ETV Bharat / state

અરવલ્લીના 340 ગામોમાં ઉકાળાનું વિતરણ, 35 હજારથી વધુ લોકોએ લાભ લીધો

author img

By

Published : May 17, 2020, 8:46 PM IST

સમગ્ર દેશમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઔષધીય ઇલાજ પર વધુ ભાર આપવામાં આવી રહ્યા છે. જેથી આરવલ્લીમાં પણ આયુર્વેદિક ઉકાળા વિતરણ કામગીરી કરવમાં આવી છે.

અરવલ્લીના 340 ગામોમાં ઉકાળાનું વિતરણ, 35 હજારથી વધુ લોકોએ લાભ લીધો
અરવલ્લીના 340 ગામોમાં ઉકાળાનું વિતરણ, 35 હજારથી વધુ લોકોએ લાભ લીધો

અરવલ્લીઃ સમગ્ર દેશમાં કોરોનાનો વ્યાપ વધતો જઇ રહ્યો છે. કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઔષધીય ઇલાજ પર વધુ ભાર આપવામાં આવી રહ્યા છે. જેને લઇ અરવલ્લી જિલ્લામાં પણ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

અરવલ્લીના 340 ગામોમાં ઉકાળા વિતરણ: 35 હજારથી વધુ લોકોએ લાભ લીધો
અરવલ્લીના 340 ગામોમાં ઉકાળા વિતરણ: 35 હજારથી વધુ લોકોએ લાભ લીધો
અરવલ્લી જિલ્લામાં કોરોનાથી સૌથી વધુ ગ્રામિણ વિસ્તારમાં વ્યાપ જોવા મળ્યો છે. જેને લઇ જિલ્લામાં 79 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી આ વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેવા વિસ્તારો સિવાય પણ અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃત્તેશ ઔરંગાબાદકર દ્વારા ગ્રામિણ લોકોમાં રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય તે માટે ત્રિ-દિવસીય ઉકાળા વિતરણ અભિયાન હાથ ધરી 500 ગામો આવરી લેવાનું આયોજન હાથ ધર્યુ હતું.

જેમાં 340થી વધુ ગામોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં 358254 લોકોએ ઉકાળાનો લાભ લીધો છે. બાયડના 44, ભિલોડાના 68, ધનસુરાના 72, માલપુરના 56, મેઘરજના 44 અને મોડાસાના 50 મળી 340 ગામોને લાભ આપવામાં આવ્યો છે.



અરવલ્લીઃ સમગ્ર દેશમાં કોરોનાનો વ્યાપ વધતો જઇ રહ્યો છે. કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઔષધીય ઇલાજ પર વધુ ભાર આપવામાં આવી રહ્યા છે. જેને લઇ અરવલ્લી જિલ્લામાં પણ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

અરવલ્લીના 340 ગામોમાં ઉકાળા વિતરણ: 35 હજારથી વધુ લોકોએ લાભ લીધો
અરવલ્લીના 340 ગામોમાં ઉકાળા વિતરણ: 35 હજારથી વધુ લોકોએ લાભ લીધો
અરવલ્લી જિલ્લામાં કોરોનાથી સૌથી વધુ ગ્રામિણ વિસ્તારમાં વ્યાપ જોવા મળ્યો છે. જેને લઇ જિલ્લામાં 79 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી આ વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેવા વિસ્તારો સિવાય પણ અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃત્તેશ ઔરંગાબાદકર દ્વારા ગ્રામિણ લોકોમાં રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય તે માટે ત્રિ-દિવસીય ઉકાળા વિતરણ અભિયાન હાથ ધરી 500 ગામો આવરી લેવાનું આયોજન હાથ ધર્યુ હતું.

જેમાં 340થી વધુ ગામોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં 358254 લોકોએ ઉકાળાનો લાભ લીધો છે. બાયડના 44, ભિલોડાના 68, ધનસુરાના 72, માલપુરના 56, મેઘરજના 44 અને મોડાસાના 50 મળી 340 ગામોને લાભ આપવામાં આવ્યો છે.



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.