર રેસ્કયુ ઓપરેશન માટે ફોર્સની ટીમને હાંસોટા ખાતે તૈનાત કરવામાં આવી છે. સર્વત્ર વરસાદને કારણે જનજીવન પણ ઠપ થઇ ગયું છે. હાંસોટા તાલુકામાંથી 952, આમોદ માંથી 241 અને જાબુંસર તાલુકામાંથી 250 જેટલા લોકોનું સ્થળાંતરની પ્રક્રિયા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.