ETV Bharat / state

કોરોના વાઇરસની પરિસ્થિતિમાં ખેડુતોને આર્થિક મદદ કરવા સાબર ડેરી સમક્ષ માગ કરવામાં આવી

author img

By

Published : May 7, 2021, 9:43 AM IST

કોરોના મહામારીમાં તમામ ધંધા વેપાર પડી ભાંગ્યા છે જેના કારણે વેપારીઓની હાલત કફોડી બની છે. મોડાસા ગામના ખેડુતો અને પશુપાલકોના હાલત પણ કફોડી થઈ છે કારણે કે APMC બંધ હોવાના કારણે તેઓ પાક વેચી શકતા નથી. મોડાસા કોંગ્રેસ દ્વારા ખેડુતો અને પશુપાલકોને મદદ કરવા માગ કરવામાં આવી છે.

farmer
કોરોના વાઇરસની પરિસ્થિતિમાં ખેડુતોને આર્થિક મદદ કરવા સાબર ડેરી સમક્ષ માગ કરવામાં આવી

  • મોડાસા ગામના ખેડુતો અને પશુપાલકોની હાલત કફોડી
  • કોંગ્રેસે ખેડુતો માટે સાબર ડેરી પાસે માગી મદદ
  • APMC બંધ હોવાને કારણે ખેડુતો પાક નથી વેચી શકતા

અરવલ્લી: કોરોના વાઈરસ ફેલાવો ગામડાઓમાં વધી રહ્યો છે. ખેડુતો અને પશુપાલકો પણ મહામારી ચપેટમાં આવી રહ્યા છે. આ સંજોગોમાં ખેડુતો તેમજ પશુપાલકોને ઇલાજ માટે નાણાંની ખુબ જ જરૂર ઉભી થઇ છે. તેથી, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તાએ સાબર ડેરીના ચેરમેનને આવેદન પત્ર આપી ખેડુતો અને પશુપાલકોને નાણાંકિય મદદ કરવાની રજુઆત કરી હતી.

ભાવ વધારો એડવાન્સ તેમજ એક પગાર વધારે આપવાની માગ

સમગ્ર ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સેફ ઝોન કહેવાતા ગામડાઓ પણ કોરોનાથી બચી શક્યા નથી, જેના પગલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે.આ પરિસ્થિતિમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા સાબર ડેરીના ડિરેકટરને આવેદનપત્ર આપી પશુપાલકોને આપવામાં આવતો વાર્ષિક ભાવ વધારો અને ચાલુ વર્ષે મે મહિનામાં એડવાન્સ ચુકવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત કોરોનાના કપરા કાળમાં લોકોનું જીવનનિર્વાહ કરવું અઘરું બન્યું છે.

કોરોના વાઇરસની પરિસ્થિતિમાં ખેડુતોને આર્થિક મદદ કરવા સાબર ડેરી સમક્ષ માગ કરવામાં આવી

આ પણ વાંચો : કોરોનાનો પ્રકોપ: જૂનાગઢ APMC 5 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો


APMC બંધ છે તેથી ખેડુતો તેમની જણસી વેચી શકતા નથી

અરવલ્લીમાં મોટા ભાગના ખેડુતો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલ તમામ APMC બંધ છે તેથી ખેડુતો તેમની જણસી વેચી શકતા નથી ત્યારે સાબર ડેરી તરફ લોકો રાહત માટે મીટ માંડી છે.

  • મોડાસા ગામના ખેડુતો અને પશુપાલકોની હાલત કફોડી
  • કોંગ્રેસે ખેડુતો માટે સાબર ડેરી પાસે માગી મદદ
  • APMC બંધ હોવાને કારણે ખેડુતો પાક નથી વેચી શકતા

અરવલ્લી: કોરોના વાઈરસ ફેલાવો ગામડાઓમાં વધી રહ્યો છે. ખેડુતો અને પશુપાલકો પણ મહામારી ચપેટમાં આવી રહ્યા છે. આ સંજોગોમાં ખેડુતો તેમજ પશુપાલકોને ઇલાજ માટે નાણાંની ખુબ જ જરૂર ઉભી થઇ છે. તેથી, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તાએ સાબર ડેરીના ચેરમેનને આવેદન પત્ર આપી ખેડુતો અને પશુપાલકોને નાણાંકિય મદદ કરવાની રજુઆત કરી હતી.

ભાવ વધારો એડવાન્સ તેમજ એક પગાર વધારે આપવાની માગ

સમગ્ર ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સેફ ઝોન કહેવાતા ગામડાઓ પણ કોરોનાથી બચી શક્યા નથી, જેના પગલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે.આ પરિસ્થિતિમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા સાબર ડેરીના ડિરેકટરને આવેદનપત્ર આપી પશુપાલકોને આપવામાં આવતો વાર્ષિક ભાવ વધારો અને ચાલુ વર્ષે મે મહિનામાં એડવાન્સ ચુકવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત કોરોનાના કપરા કાળમાં લોકોનું જીવનનિર્વાહ કરવું અઘરું બન્યું છે.

કોરોના વાઇરસની પરિસ્થિતિમાં ખેડુતોને આર્થિક મદદ કરવા સાબર ડેરી સમક્ષ માગ કરવામાં આવી

આ પણ વાંચો : કોરોનાનો પ્રકોપ: જૂનાગઢ APMC 5 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો


APMC બંધ છે તેથી ખેડુતો તેમની જણસી વેચી શકતા નથી

અરવલ્લીમાં મોટા ભાગના ખેડુતો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલ તમામ APMC બંધ છે તેથી ખેડુતો તેમની જણસી વેચી શકતા નથી ત્યારે સાબર ડેરી તરફ લોકો રાહત માટે મીટ માંડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.