ETV Bharat / state

ધાનેરામાં પશુદાણ ખાધા બાદ 10 પશુઓના  મોત

author img

By

Published : Jun 25, 2020, 7:57 PM IST

કોરોના વાઈરસની મહામારી વચ્ચે બનાસકાંઠાના મરવાડા ગામે અચાનક 10 પશુઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. પશુ દાણ આરોગ્યા બાદ અચાનક એક પછી એક 10 પશુના મોત થતાં પશુપાલક પર આભ ફાટી પડ્યું છે.

ધાનેરામાં પશુદાણ ખાધા બાદ 10 પશુઓના થયા મોત
ધાનેરામાં પશુદાણ ખાધા બાદ 10 પશુઓના થયા મોત

બનાસકાંઠાઃ જિલ્લાના ધાનેરા તાલુકાના મગરવા ગામે દાણ ખાધા બાદ 10 પશુઓના અચાનક મોત થયા છે. જેના કારણે પશુપાલકને અંદાજે 3 લાખનું નુકસાન થયું છે.

ધાનેરામાં પશુદાણ ખાધા બાદ 10 પશુઓના થયા મોત

મળતી માહિતી પ્રમાણે. પ્રકાશભાઈ નામના પશુપાલકે ઢાળીયામાં રાખેલા 10 પશુઓને દાણ આપ્યું હતું. ત્યારબાદ પશુઓને આફરો ચઢતાં એક પછી એક 10 પશુઓના મોત ભેટ્યાં હતા.

બનાવની જાણ થતાં જ બનાસડેરીના વેટનરી તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો 10 પશુઓના કમકમાટીભર્યા મોત થયા હતા. તબીબોએ પ્રાથમિક તપાસમાં ગરમીના કારણે ફૂડ પોઇઝનિંગથી મોત થયું હોવાનું અનુમાન છે, ત્યારે પશુપાલન પર નિર્ભર અને પરિવારનું ગુજરાન ચલાવતા પ્રકાશભાઈના 10 પશુઓના મોતથી આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

બનાસકાંઠાઃ જિલ્લાના ધાનેરા તાલુકાના મગરવા ગામે દાણ ખાધા બાદ 10 પશુઓના અચાનક મોત થયા છે. જેના કારણે પશુપાલકને અંદાજે 3 લાખનું નુકસાન થયું છે.

ધાનેરામાં પશુદાણ ખાધા બાદ 10 પશુઓના થયા મોત

મળતી માહિતી પ્રમાણે. પ્રકાશભાઈ નામના પશુપાલકે ઢાળીયામાં રાખેલા 10 પશુઓને દાણ આપ્યું હતું. ત્યારબાદ પશુઓને આફરો ચઢતાં એક પછી એક 10 પશુઓના મોત ભેટ્યાં હતા.

બનાવની જાણ થતાં જ બનાસડેરીના વેટનરી તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો 10 પશુઓના કમકમાટીભર્યા મોત થયા હતા. તબીબોએ પ્રાથમિક તપાસમાં ગરમીના કારણે ફૂડ પોઇઝનિંગથી મોત થયું હોવાનું અનુમાન છે, ત્યારે પશુપાલન પર નિર્ભર અને પરિવારનું ગુજરાન ચલાવતા પ્રકાશભાઈના 10 પશુઓના મોતથી આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.