ETV Bharat / state

ચૈત્રી નવરાત્રિ પ્રારંભઃ અંબાજી મંદિરમાં ઘટસ્થાપન અને વિશેષ પૂજા થઈ, જૂઓ વીડિયો

ચૈત્રી નવરાત્રિનો આજે 25 માર્ચે પ્રારંભ થયો છે, પરંતુ કોરોના કન્ડિશનને પગલે અંબાજી મંદિર 31 માર્ચ સુધી બંધ હતું. હવે 24 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનો લૉક ડાઉન આપ્યો છે. આથી, હવે અંબાજી મંદિર 14 એપ્રિલ સુધી દર્શન માટે બંધ રહેશે. તેવો નિર્ણય અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે લીધો છે.

author img

By

Published : Mar 25, 2020, 4:10 PM IST

Updated : Mar 25, 2020, 4:25 PM IST

celebration-and-special-worship-at-ambaji-temple-during-chaitri-navratri-watch-video
ચૈત્રી નવરાત્રિ પ્રારંભઃ અંબાજી મંદિરમાં ઘટસ્થાપન અને વિશેષ પૂજા થઈ, જૂઓ વિડિયો

અંબાજીઃ ચૈત્રી નવરાત્રિનો આજે 25 માર્ચેને બુધવારથી પ્રારંભ થયો છે. કોરોના વાયરસની દહેશતને પગલે અંબાજી મંદિર 31 માર્ચ સુધી બંધ હતું. પણ 24 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનો લૉક ડાઉન આપ્યો છે. આથી, હવે અંબાજી મંદિર 14 એપ્રિલ સુધી દર્શન માટે બંધ રહેશે. તેવો નિર્ણય અંબાજી દેવસ્થાનના ટ્રસ્ટે લીધો છે.

ચૈત્રી નવરાત્રિ પ્રારંભઃ અંબાજી મંદિરમાં ઘટસ્થાપન અને વિશેષ પૂજા કરાઈ

અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે શક્તિપીઠ એવા મોટા અંબાજીમાં આજે સવારે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા ઘટનું સ્થાપન કરાયું હતું. તેમ જ કોરોના વાઇરસના લૉક ડાઉનને કારણે મંદિરમાં માતાજીની પૂજા પણ પૂજારીઓ દ્વારા કરાઈ હતી. જો કે મંદિરમાં યાત્રિકો વગર પૂજા થઈ હતી. જો કે તેનું વેબસાઈટ પર લાઈવ પ્રસારણ કરાયું હતું. મંદિરમાં એકલદોકલ માઈ ભક્તો હતાં, પણ તેમણે પણ એક મીટર દૂર ઉભા રહીને લૉક ડાઉનના જાહેરનામાનું પાલન કર્યું હતું.

ચૈત્રી નવરાત્રિના નવ દિવસ સુધી માતાજીના દર્શન અને આરતીનું યુ ટ્યુબ, ફેસબૂક, ટ્વીટર સહિત મંદિરની વેસબાઈટ પર જીવંત પ્રસારણ કરાશે.
ફેસબૂક પર ambajitempleofficial
ટ્વીટર પર Twiter@TempleAmbaji
યુ ટ્યુબ પર Ambajitempleofficial
વેબસાઈટ http://www.ambajitemple.in/

ઉપરોક્ત સોશિયલ મીડિયા પર આપ મા અંબાના દર્શન અને આરતી લાઈવ નિહાળી શકો છો. ETV BHARATની ટીમ વતી આપને જય અંબે...

અંબાજીઃ ચૈત્રી નવરાત્રિનો આજે 25 માર્ચેને બુધવારથી પ્રારંભ થયો છે. કોરોના વાયરસની દહેશતને પગલે અંબાજી મંદિર 31 માર્ચ સુધી બંધ હતું. પણ 24 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનો લૉક ડાઉન આપ્યો છે. આથી, હવે અંબાજી મંદિર 14 એપ્રિલ સુધી દર્શન માટે બંધ રહેશે. તેવો નિર્ણય અંબાજી દેવસ્થાનના ટ્રસ્ટે લીધો છે.

ચૈત્રી નવરાત્રિ પ્રારંભઃ અંબાજી મંદિરમાં ઘટસ્થાપન અને વિશેષ પૂજા કરાઈ

અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે શક્તિપીઠ એવા મોટા અંબાજીમાં આજે સવારે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા ઘટનું સ્થાપન કરાયું હતું. તેમ જ કોરોના વાઇરસના લૉક ડાઉનને કારણે મંદિરમાં માતાજીની પૂજા પણ પૂજારીઓ દ્વારા કરાઈ હતી. જો કે મંદિરમાં યાત્રિકો વગર પૂજા થઈ હતી. જો કે તેનું વેબસાઈટ પર લાઈવ પ્રસારણ કરાયું હતું. મંદિરમાં એકલદોકલ માઈ ભક્તો હતાં, પણ તેમણે પણ એક મીટર દૂર ઉભા રહીને લૉક ડાઉનના જાહેરનામાનું પાલન કર્યું હતું.

ચૈત્રી નવરાત્રિના નવ દિવસ સુધી માતાજીના દર્શન અને આરતીનું યુ ટ્યુબ, ફેસબૂક, ટ્વીટર સહિત મંદિરની વેસબાઈટ પર જીવંત પ્રસારણ કરાશે.
ફેસબૂક પર ambajitempleofficial
ટ્વીટર પર Twiter@TempleAmbaji
યુ ટ્યુબ પર Ambajitempleofficial
વેબસાઈટ http://www.ambajitemple.in/

ઉપરોક્ત સોશિયલ મીડિયા પર આપ મા અંબાના દર્શન અને આરતી લાઈવ નિહાળી શકો છો. ETV BHARATની ટીમ વતી આપને જય અંબે...

Last Updated : Mar 25, 2020, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.