ETV Bharat / state

બનાસકાંઠામાં તીડનો આતંક, ખેડૂતોના પાકને થઇ શકે છે નુકસાન

author img

By

Published : Jul 7, 2019, 9:47 AM IST

બનાસકાંઠાઃ જિલ્લાના રણકાંઠામાં તીડનું આક્રમણ થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. સરહદી પંથક વાવ અને સુઈગામના 6 ગામોમાં તીડના આક્રમણથી તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવી દવાનો છંટકાવ કરવા લાગ્યું છે. 26 વર્ષ બાદ બનાસકાંઠામાં તીડનું આક્રમણ જોવા મળતા તંત્ર એ નિયંત્રણ માટે પ્રયાસો હાથ ધર્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં તીડ નો આતંક

છેલ્લા કેટલાક દિવસથી ભારત પાકિસ્તાન સરહદ પરના ખારા રણના જેસલમેરથી બનાસકાંઠા સુધીના અફાટ રણ વચ્ચે પાકિસ્તાનથી આવેલા તીડના આક્રમણની દહેશત સેવાઈ રહી છે. થોડા દિવસ અગાઉ જેસલમેર નજીકના 90થી વધુ ગામોમાં તીડની અસર જોવા મળતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ત્યારબાદ અઠવાડિયા પહેલા વાવ તાલુકાના લોદ્રાણી અને અસારા ગામના રણવિસ્તારમાં છુટા છવાયા તીડ જોવા મળ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં તીડ નો આતંક

ત્યાર બાદ હવે સુઈગામના સમલી, મેઘપુરા અને બુકણામાં તીડ આવતા ખેતીવાડી વિભાગ દ્વારા લોકેશન મેળવી લેવાયાં બાદ તીડ નિયંત્રણ વિભાગ દ્વારા જંતુનાશક દવાની છંટકાવ કામગીરી શરૂ કરી નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તીડના પ્રવેશથી ખેતીવાડી વિભાગે રણકાંઠાના ખેડૂતોને સાબદા કર્યા છે અને જ્યાં પણ તીડ જેવી જીવાત દેખાય તો તરત ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું છે. રણકાંઠાના ગામોમાં જ્યાં પણ તીડ જેવી જીવાત દેખાય કે તરત તલાટી, સરપંચ, મામલતદાર, ગ્રામસેવક કે ખેતીવાડી વિભાગને જાણ કરવા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે.

બીજી બાજુ જો વરસાદ થાય તો તીડ નાશ પામે છે. બનાસકાંઠા માં સરહદી વિસ્તારો દુષ્કાળગ્રસ્ત હોવાથી આ વિસ્તારમાં સામાન્ય વાવેતર થયું છે. જેથી તીડના સંભવિત આક્રમણથી ખેડૂતોને કોઈ નુકસાન હાલમાં નથી. પરંતુ તીડ નિયંત્રણ વિભાગ દ્વારા 2 ટીમ બનાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કરી ખેડૂતોને કોઈ નુકસાન ન થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે.

1993માં તીડ આવ્યા ત્યારે ખૂબ નુકસાન થયું હતું. હવે વર્ષો પછી ફરી બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ અને સુઈગામ વિસ્તાર ના 6 ગામોના 5 કિલોમીટરના વિસ્તારમાં તીડની અસર જોવા મળી છે. જેથી તીડ નિયંત્રણ વિભાગે હાલમાં દવાનો છંટકાવ કરી નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે જિલ્લા કલેક્ટરે પણ વાવેતર થયું ના હોવાથી કોઈ જ નુકસાન ન થયું હોવાનું જણાવ્યું હતું.





...

