ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના આજે વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Jul 4, 2020, 8:01 PM IST

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના આજે વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચ જીલ્લામાં ભરૂચ તાલુકામાં 7, જંબુસરમાં 4, હાંસોટમાં 3, આમોદમાં 2 તેમજ અંકલેશ્વર અને વાલિયામાં કોરોના વાઇરસનો 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 294 પર પહોંચી છે.

ભરૂચ જિલ્લામાં કોરોના કહેર
ભરૂચ જિલ્લામાં કોરોના કહેર

ભરૂચ: જિલ્લામાં કોરોના વાઇરસના આજે વધુ 18 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 294 પર પહોંચી છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આજે પણ કોરોના વાઇરસના વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભરૂચ જીલ્લામાં ભરૂચ તાલુકામાં 7, જંબુસરમાં 4, હાંસોટમાં 3, આમોદમાં 2 તેમજ અંકલેશ્વર અને વાલિયામાં કોરોના વાઇરસનો 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એક કર્મચારીને પણ કોરોના પોઝિટિવ આવતા પાંચબત્તી વિસ્તારમાં આવેલી ડી.જી.વી.એસ.એલ.ની કચેરી 3 દિવસ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

ભરૂચ શહેરની વાત કરીએ તો લલ્લુભાઈ ચકલા,અયોધ્યાનગર,મોટા ડભોઇયાવાડ,મહમદપુરા અને ઝાડેશ્વર વિસ્તારમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ તરફ જિલ્લામાં આજે કોરોનાગ્રસ્ત 7 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 294 પર પહોંચી છે, જે પૈકી 13 દર્દીના મોત નીપજ્યા છે, તો અત્યાર સુધી 149 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં કોરોના વાઇરસના 132 દર્દી સારવાર હેઠળ છે.

ભરૂચ: જિલ્લામાં કોરોના વાઇરસના આજે વધુ 18 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 294 પર પહોંચી છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આજે પણ કોરોના વાઇરસના વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભરૂચ જીલ્લામાં ભરૂચ તાલુકામાં 7, જંબુસરમાં 4, હાંસોટમાં 3, આમોદમાં 2 તેમજ અંકલેશ્વર અને વાલિયામાં કોરોના વાઇરસનો 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એક કર્મચારીને પણ કોરોના પોઝિટિવ આવતા પાંચબત્તી વિસ્તારમાં આવેલી ડી.જી.વી.એસ.એલ.ની કચેરી 3 દિવસ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

ભરૂચ શહેરની વાત કરીએ તો લલ્લુભાઈ ચકલા,અયોધ્યાનગર,મોટા ડભોઇયાવાડ,મહમદપુરા અને ઝાડેશ્વર વિસ્તારમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ તરફ જિલ્લામાં આજે કોરોનાગ્રસ્ત 7 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 294 પર પહોંચી છે, જે પૈકી 13 દર્દીના મોત નીપજ્યા છે, તો અત્યાર સુધી 149 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં કોરોના વાઇરસના 132 દર્દી સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.