ETV Bharat / state

પેટલાદમાં થંભી ગયેલા રેલવે ઓવરબ્રિજના કામને લઈને સ્થાનિકોએ DRMને આપ્યો પત્ર

author img

By

Published : Jun 15, 2019, 7:45 PM IST

આણંદ: પેટલાદ શહેરની મધ્યમાંથી પસાર થયા માર્ગ પર રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા 3 વર્ષથી થંભી જવાને કારણે સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જેનું નિરાકરણ ન થતાં પેટલાદ નાગરિક સમિતિ દ્વારા ટ્રેન રોકો આંદોલન કરવામાં આવનાર હતું. જે અંગે DRM દ્વારા 7 દિવસમાં ફાટક ખોલી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી આપવા લેખીત બાંહેધરી આપતા હાલ આંદોલને સમિતિ દ્વારા મોકૂફ રાખવામાં આવ્યુ છે.

આણંદ

આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલ રેલવે ફાટક ઉપર છેલ્લા ત્રણ વર્ષથી ખોરંભે પડતા સ્થાનિકો તથા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આમ તો પેટલાદના રહીશો દ્વારા પેટલાદ નાગરિક સમિતિનું નિર્માણ કરી રેલવે ઓવરબ્રિજ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા સ્થાનિકો દ્વારા 'રેલ રોકો આંદોલન'ની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આણંદ
પેટલાદમાં થંભી ગયેલા રેલ્વે ઓવરબ્રિજના કામને લઈને સ્થાનિકોએ DRM આપ્યો પત્ર

જો કે, શનિવારની સવારે મોટી સંખ્યામાં સ્થાનિકો તથા પેટલાદના આગેવાનો વિવાદિત ઓવરબ્રિજ પાસે ટ્રેન રોકવા એકઠા થવા લાગ્યા હતા. જેના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે આણંદ જિલ્લાના પોલીસ જવાનો તથા રેલવે પોલીસ ફોર્સના જવાનોનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા ડિવિઝન મેનેજર દ્વારા આ મામલે આણંદ જિલ્લા કલેકટરને સંબોધિત પત્ર 14 તારીખે મોકલી આપ્યો છે. જેમાં આગામી 7 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ લાવી આપવા બાહીધરી આપવામાં આવતા તંત્ર દ્વારા સ્થાનિકોને રજુઆત કરી આંદોલન મોકૂફ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

પેટલાદમાં થંભી ગયેલા રેલ્વે ઓવરબ્રિજના કામને લઈને સ્થાનિકોએ DRM આપ્યો પત્ર

જો કે, હાલ પૂરતું સ્થાનિકો દ્વારા 'રેલ રોકો આંદોલન' સમેટવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે તંત્રને 7 દિવસમાં તાકીદે સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરી હતી. સાથે સાથે જો આમ કરવામાં નહી આવે તો 7 દિવસ બાદ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચારવામાં આવી હતી.

આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલ રેલવે ફાટક ઉપર છેલ્લા ત્રણ વર્ષથી ખોરંભે પડતા સ્થાનિકો તથા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આમ તો પેટલાદના રહીશો દ્વારા પેટલાદ નાગરિક સમિતિનું નિર્માણ કરી રેલવે ઓવરબ્રિજ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા સ્થાનિકો દ્વારા 'રેલ રોકો આંદોલન'ની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આણંદ
પેટલાદમાં થંભી ગયેલા રેલ્વે ઓવરબ્રિજના કામને લઈને સ્થાનિકોએ DRM આપ્યો પત્ર

જો કે, શનિવારની સવારે મોટી સંખ્યામાં સ્થાનિકો તથા પેટલાદના આગેવાનો વિવાદિત ઓવરબ્રિજ પાસે ટ્રેન રોકવા એકઠા થવા લાગ્યા હતા. જેના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે આણંદ જિલ્લાના પોલીસ જવાનો તથા રેલવે પોલીસ ફોર્સના જવાનોનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા ડિવિઝન મેનેજર દ્વારા આ મામલે આણંદ જિલ્લા કલેકટરને સંબોધિત પત્ર 14 તારીખે મોકલી આપ્યો છે. જેમાં આગામી 7 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ લાવી આપવા બાહીધરી આપવામાં આવતા તંત્ર દ્વારા સ્થાનિકોને રજુઆત કરી આંદોલન મોકૂફ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

