ETV Bharat / state

ડીસામાં દાંતીવાડા કેનાલ પર વર્ષો જૂના દબાણ હટાવાયા - Banaskantha News

ડીસાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની નહેરો પરનું દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાયા બાદ 30 વર્ષથી બંધ નહેરો પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

bandskatha
ડીસા શહેરમાં દાંતીવાડા કેનાલ પર વર્ષો જુના દબાણ હટાવાયા
author img

By

Published : Mar 19, 2020, 6:20 PM IST

Updated : Mar 19, 2020, 8:26 PM IST

બનાસકાંઠાઃ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી નહેરો બનાવી ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે પરંતુ ડીસા આસપાસ અને રાજપુર સુધી નાની નહેરો બનાવવામાં આવી હતી પંરતુ છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારમાં કૂવાઓ બની જવાને કારણે નહેરમાંથી પાણી લેવામાં આવતું ન હતું.

ડીસા શહેરમાં દાંતીવાડા કેનાલ પર વર્ષો જૂના દબાણ હટાવાયા

જેથી નહેર વિભાગ દ્વારા 30 વર્ષથી આ નહેરોમાં પાણી ન આપતા નહેરો પર ખેડૂતોએ દબાણ કરી દીધા હતા. જે દબાણોને લઈને ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ સંકલન સમિતિ અને બાદમાં ગાંધીનગર આ મુદ્દો ઉઠાવી દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી.

જેથી સરકારે તત્કાળ દબાણો દૂર કરવા સિંચાઈ વિભાગને આદેશ આપ્યા હતા અને બે માસ અગાઉ ખેડૂતોને નોટિસ આપી દબાણો દૂર કરવા તમેજ ડીસા શહેર વિસ્તારમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા. તેમ છતાં ખેડૂતોએ દબાણો દૂર નહીં કરતા સિંચાઈ વિભાગે 30 વર્ષ બાદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં સિંચાઈ ભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રાખી ગેરકાયદે દબાણો જે સી.બી. મશીન દ્વારા દૂર કર્યા હતા.

બનાસકાંઠાઃ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી નહેરો બનાવી ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે પરંતુ ડીસા આસપાસ અને રાજપુર સુધી નાની નહેરો બનાવવામાં આવી હતી પંરતુ છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારમાં કૂવાઓ બની જવાને કારણે નહેરમાંથી પાણી લેવામાં આવતું ન હતું.

ડીસા શહેરમાં દાંતીવાડા કેનાલ પર વર્ષો જૂના દબાણ હટાવાયા

જેથી નહેર વિભાગ દ્વારા 30 વર્ષથી આ નહેરોમાં પાણી ન આપતા નહેરો પર ખેડૂતોએ દબાણ કરી દીધા હતા. જે દબાણોને લઈને ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ સંકલન સમિતિ અને બાદમાં ગાંધીનગર આ મુદ્દો ઉઠાવી દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી.

જેથી સરકારે તત્કાળ દબાણો દૂર કરવા સિંચાઈ વિભાગને આદેશ આપ્યા હતા અને બે માસ અગાઉ ખેડૂતોને નોટિસ આપી દબાણો દૂર કરવા તમેજ ડીસા શહેર વિસ્તારમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા. તેમ છતાં ખેડૂતોએ દબાણો દૂર નહીં કરતા સિંચાઈ વિભાગે 30 વર્ષ બાદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં સિંચાઈ ભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રાખી ગેરકાયદે દબાણો જે સી.બી. મશીન દ્વારા દૂર કર્યા હતા.

Last Updated : Mar 19, 2020, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.