ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાનું આંદોલન બન્યું ઉગ્ર, તમામ ગૌશાળામાંથી ગાયો છોડાઈ

ગૌશાળા સંચાલકોની માગણી સામે ધ્યાન નહીં અપાતાં વીફરેલાં ગૌશાળા સંચાલકો દ્વારા તેમના આંદોલનને ઉગ્ર બનાવવાનો નિર્ણય લેવાયો હતો. બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓમાં મોટાપાયે પશુધન છે જેને ગાયદીઠ રુપિયા 25ની માગણી કરવામાં આવી છે. કારણ કે ગાયોને નભાવવી મુશ્કેલ બની છે તેવી સંચાલકોએ રજૂઆતો કરી હતી. જોકે નિર્ણય નહીં લેવાતાં આજે ગૌશાળા સંચાલકોએ ગૌશાળામાંથી ગાયોને છૂટી મૂકી દીધી હતી. જેને લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે.

author img

By

Published : Sep 8, 2020, 2:03 PM IST

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાનું આંદોલન બન્યું ઉગ્ર, તમામ ગૌશાળામાંથી ગાયો છોડાઈ
બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાનું આંદોલન બન્યું ઉગ્ર, તમામ ગૌશાળામાંથી ગાયો છોડાઈ

ડીસાઃ છેલ્લાં ઘણાં સમયથી સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની સહાય ન ચૂકવવામાં આવતાં આજે બનાસકાંઠા જિલ્લામાં ગાયોના પાલકોનું આંદોલન ઉગ્ર બન્યું હતું અને તમામે તમામ ગૌશાળાઓમાંથી પશુધન છોડી મૂકવામાં આવ્યું હતું.બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં પશુધન રોડ પર આવી જતાં ચક્કાજામના દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં તો બીજી તરફ કેટલીક જગ્યાએ ગૌશાળાા સંચાલકો ગાયોને રોડ પર લાવી ચક્કાજામ કરી અને સરકારનો વિરોધ દર્શાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાનું આંદોલન બન્યું ઉગ્ર, તમામ ગૌશાળામાંથી ગાયો છોડાઈ
બનાસકાંઠા જિલ્લામાં રાજ્યની સૌથી વધુ 154 જેટલી ગૌશાળાઓ આવેલી છે અને આ ગૌશાળામાં 70 હજારથી પણ વધુ પશુ નિર્વાહ કરે છે. છેલ્લાં ઘણાં સમયથી સંચાલકોની હાલત કફોડી બનતાં ગાયોના નિર્વાહ માટે સરકાર પાસે સહાયની માગણી કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ગૌશાળાના સંચાલકોની માગણી ન સંતોષતાં તેઓએ આંદોલન શરૂ કર્યું હતું. ગઈકાલે જિલ્લા કલેકટર કચેરી આગળ ધરણા કર્યા બાદ સરકાર દ્વારા કોઈ જવાબ ન મળતાં આજે આખરે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના ગૌશાળા સંચાલકોએ પોતાની ગૌશાળામાં પશુધન રોડ પર છોડી મૂક્યું હતું.

ત્યારે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી ગૌશાળા ડીસા તાલુકાના કાંટ ગામે આવેલી છે ત્યાં પણ 8 હજારથી પણ વધુ પશુધન નિર્વાહ કરે છે. ત્યારે આજે સરકાર દ્વારા માગણી ન સંતોષાતાં આખરે કંટાળેલા કાટ પાંજરાપોળના સંચાલકોએ પોતાના પશુધન છોડવાની તૈયારીઓ કરી દીધી છે. પરંતુ પાંજરાપોળ આગળ સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેના કારણે હાલમાં તમામ જે પશુઓ છે તે ગૌશાળાના દરવાજા પાસે ખડકી દેવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ આગામી સમયમાં સરકાર જો તેમની માગણી નહીં સંતોષે તો આંદોલન ઉગ્ર બની શકે તેમ છે.

ડીસાઃ છેલ્લાં ઘણાં સમયથી સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની સહાય ન ચૂકવવામાં આવતાં આજે બનાસકાંઠા જિલ્લામાં ગાયોના પાલકોનું આંદોલન ઉગ્ર બન્યું હતું અને તમામે તમામ ગૌશાળાઓમાંથી પશુધન છોડી મૂકવામાં આવ્યું હતું.બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં પશુધન રોડ પર આવી જતાં ચક્કાજામના દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં તો બીજી તરફ કેટલીક જગ્યાએ ગૌશાળાા સંચાલકો ગાયોને રોડ પર લાવી ચક્કાજામ કરી અને સરકારનો વિરોધ દર્શાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાનું આંદોલન બન્યું ઉગ્ર, તમામ ગૌશાળામાંથી ગાયો છોડાઈ
બનાસકાંઠા જિલ્લામાં રાજ્યની સૌથી વધુ 154 જેટલી ગૌશાળાઓ આવેલી છે અને આ ગૌશાળામાં 70 હજારથી પણ વધુ પશુ નિર્વાહ કરે છે. છેલ્લાં ઘણાં સમયથી સંચાલકોની હાલત કફોડી બનતાં ગાયોના નિર્વાહ માટે સરકાર પાસે સહાયની માગણી કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ગૌશાળાના સંચાલકોની માગણી ન સંતોષતાં તેઓએ આંદોલન શરૂ કર્યું હતું. ગઈકાલે જિલ્લા કલેકટર કચેરી આગળ ધરણા કર્યા બાદ સરકાર દ્વારા કોઈ જવાબ ન મળતાં આજે આખરે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના ગૌશાળા સંચાલકોએ પોતાની ગૌશાળામાં પશુધન રોડ પર છોડી મૂક્યું હતું.

ત્યારે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી ગૌશાળા ડીસા તાલુકાના કાંટ ગામે આવેલી છે ત્યાં પણ 8 હજારથી પણ વધુ પશુધન નિર્વાહ કરે છે. ત્યારે આજે સરકાર દ્વારા માગણી ન સંતોષાતાં આખરે કંટાળેલા કાટ પાંજરાપોળના સંચાલકોએ પોતાના પશુધન છોડવાની તૈયારીઓ કરી દીધી છે. પરંતુ પાંજરાપોળ આગળ સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેના કારણે હાલમાં તમામ જે પશુઓ છે તે ગૌશાળાના દરવાજા પાસે ખડકી દેવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ આગામી સમયમાં સરકાર જો તેમની માગણી નહીં સંતોષે તો આંદોલન ઉગ્ર બની શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.