ETV Bharat / state

ભરૂચમાં પૂરની સ્થિતિ, 23 ગામના 4 હજાર લોકોનું સ્થળાંતર - ભરૂચમાં રાહતકાર્ય

ભરૂચઃ ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનાં પગલે અનેક ગામો બેટમાં ફેરવાયા છે. જેને લઇને 4 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીમાં પાણીની આવક વધી છે. જેથી અનેક ગામોમાં પાણી ઘુસી ગયા છે. નદીની સપાટી ૩૨ ફૂટે પહોંચી છે. હાલમાં ગોલ્ડનબ્રિજ નજીક નર્મદાની સપાટીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હાલ નર્મદા નદી 31.25 ફૂટ પર વહી રહી છે. જેનું જળસ્તર સતત ઘટી રહ્યું છે.

ભરૂચમાં પૂરની સ્થિતિ, 23 ગામના 4 હજાર લોકોનું સ્થળાંતર
author img

By

Published : Sep 12, 2019, 11:29 AM IST

નર્મદામાં પૂરની સ્થિતિ સર્જાતા અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ, ખાલાપિયા, સરફૂદ્દીન, જુના દીવા તો ઝઘડિયાના જુના જરસાડ, પોરા, તરસાલી અને ભરૂચના શુક્લતીર્થ સહિતના ગામોમાં નદીના પાણી ફરી વળ્યા હતાં. જેના કારણે ગામ લોકોની હાલત કફોડી બની છે. તંત્ર દ્વારા જિલ્લામાંથી 4 હજારથી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

ભરૂચમાં પૂરની સ્થિતિ, 23 ગામના 4 હજાર લોકોનું સ્થળાંતર

પૂરની સ્થિતિ અંગે ભરૂચના જિલ્લા કલેક્ટર એમ. ડી. મોડિયાએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે ભરૂચમાં પૂરની સ્થિતિ ઉભી થઈ હતી. જેથી પ્રભાવિત વિસ્તારના 23 ગામના 4 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

નર્મદામાં પૂરની સ્થિતિ સર્જાતા અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ, ખાલાપિયા, સરફૂદ્દીન, જુના દીવા તો ઝઘડિયાના જુના જરસાડ, પોરા, તરસાલી અને ભરૂચના શુક્લતીર્થ સહિતના ગામોમાં નદીના પાણી ફરી વળ્યા હતાં. જેના કારણે ગામ લોકોની હાલત કફોડી બની છે. તંત્ર દ્વારા જિલ્લામાંથી 4 હજારથી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

ભરૂચમાં પૂરની સ્થિતિ, 23 ગામના 4 હજાર લોકોનું સ્થળાંતર

પૂરની સ્થિતિ અંગે ભરૂચના જિલ્લા કલેક્ટર એમ. ડી. મોડિયાએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે ભરૂચમાં પૂરની સ્થિતિ ઉભી થઈ હતી. જેથી પ્રભાવિત વિસ્તારના 23 ગામના 4 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.