છેલ્લા કેટલાક દિવસથી ભારત પાકિસ્તાન સરહદ પરના ખારા રણના જેસલમેરથી બનાસકાંઠા સુધીના અફાટ રણ વચ્ચે પાકિસ્તાનથી આવેલા તીડના આક્રમણની દહેશત સેવાઈ રહી છે. થોડા દિવસ અગાઉ જેસલમેર નજીકના 90થી વધુ ગામોમાં તીડની અસર જોવા મળતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ત્યારબાદ અઠવાડિયા પહેલા વાવ તાલુકાના લોદ્રાણી અને અસારા ગામના રણવિસ્તારમાં છુટા છવાયા તીડ જોવા મળ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં તીડ નો આતંક

ત્યાર બાદ હવે સુઈગામના સમલી, મેઘપુરા અને બુકણામાં તીડ આવતા ખેતીવાડી વિભાગ દ્વારા લોકેશન મેળવી લેવાયાં બાદ તીડ નિયંત્રણ વિભાગ દ્વારા જંતુનાશક દવાની છંટકાવ કામગીરી શરૂ કરી નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તીડના પ્રવેશથી ખેતીવાડી વિભાગે રણકાંઠાના ખેડૂતોને સાબદા કર્યા છે અને જ્યાં પણ તીડ જેવી જીવાત દેખાય તો તરત ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું છે. રણકાંઠાના ગામોમાં જ્યાં પણ તીડ જેવી જીવાત દેખાય કે તરત તલાટી, સરપંચ, મામલતદાર, ગ્રામસેવક કે ખેતીવાડી વિભાગને જાણ કરવા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે.

બીજી બાજુ જો વરસાદ થાય તો તીડ નાશ પામે છે. બનાસકાંઠા માં સરહદી વિસ્તારો દુષ્કાળગ્રસ્ત હોવાથી આ વિસ્તારમાં સામાન્ય વાવેતર થયું છે. જેથી તીડના સંભવિત આક્રમણથી ખેડૂતોને કોઈ નુકસાન હાલમાં નથી. પરંતુ તીડ નિયંત્રણ વિભાગ દ્વારા 2 ટીમ બનાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કરી ખેડૂતોને કોઈ નુકસાન ન થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે.

1993માં તીડ આવ્યા ત્યારે ખૂબ નુકસાન થયું હતું. હવે વર્ષો પછી ફરી બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ અને સુઈગામ વિસ્તાર ના 6 ગામોના 5 કિલોમીટરના વિસ્તારમાં તીડની અસર જોવા મળી છે. જેથી તીડ નિયંત્રણ વિભાગે હાલમાં દવાનો છંટકાવ કરી નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે જિલ્લા કલેક્ટરે પણ વાવેતર થયું ના હોવાથી કોઈ જ નુકસાન ન થયું હોવાનું જણાવ્યું હતું.





...

Intro:લોકેશન... વાવ. બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા. 06 07 2019

સ્લગ.........તીડ નો આતંક

એન્કર.......બનાસકાંઠા ના રણકાંઠામાં તીડનું આક્રમણ થતાં ખેડૂતો માં ફફડાટ ફેલાયો છે.સરહદી પંથક વાવ અને સુઈગામ ના 6 ગામોમાં તીડના આક્રમણ થી તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવી દવાનો છંટકાવ કરવા લાગ્યું છે.26 વર્ષ બાદ બનાસકાંઠામાં તીડનું આક્રમણ જોવા મળતા તંત્ર એ નિયંત્રણ માટે પ્રયાસો હાથ ધર્યો છે ......

