- કોરોનાનો કહેર યથાવત
- અંબાજી મંદિર પરિષર બન્યુ સુમસામ
- અંબાજી મંદિર બંધ કરવામાં આવ્યું
- અંબાજીમાં યાત્રિકોની અવર જવર પણ બંધ થઈ ગઇ
બનાસકાંઠાઃ રાજ્યમાં વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અંબાજી મંદિરને ચૈત્ર નવરાત્રીથી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિરના પ્રવેશ દ્વારો પણ બંધ કરવામાં આવ્યા છે. એટલુ જ નહી અંબાજી શહેરમાં મહત્તમ વેપાર, ધંધા યાત્રિકો ઉપર ચાલે છે. પણ અંબાજી મંદિર બંધ થતાં અંબાજીમાં યાત્રિકોની અવર જવર પણ બંધ થઈ ગઇ છે. અંબાજીના બજારમાં પણ સન્નાટો છવાઈ ગયો છે. ક્યાંક બજારોમાં એકલ દોકલ લોકો ફરતા નજરે પડે છે. સ્થાનિક વેપારને લઈ કેટલીક દુકાનો ખુલ્લી છે, જ્યારે જે વેપાર યાત્રિકોથી ચાલે છે તેવી અનેક દુકાનો સ્વૈચ્છિક બંધ જોવા મળી રહી છે. હાલ અંબાજીમાં યાત્રિકો ન આવતા હોટલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળા અને રેસ્ટોરન્ટના ધંધા પડી ભાંગ્યા છે
આ પણ વાંચોઃ રાજ્ય સરકાર આવી એક્શન મોડમાં, ગુજરાતમાં પ્રવેશતાની સાથે RTPCRનો નેગેટિવ રિપોર્ટ બતાવો પડશે
દુકાનો 30 એપ્રિલ સુધી રહેશે બંધ
મંદિર પરિષરમાં પણ પ્રસાદ પૂજાપા સહિતની અનેક દુકાનો બંધ જોવા મળી રહી છે અને આ દુકાનો મંદિર બંધ રહે ત્યાં સુધી 30 એપ્રિલ સુધી બંધ રહેવાની છે. જો અંબાજી મંદિર વધુ સમય બંધ રહે તો વેપારીઓની હાલત વધુ બગડી શકે છે. હાલમાં અંબાજી મંદિર ટ્રસ્ટના શોપિંગ સેન્ટરમાં જે દુકાનો આવેલી છે તે ઉપરાંત અન્ય જે ભાડાથી ચાલતી દુકાનો છે તેમના ભાડામાં રાહત અપાય તેવી માગ વેપારીઓ કરી રહ્યા છે. હોટલ, ગેસ્ટહાઉસવાળા વેપારીઓ પણ સરકાર તરફથી લેવાતા ટેક્સ સહિત વીજ બીલોમાં પણ રાહત આપે તેવી માંગ ઉઠી છે. અંબાજી મંદિર ટ્રસ્ટના શોપિંગ સેન્ટરમાં જે દુકાનો આવેલી છે તેમના ભાડામાં રાહત અપાય તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચોઃ અંબાજી મંદિરના સ્ટાફમાં માટે મંદિરમાં જ રસીકરણનો કાર્યક્રમ યોજાયો