અરવલ્લી: જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર ઝગમગી રહ્યુ છે. યાત્રાધામ ખાતે ભગવાનનો જન્મોત્સવ ભક્તિ ભાવ પૂર્વક ઉજવવા મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. શામળાજી મંદિરને આસોપાલવ, કેળ, વાંસ, ફૂલ તેમજ લાઈટોની રોશનીથી શણગારવામાં આવ્યું છે.
જન્માષ્ટમીના દિવસે સરકારના માર્ગ દર્શનનું પાલન કરી ભક્તોને સેનિટાઇઝ અને સ્ક્રીનિંગ કરી માસ્ક સહિત સોસીયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પ્રવેશ અપવામાં આવશે. આ ઉપરાંત મંદિરમાં ભગવાનના જન્મ અને આરતી સમયે પણ ફક્ત સેવકગણ અને મંદિરના પૂજારીને જ પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ ભગવાનનો પ્રસાદ તેમજ ભંડારો પણ બંધ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત દર વર્ષે ભગવાન શામળિયાના જન્મોત્સવ નિમિત્તે કાઢવામાં આવતી શોભાયાત્રા મટકીફોડ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોને પણ રદ કરવામાં આવ્યા છે.