ETV Bharat / state

અરવલ્લીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 265 પર પહોંચ્યો

author img

By

Published : Jul 10, 2020, 9:42 PM IST

અરવલ્લી જિલ્લામાં શુક્રવારના રોજ વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા દર્દીઓનો આંક 265 પર પહોંચ્યો છે. જે પૈકી 205 દર્દી સ્વસ્થ થતા તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જયારે 26 દર્દીના મૃત્યુ થયા છે, તેમજ 34 દર્દી સારવાર હેઠળ છે.

corona
અરવલ્લીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 265 પર પહોંચ્યો

અરવલ્લીમાં કોરોનાના કુલ કેસ 265 થયા

  • મોડાસામાં 130થી વધુ કેસ નોંધાયા
  • જિલ્લામાં 265 કેસમાંથી અત્યાર સુધીમાં 205 દર્દી સ્વસ્થ થયા
  • કોરોનાથી કુલ 26 દર્દીના મૃત્યુ જ્યારે 34 દર્દી હાલ સારવાર હેઠળ

અરવલ્લીઃ જિલ્લામાં શુક્રવારના રોજ વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા દર્દીઓનો આંક 265 પર પહોંચ્યો છે. જે પૈકી 205 દર્દી સ્વસ્થ થતા તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જયારે 26 દર્દીના મૃત્યુ થયા છે, તેમજ 34 દર્દી સારવાર હેઠળ છે.

અરવલ્લીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 265 પર પહોંચ્યો

જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક વધી રહ્યો છે. જિલ્લા મથક મોડાસામાં 130 કરતા વધુ વ્યક્તિઓ સંક્રમિક થયા છે. શુક્રવારના રોજ મોડાસામાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા દર્દીઓનો આંક 265 પર પહોંચ્યો છે. જયારે 26 દર્દી મૃત્યુ પામ્યા છે. પોઝિટિવ કેસ આવતા ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા તકેદારીના ભાગરૂપે, નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલા વિસ્તારમાં આરોગ્યની 94 ટીમો દ્વારા 3472 ઘરના 17,005 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી છે. હાલ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 346 વ્યક્તિઓને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 2 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 24 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લાના 6 પોઝિટિવ કેસ હિમંતનગર સીવીલ હોસ્પિટલમાં, તેમજ એક અમદાવાદની હોસ્પિટલમાં અને એક દર્દી ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અરવલ્લીમાં કોરોનાના કુલ કેસ 265 થયા

  • મોડાસામાં 130થી વધુ કેસ નોંધાયા
  • જિલ્લામાં 265 કેસમાંથી અત્યાર સુધીમાં 205 દર્દી સ્વસ્થ થયા
  • કોરોનાથી કુલ 26 દર્દીના મૃત્યુ જ્યારે 34 દર્દી હાલ સારવાર હેઠળ

અરવલ્લીઃ જિલ્લામાં શુક્રવારના રોજ વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા દર્દીઓનો આંક 265 પર પહોંચ્યો છે. જે પૈકી 205 દર્દી સ્વસ્થ થતા તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જયારે 26 દર્દીના મૃત્યુ થયા છે, તેમજ 34 દર્દી સારવાર હેઠળ છે.

અરવલ્લીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 265 પર પહોંચ્યો

જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક વધી રહ્યો છે. જિલ્લા મથક મોડાસામાં 130 કરતા વધુ વ્યક્તિઓ સંક્રમિક થયા છે. શુક્રવારના રોજ મોડાસામાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા દર્દીઓનો આંક 265 પર પહોંચ્યો છે. જયારે 26 દર્દી મૃત્યુ પામ્યા છે. પોઝિટિવ કેસ આવતા ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા તકેદારીના ભાગરૂપે, નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલા વિસ્તારમાં આરોગ્યની 94 ટીમો દ્વારા 3472 ઘરના 17,005 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી છે. હાલ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 346 વ્યક્તિઓને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 2 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 24 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લાના 6 પોઝિટિવ કેસ હિમંતનગર સીવીલ હોસ્પિટલમાં, તેમજ એક અમદાવાદની હોસ્પિટલમાં અને એક દર્દી ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.