ETV Bharat / state

અરવલ્લીઃ ભિલોડામાં વીજતાર પડવાથી ખેડૂતનું મોત - Bhiloda

સમગ્ર ગુજરાતમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદને કારણે અનેક જગ્યાએ વીજ કરંટ લાગવાની ઘટના સામે આવે છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા સુનોખ ગામના ખેડૂત પર વીજ તાર પડ્યો હતો. જે કારણે ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Arvalli
Arvalli
author img

By

Published : Aug 17, 2020, 9:25 PM IST

અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા સુનોખ ગામે ખેતરમાંથી પસાર થતી વીજલાઈન અચાનક ખેડૂત પર પડતા ઘટના સ્થળે જ મોત થયુ હતું. આ ઘટનાની જાણ થતા વીજ તંત્રના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે ખેડૂતના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા સુનોખ ગામના કચરા ડાભી નામનો ખેડૂત ખેતરમાં ખેતી કામ કરી રહ્યો હતો. આ દરમિયાન ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનનો વીજ તાર કચરાભાઈ પર અચાનક તૂટી પડ્યો હતો. જેથી તેમને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે ઢળી પડ્યા હતા.

ખેડૂતનું વીજ કરંટથી મોત થતા પરિવારજનોમાં અને ગામમાં ગમગીની છવાઇ ગઈ હતી. વીજ તંત્રની બેદરકારીના પગલે ખેડૂતએ જીવ ગુમાવ્યો હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ખેતરોમાં નીચે લટકી રહેલા વીજ તાર અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સમારકામ કરવામાં આવ્યુ નથી. જે કારણે આ વીજ તાર તુટી પડ્યો હતો અને તંત્રના પાપે એક નિર્દોષ ખેડૂતે જીવ ગુમાવ્યો છે.

અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા સુનોખ ગામે ખેતરમાંથી પસાર થતી વીજલાઈન અચાનક ખેડૂત પર પડતા ઘટના સ્થળે જ મોત થયુ હતું. આ ઘટનાની જાણ થતા વીજ તંત્રના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે ખેડૂતના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા સુનોખ ગામના કચરા ડાભી નામનો ખેડૂત ખેતરમાં ખેતી કામ કરી રહ્યો હતો. આ દરમિયાન ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનનો વીજ તાર કચરાભાઈ પર અચાનક તૂટી પડ્યો હતો. જેથી તેમને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે ઢળી પડ્યા હતા.

ખેડૂતનું વીજ કરંટથી મોત થતા પરિવારજનોમાં અને ગામમાં ગમગીની છવાઇ ગઈ હતી. વીજ તંત્રની બેદરકારીના પગલે ખેડૂતએ જીવ ગુમાવ્યો હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ખેતરોમાં નીચે લટકી રહેલા વીજ તાર અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સમારકામ કરવામાં આવ્યુ નથી. જે કારણે આ વીજ તાર તુટી પડ્યો હતો અને તંત્રના પાપે એક નિર્દોષ ખેડૂતે જીવ ગુમાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.