ETV Bharat / state

અરવલ્લીમાં કોરોનાથી મૃત્યુઆંક 26 થયો, 251 લોકો કોરોનાગ્રસ્ત

author img

By

Published : Jul 6, 2020, 9:13 PM IST

સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં પ્રતિદિવસ વધારો થઇ રહ્યો છે. ત્યારે અરવલ્લીમાં કોરોનાથી મૃત્યુઆંક 26 થયો છે. આ સાથે જ 251 વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત થયા છે.

અરવલ્લીમાં કોરોનાથી મૃત્યાંક 26 પર પહોંચ્યો
અરવલ્લીમાં કોરોનાથી મૃત્યાંક 26 પર પહોંચ્યો

મોડાસા: અરવલ્લી જિલ્લામાં નોવેલ કોરોનાથી મૃત્યાંક 26 પર પહોંચ્યો છે, જ્યારે 251 લોકો કોરોનાગ્રસ્ત મળ્યા છે. જે પૈકી 185 દર્દીની સારવાર પૂર્ણ થતા તેમને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને લઇ સોમવારે જિલ્લા પ્રભારી રૂપવંતસિંઘ એ મોડાસાના કન્ટેન્ટમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી.

અરવલ્લી જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત્ત વધારો થતા આરોગ્ય તંત્ર સામે પડકાર ઉભો થયો છે, જ્યારે બીજી બાજુ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. મોડાસા નગરમાં કુલ 116 કોવિડ-19 ના દર્દીઓ નોંધાતા તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે, તેઈ આરોગ્યની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં હોમ કોરોન્ટાઇન તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા 16 છે .તેમજ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 1004 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

જ્યારે હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 08 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 28 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.તેમજ અરવલ્લી જિલ્લાના 2 પોઝિટિવ કેસ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં,અમદાવાદની હોસ્પિટલોમાં 3 તેમજ ગાંધીનગરની હોસ્પિટલમાં 1 દર્દી સારવાર હેઠળ છે.

મોડાસા: અરવલ્લી જિલ્લામાં નોવેલ કોરોનાથી મૃત્યાંક 26 પર પહોંચ્યો છે, જ્યારે 251 લોકો કોરોનાગ્રસ્ત મળ્યા છે. જે પૈકી 185 દર્દીની સારવાર પૂર્ણ થતા તેમને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને લઇ સોમવારે જિલ્લા પ્રભારી રૂપવંતસિંઘ એ મોડાસાના કન્ટેન્ટમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી.

અરવલ્લી જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત્ત વધારો થતા આરોગ્ય તંત્ર સામે પડકાર ઉભો થયો છે, જ્યારે બીજી બાજુ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. મોડાસા નગરમાં કુલ 116 કોવિડ-19 ના દર્દીઓ નોંધાતા તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે, તેઈ આરોગ્યની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં હોમ કોરોન્ટાઇન તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા 16 છે .તેમજ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 1004 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

જ્યારે હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 08 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 28 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.તેમજ અરવલ્લી જિલ્લાના 2 પોઝિટિવ કેસ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં,અમદાવાદની હોસ્પિટલોમાં 3 તેમજ ગાંધીનગરની હોસ્પિટલમાં 1 દર્દી સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.