પેટલાદમાં થંભી ગયેલા રેલ્વે ઓવરબ્રિજના કામને લઈને સ્થાનિકોએ DRM આપ્યો પત્ર

જો કે, હાલ પૂરતું સ્થાનિકો દ્વારા 'રેલ રોકો આંદોલન' સમેટવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે તંત્રને 7 દિવસમાં તાકીદે સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરી હતી. સાથે સાથે જો આમ કરવામાં નહી આવે તો 7 દિવસ બાદ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચારવામાં આવી હતી.

Intro:પેટલાદ શહેર ની મધ્ય માંથી પસાર થયા માર્ગ પર રેલ્વે ઓવરબ્રિજ નું કામ છેલ્લા 3 વર્ષ થી થંભી ગયુ હોય સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી જેમાં નિરાકરણ ન આવતા આજે પેટલાદ નાગરિક સમિતિ દ્વારા ટ્રેનરોકો આંદોલન કરવામાં આવનાર હતું.જે અંગે DRM દ્વારા 7 દિવસ માં ફાટક ખોલી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી આપવા લેખીત બાહીધરી આપતા હાલ આંદોલને સમિતિ દ્વારા મોકૂફ રાખવામાં આવ્યુ છે.


Body:આણંદ જિલ્લા ના પેટલાદ ખાતે આવેલ રેલવે ફાટક ઉપર છેલ્લા ત્રણ વર્ષથી ખોરંભે પડતા સ્થાનિકો તથા વાહનચાલકો ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે, આમતો પેટલાદ ના રહીશો દ્વારા પેટલાદ નાગરિક સમિતિ નું નિર્માણ કરી રેલવે ઓવરબ્રિજ અંગે તંત્ર ને અનેક વખત રજુઆત કરવામાં આવ્યા હોવા છતાં કોઈ નકકુર પગલાં લેવામાં નઆવતા આજથી 15 એક દિવસ અગાવ રેલરોકો આંદોલન ની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.જોકે આજે સવારે મોટી સઁખ્યાં માં સ્થાનિકો તથા પેટલાદ ના આગેવાનો વિવાદિત ઓવરબ્રિજ પાસે ટ્રેન રોકવા એકઠા થવા લાગ્યા હતા,જે ના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે આણંદ જિલ્લા ના પોલીસ જવાનો તથા રેલવે પોલીસ ફોર્સ ના જવાનો નો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


Conclusion:રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા ડિવિઝન મેનેજર દ્વારા આ મામલે આણંદ જિલ્લા કલેકટરને સંબોધિત પત્ર 14 તારીખે મોકલી આપ્યો છે જેમાં આગામી 7 દિવસ માં આ સમસ્યા નું સુખદ નિરાકરણ લાવી આપવા બાહીધરી આપવામાં આવતા તંત્ર દ્વારા સ્થાનિકો ને રજુઆત કરી આંદોલન મોકૂફ રાખવા અનુરોધ ,કરવામાં આવ્યો હતો,

જોકે હાલ પૂરતું સ્થાનિકો દ્વારા રેલરોકો આંદોલન સમેટવામાં આવ્યું છે પરંતુ સાથે સાથે તંત્ર ને દિન 7 માં તાકીદે સમસ્યા નું નિરાકરણ લાવવા અપીલ કરી હતી.સાથે સાથે જો આમ કરવામાં નાહીઆવે તો 7 દિવસ બાદ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચારવા માં આવી હતી..

બાઈટ: સુરેશ કુમાર(પેટલાદ સ્ટેશન માસ્તર)
બાઈટ: ધર્મેશ મિસ્ત્રી(સ્થાનિક આગેવાન, પેટલાદ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.