બનાસકાંઠાઃ કોરોના મહામારીના કારણે સરકારી ધાર્મિક મેળાવડાઓ તેમજ સામાજિક પ્રસંગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. વધારે વ્યક્તિઓ એકઠા થઈ પ્રસંગોની ઉજવણી ન કરી શકે. જેને પગલે બનાસકાંઠા જિલ્લામાં સામાજિક અને ધાર્મિક પ્રસંગો બંધ થતાં લાઈટ મંડળ તેમજ સાઉન્ડ સાથે જોડાયેલા લોકો બેકાર બન્યા છે.
![લાઈટ અને ડેકોરેશનના વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારોએ કલેકટરને આપ્યું આવેદનપત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-01-aavedanpatr-gj10014_18092020175916_1809f_1600432156_614.jpg)
મહત્વની બાબત એ છે કે આ વ્યવસાય સાથે 10 હજારથી વધુ મજૂરો જોડાયેલા છે. તેમના જીવનનિર્વાહનો ખર્ચ આ વ્યવસાયમાંથી નીકળે છે. જેના કારણે હવે મજૂરોને કઈ રીતે નિભાવવા તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.
![લાઈટ અને ડેકોરેશનના વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારોએ કલેકટરને આપ્યું આવેદનપત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-01-aavedanpatr-gj10014_18092020175916_1809f_1600432156_646.jpg)
સરકાર પોતાના કાર્યક્રમમાં તો કરે છે, પરંતુ લોકોને ઉજવણી કરતા અટકાવે છે. ત્યારે મંડપ લાઈટ તેમજ સાઉન્ડ એસોસિએશનના લોકોએ સરકાર પાસે 50થી વધારે 500 વ્યક્તિને સામાજિક ધાર્મિક પ્રસંગે એકઠા થવાની મંજૂરી માટે માગ કરી.