Body:વી ઓ ......છેલ્લા કેટલાક દિવસથી ભારત પાકિસ્તાન સરહદ પરના ખારા રણના જેસલમેરથી બનાસકાંઠા સુધીના અફાટ રણ વચ્ચે પાકિસ્તાનથી આવેલા તીડના આક્રમણની દહેશત સેવાઈ છે. થોડા દિવસ અગાઉ જેસલમેર નજીકના 90 થી વધુ ગામોમાં તીડની અસર જોવા મળતા ત્યાં તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ત્યારબાદ અઠવાડિયા અગાઉ વાવ તાલુકાના લોદ્રાણી અને અસારા ગામના રણવિસ્તારમાં છુટા છવાયા તીડ જોવા મળ્યા બાદ હવે સુઈગામ ના સમલી , મેઘપુરા અને બુકણા માં તીડ આવતા ખેતીવાડી વિભાગ દ્વારા લોકેશન મેળવી લેવાયાં બાદ તીડ નિયંત્રણ વિભાગ દ્વારા જંતુનાશક દવાની છંટકાવ કામગીરી શરૂ કરી નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તીડના પ્રવેશથી ખેતીવાડી વિભાગે રણકાંઠાના ખેડૂતોને સાબદા કર્યા છે અને જ્યાં પણ તીડ જેવી જીવાત દેખાય તો તરત ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું છે. રણકાંઠાના ગામોમાં જ્યાં પણ તીડ જેવી જીવાત દેખાય કે તરત તલાટી, સરપંચ, મામલતદાર, ગ્રામસેવક કે ખેતીવાડી વિભાગને જાણ કરવા ખેડૂતોને સૂચના અપાઈ છે.બીજી બાજુ જો વરસાદ થાય તો તીડ નાશ પામે છે. બનાસકાંઠા માં સરહદી વિસ્તારો દુષ્કાળગ્રસ્ત હોવાથી આ વિસ્તારમાં સામાન્ય વાવેતર થયું છે જેથી તીડના સંભવિત આક્રમણથી ખેડૂતોને કોઈ નુકસાન હાલમાં નથી પરંતુ તીડ નિયંત્રણ વિભાગ દ્વારા 2 ટીમ બનાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કરી ખેડૂતો ને કોઈ નુકશાન ના થાય બચાવવા પ્રયાસો હાથ ધર્યા છે .....

બાઈટ.......રાણાજી, સ્થાનિક ખેડૂત

( અમારા વિસ્તારમાં તીડ આવ્યા છે, નુકશાન થવાનો ડર છે )

બાઈટ......હાજાજી, સ્થાનિક ખેડૂત

( અમારા ખેતરમાં મગ વાવ્યા હતા ,તેમાં નુકશાન થયું છે સરકાર જલ્દી પગલાં લે તો સારુ, નહિતર વધુ નુકશાન થશે )

વી ઓ .....1993માં તીડ આવ્યા ત્યારે ખૂબ નુકસાન થયું હતું. હવે વર્ષો પછી ફરી બનાસકાંઠા ના સરહદી વિસ્તાર વાવ અને સુઈગામ વિસ્તાર ના 6 ગામોના 5 કિલોમીટર ના વિસ્તાર માં તીડ ની અસર જોવા મળી છે.જેથી તીડ નિયંત્રણ વિભાગે હાલમાં દવા નો છંટકાવ કરી નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો છે , જ્યારે જિલ્લા કલેક્ટરે પણ વાવેતર થયું ના હોવાથી કોઈજ નુકશાન ના થયું હોવાનું જણાવ્યું હતું.......

બાઈટ.......કે એલ મીણા, અધિકારી, તીડ નિયંત્રણ વિભાગ , બનાસકાંઠા

( વાવ અને સુઇગામ તાલુકાના 6 ગ્રામીણ વિસ્તારોમાં તીડ જોવા મળ્યા જેન પર નિયંત્રણ કરી દીધું છે )

બાઈટ......સંદીપ સાગલે, કલેક્ટર, બનાસકાંઠા

( બનાસકાંઠા માં તીડ પર નિયંત્રણ મેળવી લીધો છે , ખેડૂતો ને કોઈ નુકશાન નથી, લોકોએ ગભરાવવાની જરૂર નથી )

Conclusion:વી ઓ .......હાલમાં આ બનાસકાંઠાના સરહદી વિસ્તાર દુષ્કાળગ્રસ્ત હોવાના કારણે વાવેતર થયું હતું અને તેના કારણે જ તીડનો આક્રમણ હોવા છતાં પણ આ વિસ્તારના ખેડૂતો તેના નુકસાનથી બચી શક્યા છે પરંતુ જો તીડ નું જુન્ડ અન્ય કોઈ વિસ્તારમાં આક્રમણ કરશે તો ખેડૂતોને ચોક્કસ નુકસાન થઈ શકે છે .......

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.